પ્રાંતિજમાં વોઈસ મેસેજની અદાવત રાખી હુમલો કરતાં બેને ઈજા. સાત વિરૂધ્ધ ફરીયાદ.
0 0
Read Time:1 Minute, 48 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભાખરીયા બસ સ્ટેન્ડ આગળ સોમવારે વોઈસ મેસેજ કરવા બાબતે હાઈવે પર આવેલ વણઝારાવાસમાં રહેતા એક યુવાન સાથે સાત જણાએ એકસંપ થઈ આવી ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

આ અંગે વણઝારાવાસમાં રહેતા જુગનાથ ડાહ્યાજી વણઝારાએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ સોમવારે કિરણસિંહ કાળુસિંહ રાઠોડએ વોટ્સઅપ ગ્રુપમાં વોઈસ મેસેજ કર્યો હતો જે બાબતે હિરાજી ડાહ્યાજી વણઝારાએ પુછયુ હતું જેથી તેની અદાવત રાખીને કાળુસિંહ રાઠોડ, હરપાલસિંહ કિરણસિંહ રાઠોડ, સુમિતસિંહ કરશનસિંહ રાઠોડ, અંકિતસિંહ કરશનસિંહ રાઠોડ, હિતેશસિંહ,પાર્થ તથા ઉંમગ પટેલે એકસંપ થઈ આવી જુગનાથ વણઝારા તથા પીરાજીને પકડી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. 

એટલુ જ નહીં પણ ઉશ્કેરાયેલા આ સાતેય જણાએ આવેશમાં આવી જઈ હુમલો કરી દશરથજી મગનજી વણઝારાને પણ માર મારી જુગનાથ વણઝારા તથા અન્યને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી જુગનાથ વણઝારાએ સાતેય વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરના સવગઢમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળતા એક વિરૂધ્ધ ફરીયાદ. વ્યાજના ચક્કરમાં રૂ.૧.૩પ કરોડ ચુકવ્યા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરાતી હતી.
0 0
Read Time:2 Minute, 4 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગરના સવગઢ-પાણપુર વિસ્તારમાં આવેલ રહેમતનગરમાં રહેતા એક રહીશે આઠ વર્ષ અગાઉ મોટી છાપરીયા કસ્બા મસ્જીદની પાછળ રહેતા એક રહીશ પાસેથી માસિક પાંચ ટકાના વ્યાજે રૂ.પ૦ લાખ લીધા હતા જે રકમ વ્યાજ સાથે ચુકવી દીધી હોવા છતાં વ્યાજે પૈસા આપનારે પૈસા લેનારના ઘરે જઈ વ્યાજે આપેલ પૈસાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી માનસિક અને આર્થિક રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ સોમવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

આ અંગે રહેમતનગરમાં રહેતા તૌફીક રજાકભાઈ મેમણએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ વર્ષ ર૦૧૬માં તેમણે મોટી છાપરીયા કસ્બા મસ્જીદની પાછળ રહેતા ફીરોજખાન પઠાણ પાસેથી પાંચ ટકાના માસિક વ્યાજના દરે રૂ.પ૦ લાખ લીધા હતા. પરંતુ તેમના મિત્રને પોતાની જવાબદારી પર આ રકમ અપાવી હોવાથી તૌફીક મેમણ વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા હતા.

ત્યારબાદ તૌફીક મેમણ અને ભીખુસિંહે વ્યાજ અને મુડી પેટે રૂ.૧.૩પ કરોડ રકમ ચુકવી દીધી હતી તેમ છતાં ગમે તે કારણસર ફીરોજખાન પઠાણ તૌફીક મેમણને ફોન પર તથા રૂબરૂ ઘરે આવીને ગાળો બોલી સતત ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરી માનસિક તેમજ આર્થિક રીતે હેરાન પરેશાન કરી બળજબરીથી પૈસા કઢાવતા હોવાના આક્ષેપ સાથે તૌફીક મેમણે ફીરોજખાન પઠાણ વિરૂધ્ધ સોમવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ઇડરમાં પોલીસ તંત્રની અનોખી પહેલ. નાના વેપારીઓને મદદરૂપ થવા લોન મેળો યોજાયો.
0 0
Read Time:1 Minute, 51 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

ઇડર ખાતે મંગળવારે પોલીસ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને લોકહિતકારી પહેલ રૂપે હાઈસ્કૂલના સેન્ટ્રલ હોલમાં લોન મેળાનું આયોજન કરાયું હતું. હાલના સમયમાં ઘણા લોકો પોતાના ધંધા અને રોજગાર માટે લોન પર આધાર રાખતા થયા છે, પરંતુ કેટલીક વખત ઉંચા વ્યાજે લોન આપતા વ્યાજખોરોના ચક્કરમાં ફસાઈ જતા હોય છે, જેના કારણે નાના વેપારીઓને ભારે નુકસાન થાય છે. જે અંગે જરૂરીયાતમંદોને માર્ગદર્શન અપાયું હતું. 

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નાના વેપારીઓ જેમ કે પાથરણા વાળા, લારી-ગલ્લા ચલાવતા તથા નાના-મોટા ધંધા કરી પરીવાનું ગુજરાન ચલાવતા લોકો સરળતાથી અને કાયદેસર રીતે લોન મેળવી શકે તે માટે આ લોન મેળાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને યોગ્ય માર્ગદર્શન આપવો અને તેમને વ્યાજખોરોના ચંગુલમાંથી બચાવવાનો હતો. આ લોન મેળામાં વિવિધ બેન્કોના મેનેજરો તથા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમણે હાજર વેપારીઓને લોન સંબંધિત માહિતી આપી અને માર્ગદર્શન પૂરું પાડયું.

કાર્યક્રમનું આયોજન ઇડર ડીવાયએસપી સ્મિત ગોહિલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઇડર પીઆઈ એ.જી.રાઠોડ, પીએસઆઈ વી.આર.ચૌહાણ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું હતું. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %