હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ વર્ષ અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને નાસતા ફરતા એક શખ્સને સોમવારે એ-ડીવીઝન પોલીસે મોતીપુરા ચાર રસ્તા નજીકથી ઝડપી લઈને વધુ તપાસ માટે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લવાયો હતો.
આ અંગે એ-ડીવીઝનના પીઆઈ કે.વાય.વ્યાસ તથા પીએસઆઈ એન.બી.વાઘેલા અને સ્ટાફના જણાવાયા મુજબ સોમવારે તેમનો સ્ટાફ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગ કરી રહયો હતો ત્યારે ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી નાસતો ફરતો કમલેશ નારણજી ભગોરા (રહે.સંચીયા, તા.બીંછીવાડા) મોતીપુરા ચાર રસ્તા નજીક ફરતો હોવાને બાતમીને આધારે એ-ડીવીઝન પોલીસે જઈને પુછપરછ કર્યા બાદ કમલેશ ભગોરાની અટક કરી વધુ તપાસ માટે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લવાયો હતો.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી પ્રક્રિયા પ૧ દિવસ અગાઉ શરૂ કરાઈ હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ૬૬,૯૮૦ રોજગાર વાંચ્છુઓની શારિરીક કસોટી લેવામાં આવી હતી. જે અંતર્ગત ઉમેદવારનું વજન, છાતીનું માપ તથા દોડ લગાવી હતી. ત્યારબાદ તાજેતરમાં જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે કલોઝિંગ સેરેમનીનું આયોજન કરાયું હતું.
આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પ્રાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી પાયલ સોમેશ્વર, પીઆઈ, પીએસઆઈ સહિત અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં ગત ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ શરૂ થયેલી આ પ્રક્રિયા ૧૨ માર્ચ ૨૦૨૬ના રોજ સમાપ્ત થઈ. ૫૧ દિવસ ચાલેલી આ ભરતી પ્રક્રિયામાં ૬૬,૯૮૦ ઉમેદવારોએ દોડ લગાવી હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ડો. પાર્થ રાજ સિંહ ગોહિલ ના હસ્તે કેક કાપવામાં આવી હતી. ભરતી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ ક્લોઝિંગ સેરેમનીમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ભરતી પ્રક્રિયામાં ફરજ બજાવનાર અધિકારીઓ અને એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભાર વિધિ પ્રદીપ પટેલે કરી હતી. ડીવાયએસપી પાયલ સોમેશ્વરે જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા દરરોજ સવારે ૩.૪૫ વાગ્યે રજિસ્ટ્રેશન સાથે શરૂ થતી હતી. ત્યારબાદ ઉમેદવારોને પ્રવેશ આપીને દોડ, ઊંચાઈ અને છાતી સહિતની શારીરિક તપાસ કરવામાં આવતી હતી. હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૫૧ દિવસની આ પ્રક્રિયામાં ૬૬,૯૮૦ ઉમેદવારોએ પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે ભાગ લીધો હતો.
હિંમતનગર–ગાંભોઈ–શામળાજી માર્ગ પર નેશનલ હાઈવે ૪૮ના વિસ્તરણ કામ હેઠળ ગાંભોઈથી શામળાજી જોડતા રોડની બાજુમાં આશરે 10.30 મીટર પહોળો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. તેની બાજુમાં અંદાજે દોઢ મીટર પહોળી ગટર પણ બનાવવામાં આવી છે.
પરંતુ ગટર બનાવ્યાના હજુ ૧૦–૧૫ દિવસ પણ પૂરા થયા નથી ત્યાં જ ગટરનાં ઢાંકણ તૂટવા માંડ્યા હોવાની જાણકારી મળી રહી
છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાની શક્યતા છે.
સ્થાનિક લોકો આક્ષેપ મુજબ અગાઉ પણ રોડ પહોળો કરવા માટે નવી બનાવેલ ગટર પરંતુ તોડી પાડવામાં આવી હતી અને હવે બીજી વખત નવી ગટર બનાવવામાં આવી છે. વારંવાર ગટર તોડવા અને ફરી બનાવવા કારણે પ્રજાના ટેક્સનાપૈસાનો દુરુપયોગ થતો હોવાની વાતો લોકો લોકમુખે ચાલી રહી છે.
સ્થાનિક નાગરિકોએ સંબંધિત વિભાગ દ્વારા ગુણવત્તાની તપાસ કરી જવાબદારી નક્કી કરવા અને મજબૂત કામ કરાવાની સ્થાનિક લોકોની માગણી છે.
હિંમતનગર નગરપાલિકાની બજેટ બેઠક શુક્રવારે હિંમતનગરના બદલે ૩પ કી.મી. દુર આવેલ એક ખાનગી ફાઇવ ટાર રીસોર્ટમાં યોજાઈ હતી જેમાં પાલિકાનું અંદાજે રૂ.૧૩૬ કરોડના આ બજેટને ચર્ચાને અંતે મંજુરીની મહોર મારવામાં આવી હતી. બજેટમાં શહેરીજનો માટે પાણી, ગટર, ટાઉન પ્લાનીંગ સહિતના અન્ય વિભાગો માટે બજેટમાં જોગવાઈ કરાઈ છે. જયારે વિપક્ષના નેતાએ નવીન સમાવિષ્ટ વિસ્તારોની અવગણના કરાઈ હોવાનો આક્ષેપ કરીને આ બજેટને આંકડાની માયાજાળ વાળુ ગણાવ્યું છે.નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ આપવામાં ભેદભાવ રખાયાનો આક્ષેપ.
વર્ષ ર૦ર૬-ર૭ના બજેટ રજુ કરવા અને મંજુર કરવા માટે શુક્રવારે આડાહાથરોલની સીમમાં આવેલ એક ફાઇવ સ્ટાર મોંઘાદાટ રીસોર્ટમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ સામાન્ય સભા હિંમતનગરમાં યોજવાને બદલે અન્ય સ્થળની પસંદગી કરાતાં પાલિકાના પદાધિકારીઓના નિર્ણયને ટીકાપાત્ર ગણાઈ રહયો છે. દરમ્યાન વર્ષ ર૦ર૬-ર૭ના બજેટમાં રૂ.૧૩૬ કરોડની વિવિધ જોગવાઈઓ સાથે વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવેલ સુચિત રકમ અંગે સત્તાધારી અને વિપક્ષના સભ્યોની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. બજેટ બેઠક દરમ્યાન ચાલુ વર્ષના રૂ.૧૩૬ કરોડની જોગવાઈ કરાઈ છે ત્યારે તેમાં બંધ સિલક રૂ.૬.૪૬ કરોડ બતાવાઈ છે જયારે ઉઘડતી સિલક અંદાજે રૂ.ર૪,૩૮,પ૯,૦૦૦ બતાવાઈ છે.
પાલિકાના બજેટમાં આ વખતે પાણી પુરવઠા વિભાગને રૂ.૧૦,૬૯,પ૦,૦૦૦ ખર્ચ અંદાજવામાં આવ્યો છે, બાંધકામ માટે પાલિકાએ વર્ષ ર૦ર૬-ર૭માં રૂ.૮,૩ર,૦૦,૦૦૦ના ખર્ચનો અંદાજ રાખ્યો છે, સાથો સાથ ગટર, ટાઉન પ્લાનીંગ, દિવાબત્તી, બગીચા સહિતના અન્ય વિભાગો માટે પણ વિશેષ ખર્ચની જોગવાઈ કરાઈ છે ત્યારે બજેટની ચર્ચા દરમ્યાન સત્તાધારી અને વિપક્ષના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે વિપક્ષના નેતાએ નવીન સમાવિષ્ટ કરાયેલા વિસ્તારોમાં પાણી, પાકા રસ્તા, સ્ટેટ લાઈટ, ગટર અને સફાઈ જેવી સુવિધાઓ યોગ્ય રીતે ન મળતી હોવાનો આક્ષેપ કરીને સત્તાધારી પક્ષને આવા વિસ્તારો માટે પ્રાથમિકતા આપવી જોઈએ તેવી માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે યોજાયેલ બજેટ બેઠક વર્તમાન પદાધિકારીઓ માટે છેલ્લી હોવાને કારણે શહેરીજનોની વાહવાહી મેળવવા માટે ભરપુર પ્રયાસ કરાયા હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે.