હિંમતનગરના સ્વામીનારાયણ મંદિર નજીક એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું.એસઓજીએ ચાર આરોપીઓને ઝડપીને કાર સહિત ૭ લાખનો મુદમાલ ઝપ્ત કર્યો.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સા.કાં એસઓજીએ આજે સાંજે મળેલી બાતમીની મદદથી શામળાજી તરફ જઈ રહેલી ઈકો ગાડીની વોચ ગોઠવીને તેની અંદરથી એમડી ડ્રગ્સ, અફીણ અને ચરસ સહિત કુલ ર.૭૦ લાખના માદક પદાર્થ તેમજ કાર, રોકડ, મોબાઈલ સહિત કુલ ૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ચાર આરોપીઓની અટકાયત કરીને તેમજ એક વોન્ટેડ આરોપી સામે નાર્કોટીક્સની કલમો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એસઓજીના અ.પો.કો. અતુલસિંહ મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, હિંમતનગર સહકારી જીન વિસ્તારમાાંથી મોડી રાત્રે એક ઇકો ગાડી જીજે.૦૯.બીડી.૧૮૬૮માં ચાર શખ્સો માદક પદાર્થ લઇ શામળાજી બાજુ જનાર છે. જેથી એસઓજીના પીઆઈ ડી.સી.પરમારની સુચના અનુસાર પીએસઆઈ પી.એમ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ અને નાર્કોટીક્સ સેલ હિંમતનગર શામળાજી હાઈવે ઉપર કાંકણોલ ગામની સીમમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના પુર્વ દિશાના કોટની સામે વોચ ગોઠવી દઈને તપાસ હાથ ધરતાં બાતમીની હકીકત વાળી ઈકો ગાડી આવતાં તેને રોકીને તપાસ કરતાં ચાર શખ્સો મળી આવ્યા હતા. જેમની પાસેથી તપાસ કરતાં ૧.૬પ લાખ એમ.ડી. ડ્રગ્સ પ૬ હજારનું અફીણ ૪૮ હજારનું ચરસ ઝપ્ત કરીને રોકડ, મોબાઈલ, ઈકો કાર સહિત કુલ ૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને તમામ આરોપીઓ વિરુધ્ધ એ ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
-
અટકાયત કરાયેલા આરોપીઓના નામ
(૧) રતનલાલ કિશનલાલ સુથાર (રહે. સુભાષનગર સોસાયટી, સતિષભાઇ સુથારના મકાનમાં ભાડેથી, અંકિતાડેરી પાસે, સહકારી જીન રોડ, હિંમતનગર, જી. સાબરકાંઠા) (મુળ રહે. બાનીના તા. ગાંગરાળ જી. ચિત્તોડગઢ, રાજસ્થાન)
(૨) નારાયણલાલ બદરીલાલ જાટ (રહે.૪૬-લક્ષ્મીનારાયણ સોસાયટી, દિનેભાઇ પટેલના મકાનમાં ભાડેથી, મહાવીરનગર, હિંમતનગર જી. સાબરકાાંઠા) (મુળ રહે. પોટલા, તા.સહાડા, જી. ભીલવાડા, રાજસ્થાન)
(૩) મુરલીધર જલધરભાઇ (રહે. રૂષિનગર, ગિરધરનગર, હિંમતનગર જી. સાબરકાંઠા) (મુળ રહે. સીરીપુર તા.નૌગછીયા, જી.ભાગલપુર બિહાર)
(૪) નરપતસિંહ ભવરસિંહ રાજપુરોહિત (રહે. રાજેન્દ્રનગર, તારાબેન ના મકાનમાં ભાડેથી, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા) (મુળ રહે. ક્ષત્રિયો કા મોરચા, બાલોતરા, રાજસ્થાન)
-
કબ્જે લીધેલ મુદ્દામાલની વિગત
૧) એમ.ડી. ડ્રગ્સ (મેફાડ્રોન) પપ ગ્રામ કિંમત રૂા.૧.૬પ લાખ
ર) ચરસ ૩૮ ગ્રામ કિંમત રૂા.૪૮ હજાર
૩) અફીણ ૧૧૩ ગ્રામ કિંમત રૂા.પ૬ હજાર
૪) મોબાઈલ નંગ-૪ કિંમત રૂા.૩ર હજાર
પ) ઈકો ગાડી ૧ કિંમત રૂા.૪ લાખ
૬) રોકડ રકમ – રૂા.૪૭૦૦
૭) ઈલેકટ્રીક વજન કાંટા ૩ નંગ
શામળાજીના અણસોલ પાસે રાજસ્થાનથી લવાતો, ગુજસીટોકનો આરોપી ચકમો આપી ભાગ્યો.
રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર
શામળાજી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ(એસએમસી)ની ટીમ દ્વારા શુક્રવારે રાજસ્થાનથી લવાઈ રહેલ અને ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા શખ્સ અચાનક પોલીસ જાપ્તામાંથી ભાગી છુટવાનો પ્રયાસ કરતાં એસએમસીની ટીમે તેના પર ફાયરીંગ કર્યું હતું જેથી આ શખ્સને ખભા નજીક ઈજા પહોંચી હતી ત્યારબાદ તેને શામળાજી સ્થાનિક પોલીસને જાણ કરી સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયો હતો. જે અંગે હિંમતનગર એ-ડીવીઝન પોલીસને જાણ થતાં તેઓ તરત જ સિવિલમાં પહોંચી ગયા હતા.દરમ્યાન હિંમતનગર સિવિલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ અને રાજસ્થાનમાં રહેતો શુકલાલ રામલાલ ડાંગીને એસએમસીની ટીમ અમદાવાદ તરફ સરકારી વાહનમાં બેસાડી લઈ જઈ રહી હતી ત્યારે શામળાજી પાસેના અણસોલ નજીક શુકલાલ ડાંગીએ અચાનક ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી એસએમસીની ટીમે પરિસ્થિતીને ધ્યાનમાં રાખી પોતાની પાસેના રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. જેથી શુકલાલ ડાંગીને જમણા ખભાથી નીચે અને હાથની કોણીથી ઉપરની બાજુ ઈજા પહોંચી હતી ત્યારબાદ એસએમસીની ટીમે તેને શામળાજી લઈ જઈ પ્રાથમિક સારવાર અપાવી હતી અને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયો હતો.
જયાં ફરજ પરના તબિબોએ તપાસ કરીને કેટલાક મેડીકલ ટેસ્ટ કર્યા હતા. જે અંગે સિવિલના ઈન્ચાર્જ આર.એમ.ઓ. ર્ડા.વિપુલ જાનીએ જણાવ્યું હતું કે એસએમસીની ટીમ એક ઈજાગ્રસ્તને સારવાર માટે હિંમતનગર સિવિલમાં લાવી હતી સમગ્ર ઘટના અંગે એ-ડીવીઝન પોલીસને ખબર પડતાં પીઆઈ પ્રકાશ ચૌધરી તથા તેમનો સ્ટાફ સિવિલમાં આવી પહોંચ્યો હતો.
હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસની ભરતી પ્રક્રિયા પૂર્ણ. ૫૧ દિવસમાં ૬૬,૯૮૦ ઉમેદવારોએ શારિરીક કસોટી આપી.
રિપોર્ટ :- જીગ્નેશ સોની (હિંમતનગર)
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી પ્રક્રિયા પ૧ દિવસ અગાઉ શરૂ કરાઈ હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ૬૬,૯૮૦ રોજગાર વાંચ્છુઓની શારિરીક કસોટી લેવામાં આવી હતી. જે અંતર્ગત ઉમેદવારનું વજન, છાતીનું માપ તથા દોડ લગાવી હતી. ત્યારબાદ તાજેતરમાં જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે કલોઝિંગ સેરેમનીનું આયોજન કરાયું હતું.
આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પ્રાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી પાયલ સોમેશ્વર, પીઆઈ, પીએસઆઈ સહિત અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં ગત ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ શરૂ થયેલી આ પ્રક્રિયા ૧૨ માર્ચ ૨૦૨૬ના રોજ સમાપ્ત થઈ. ૫૧ દિવસ ચાલેલી આ ભરતી પ્રક્રિયામાં ૬૬,૯૮૦ ઉમેદવારોએ દોડ લગાવી હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ડો. પાર્થ રાજ સિંહ ગોહિલ ના હસ્તે કેક કાપવામાં આવી હતી. ભરતી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ ક્લોઝિંગ સેરેમનીમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ભરતી પ્રક્રિયામાં ફરજ બજાવનાર અધિકારીઓ અને એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભાર વિધિ પ્રદીપ પટેલે કરી હતી. ડીવાયએસપી પાયલ સોમેશ્વરે જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા દરરોજ સવારે ૩.૪૫ વાગ્યે રજિસ્ટ્રેશન સાથે શરૂ થતી હતી. ત્યારબાદ ઉમેદવારોને પ્રવેશ આપીને દોડ, ઊંચાઈ અને છાતી સહિતની શારીરિક તપાસ કરવામાં આવતી હતી. હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૫૧ દિવસની આ પ્રક્રિયામાં ૬૬,૯૮૦ ઉમેદવારોએ પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે ભાગ લીધો હતો.
હિંમતનગરના મોતીપુરા બસસ્ટોપ નજીકથી ગુમ થયેલ સગીર અમદાવાદથી મળ્યો .
રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં રહેતા એક પરિવારનો કિશોર ત્રણ દિવસ અગાઉ મોતીપુરા બસસ્ટેન્ડ નજીકથી ગુમ થયો હતો જેથી તેના વાલીએ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ બાદ સ્થાનિક પોલીસે તેને અમદાવાદમાંથી શોધી કાઢી હિંમતનગર લાવી પરિવારને સુપ્રત કર્યો હતો.
આ અંગે એ.ડીવીઝનના પી.આઈ પી.એમ.ચૌધરી તથા સ્ટાફના જણાવાયા મુજબ ગત તા. ૧૧ માર્ચના રોજ સહકારીજીન ચોકડી નજીક રહેતા મુકેશ મોહનભાઈ પારઘીનો સગીર વયનો પુત્ર મોતીપુરા બસસ્ટોપ નજીકથી ગમે તે કારણસર ગુમ થઈ ગયો હતો ત્યારબાદ સગીરના વાલીએ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા બાદ પોલીસે ટેકનીકલ તથા હૃુમન સોર્સની મદદથી અમદાવાદમાંથી શોધી કાઢયો હતો. ત્યારબાદ આ સગીરને હિંમતનગર લાવી પરિવાર સાથે કાઉન્સીલીંગ કર્યા બાદ મિલન કરાવાયું હતુ.
પાંચ માસથી ત્રણ ગુનામાં નાસતો ફરતો ઈસમ પકડાયો.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન તથા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ એકટ તથા દારૂની હેરાફેરીના ત્રણ ગુનામાં સંડોવાયેલ એક ઈસમને સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે બુધવારે તલોદ તાલુકાના પોયડા ગામેથી ઝડપી લીધો હતો ત્યારબાદ વધુ તપાસ માટે તેને હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનને હવાલે કરાયો હતો.
આ અંગે જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા અને પીએસઆઇ રવિરાજસિંહ જાડેજા ના જણાવાયા મુજબ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તથા સીઆઈડી ક્રાઈમના જીપીઆઈડી એકટ અને દારૂના ત્રણ ગુનામાં સંડોવાયેલ અને બેરણા રોડ પર આવેલ હસ્તીનાપુર પ્લાઝામાં રહેતો અજયસિંહ રજુસિંહ મકવાણા પાંચ માસથી નાસતો ફરતો હતો.
જે અંગે સાબરકાંઠા એલસીબીને મળેલી બાતમી બાદ બુધવારે અજય મકવાણા તલોદ તાલુકાના પોયડા ગામે જીજાજીના ઘરે આવ્યો હોવાની જાણ થયા પછી એલસીબીએ તેને પોયડામાંથી ઝડપી લીધો હતો. ત્યારબાદ તેની અટક કરી વધુ તપાસ માટે હિંમતનગર એ.ડીવીઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
રાજસ્થાનથી હિંમતનગર આવતી ખાનગી લકઝરીમાંથી રૂ.૩.૪પ લાખનો દારૂ પકડાયો. પોલીસે બેની ધરપકડ કરી
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગરમાંથી રાજસ્થાન તરફથી આવતા નેશનલ હાઇવે પર સાબરડેરી બ્રિજ પાસે મંગળવારે રાત્રે એ-ડીવીઝન પોલીસે વોચ ગોઠવી બાતમીને આધારે લક્ઝરીમાંથી ૩.૪૫ લાખનો દારૂના જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી ૧૩.૫૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનથી હિંમતનગર થઈ ગુજરાતમાં અન્ય સ્થળે રોજબરોજ કેટલાક શખ્સો પાસ પરમીટ વિના દારૂ અને બિયરની વાહનોમાં ભરી હેરાફેરી કરી રહયા છે ત્યારે મંગળવાર હિંમતનગર એ-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી શામળાજી થઈ અમદાવાદ તરફ જતી લક્ઝરી નંબર આરજે.૧૯પીબી.૬૯૧૪ માં બે જણા પ્લાસ્ટીકની થેલીઓમાં દારૂ ભરી હિંમતનગર થઈ સાબરડેરી તરફ આવી રહયા છે.
જે બાતમીને આધારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એમ.ચૌધરી તથા સ્ટાફ ના એએસઆઈ સલીમભાઈ, મિતરાજસિંહ, અશ્વિન સિંહ, જયરાજસિંહ સાથે વોચ ગોઠવીને બાતમી મુજબ આવી રહેલ લકઝરીની ઝડતી લીધી હતી જયાં લકઝરી બસની વચ્ચેની સીટના ગુપ્ત ખાનામાં રખાયેલ અંદાજે રૂ.૩.૪પ લાખની પ્લાસ્ટીકની થેલીમાં ભરેલ દારૂ અને બિયરની ૯૬ બોટલો મળી આવતા કબ્જે લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે નાનુરામ નનોમા(મીણા) (રહે.લાપીયા, તા.આસપુર, જિ.ડુંગરપુર, રાજસ્થાન) અને પ્રતાપસિંહ ચૌહાણ (રહે.૪૨,પડાવાડા, તા.જિ. સલુમ્બર, રાજસ્થાન)ની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે રૂ.૩.૪૫ લાખનો દારૂ, લક્ઝરી, મોબાઇલ સહિત ૧૩.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બે સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ અમરાઇવાડી માં બુટલેગરો નો આતંક અબિકા નગર માં એકઝ પરીવાર ઊપર જીવ લેણ હુમલો કર્યો
અમદાવાદ: અમરેવાડીમાં પોલીસ સ્ટેશન ની હદમાં દેશી દારૂ અને ઇંગલિશ દારૂના ઠેર ઠેર સ્ટેન્ડો ચાલી રહેલ છે બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે આનો વહીવટ પિયુષભાઈ દેસાઈ નામના વહીવટદાર તરીકે ફરજ નિભાવે છે આ પિયુષભાઈ દ્વારા અન્ય પોલીસ સ્ટેશનના બી કઈક વહીવટો તેઓ દ્વારા કરવામાં આવે છે સુત્રો દ્વારા જાણવા મળતા આ પિયુષભાઈ દેસાઈ દ્વારાજ આ બુટલે કરોને સાવરવામાં આવે છે તેના હિસાબે આમ જનતા હેરાન પરેશાન થઈ રહી છે પરંતુ વહીવટદારોને તો તેમના ખીજા ભરવાના અને ઉપરના ઓફિસરોને ખુશ કરવાના તે કામ જ સોંપવામાં આવ્યું લાગે છે અંબિકાનગર માં દાદી સાથે રેતા યશવંત સોલંકી મઞન સોલંકી સંજય વાધેલા લીલાબેન વાધેલા આ લોકોને ધરમાં તલવારો લય ને બુટલેગર ધરમાં આવી ને મારી ઞયા અને ત્યાં ના સ્થાનિક લોકો ને ખરાબ ઞાળાઞાળી કરી કયા સૂધી આવા બૂટલેઞરો થી ડરી ને રેશૂ સુ પોલીસ પણ આવા બુટલેગર નો સાથ આપે આપણા ઞુજરાત માં દારૂ બંધી છે શું આ અમરાઇવાડી ની પોલીસ ભૂલી ઞય છે
આપણા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબ કેય છે કાયદા માં રેસો તો ફાયદા માં રેસો તો સૂ આ છે તમારો કાયદો
