સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી પ્રક્રિયા પ૧ દિવસ અગાઉ શરૂ કરાઈ હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ૬૬,૯૮૦ રોજગાર વાંચ્છુઓની શારિરીક કસોટી લેવામાં આવી હતી. જે અંતર્ગત ઉમેદવારનું વજન, છાતીનું માપ તથા દોડ લગાવી હતી. ત્યારબાદ તાજેતરમાં જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે કલોઝિંગ સેરેમનીનું આયોજન કરાયું હતું.
આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પ્રાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી પાયલ સોમેશ્વર, પીઆઈ, પીએસઆઈ સહિત અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં ગત ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ શરૂ થયેલી આ પ્રક્રિયા ૧૨ માર્ચ ૨૦૨૬ના રોજ સમાપ્ત થઈ. ૫૧ દિવસ ચાલેલી આ ભરતી પ્રક્રિયામાં ૬૬,૯૮૦ ઉમેદવારોએ દોડ લગાવી હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ડો. પાર્થ રાજ સિંહ ગોહિલ ના હસ્તે કેક કાપવામાં આવી હતી. ભરતી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ ક્લોઝિંગ સેરેમનીમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ભરતી પ્રક્રિયામાં ફરજ બજાવનાર અધિકારીઓ અને એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભાર વિધિ પ્રદીપ પટેલે કરી હતી. ડીવાયએસપી પાયલ સોમેશ્વરે જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા દરરોજ સવારે ૩.૪૫ વાગ્યે રજિસ્ટ્રેશન સાથે શરૂ થતી હતી. ત્યારબાદ ઉમેદવારોને પ્રવેશ આપીને દોડ, ઊંચાઈ અને છાતી સહિતની શારીરિક તપાસ કરવામાં આવતી હતી. હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૫૧ દિવસની આ પ્રક્રિયામાં ૬૬,૯૮૦ ઉમેદવારોએ પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે ભાગ લીધો હતો.