અમદાવાદમાં ગુંડાગીરી નું રાજ. શું પોલીસ કમજોર?
Views: 106
Read Time:2 Minute, 17 Second
એસીપી ઈ-ડિવિઝન વાણી દૂધાતના જણાવ્યા અનુસાર, કુખ્યાત મોન્ટુ નામદાર 8 જૂનના રોજ જેલમાંથી ફર્લો રજા પર બહાર આવ્યો હતો. જેલમુક્ત થતાં જ 9 જૂનના રોજ તેણે પોતાના સાગરીતો (જીજ્ઞેશ રામી, ફિરોજ અને પુત્ર પ્રિન્સ) સાથે મળીને ખાડિયાની હજીરાની પોળમાં આતંક મચાવ્યો હતો. નશાની હાલતમાં ચૂર આ ગુંડાતત્વોએ જાહેરમાં ફટાકડા ફોડી રસ્તો જામ કરી દીધો હતો અને હત્યા કેસની એક સાક્ષી મહિલાને આખા પરિવાર સહિત ખતમ કરી નાખવાની ગંભીર ધમકી આપી હતી.
મહિલાએ ડરીને તાત્કાલિક 112 કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસને જોઈને મોન્ટુ નામદાર ભાગવા ગયો હતો, જ્યાં મકાન પરથી કૂદવાના પ્રયાસમાં તેના બંને પગે ફ્રેક્ચર થયું હતું અને તે ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે તેની ધરપકડ કરી જ્યારે સરકારી પીસીઆર (PCR) વાનમાં બેસાડ્યો, ત્યારે મોન્ટુની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેણે પોલીસકર્મીઓને જ જાહેરમાં ગાળો ભાંડી હતી. તેણે 2022માં તેને પકડનાર હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ભરવાડને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
12 જૂનના રોજ ખાડિયા પોલીસે મોન્ટુ નામદાર અને તેના સાથીઓ વિરુદ્ધ ધમકી, બીભત્સ વર્તન અને નશાખોરી બદલ ત્રીજી નવી એફઆઈઆર (FIR) નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે કોર્ટમાં રિપોર્ટ કરીને મોન્ટુના ફર્લો જામીન રદ કરાવશે, જેથી તેને ફરીથી જેલના સળિયા પાછળ ધકેલી શકાય. આ હાઈ-વોલ્ટેજ ડ્રામા અને દાદાગીરીની ઘટના આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં બની છે.
Happy
0
0 %
Sad
1
100 %
Excited
0
0 %
Sleepy
0
0 %
Angry
0
0 %
Surprise
0
0 %