હિંમતનગરના મોતીપુરા બસસ્ટોપ નજીકથી ગુમ થયેલ સગીર અમદાવાદથી મળ્યો .
Views: 17
0
0
Read Time:1 Minute, 17 Second
રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં રહેતા એક પરિવારનો કિશોર ત્રણ દિવસ અગાઉ મોતીપુરા બસસ્ટેન્ડ નજીકથી ગુમ થયો હતો જેથી તેના વાલીએ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ બાદ સ્થાનિક પોલીસે તેને અમદાવાદમાંથી શોધી કાઢી હિંમતનગર લાવી પરિવારને સુપ્રત કર્યો હતો.
આ અંગે એ.ડીવીઝનના પી.આઈ પી.એમ.ચૌધરી તથા સ્ટાફના જણાવાયા મુજબ ગત તા. ૧૧ માર્ચના રોજ સહકારીજીન ચોકડી નજીક રહેતા મુકેશ મોહનભાઈ પારઘીનો સગીર વયનો પુત્ર મોતીપુરા બસસ્ટોપ નજીકથી ગમે તે કારણસર ગુમ થઈ ગયો હતો ત્યારબાદ સગીરના વાલીએ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા બાદ પોલીસે ટેકનીકલ તથા હૃુમન સોર્સની મદદથી અમદાવાદમાંથી શોધી કાઢયો હતો. ત્યારબાદ આ સગીરને હિંમતનગર લાવી પરિવાર સાથે કાઉન્સીલીંગ કર્યા બાદ મિલન કરાવાયું હતુ.