હિંમતનગર તાલુકામાંથી બે સગીરાનુંં અપહરણ થતાં બે વિરૂધ્ધ ફરીયાદ.
Views: 53
0
0
Read Time:1 Minute, 45 Second
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી બે સગીરાનું તાજેતરમાં બે શખ્સોએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયાના આક્ષેપ સાથેની ફરીયાદ રવિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.
આ અંગે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ભોગ બનેલ સગીરાના વાલીએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૭ એપ્રિલના રોજ મોડાસા તાલુકાના ડુગરવાડા ગામે રહેતો મિહિર મહેન્દ્રભાઈ પરમાર ૧૭ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતાં સગીરાના વાલીએ ડુગરવાડાના યુવક વિરૂધ્ધ રવિવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરીયાદ નોંધાવી હતી.
તેજ પ્રમાણે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ૧૬ વર્ષની સગીરાને ગત તા.૭ માર્ચના રોજ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની પાણીબાર ગામનો જયેશ નામનો શખ્સ સગીરાને ફોસલાવી પટાવી વાલીપણામાંથી ભગાડી ગયો હતો. જેથી સગીરાના વાલીએ પણ પાણીબાર ગામના જયેશ વિરૂધ્ધ રવિવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.