હિંમતનગરના સવગઢમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળતા એક વિરૂધ્ધ ફરીયાદ. વ્યાજના ચક્કરમાં રૂ.૧.૩પ કરોડ ચુકવ્યા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરાતી હતી.
Views: 52
0
0
Read Time:2 Minute, 4 Second
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગરના સવગઢ-પાણપુર વિસ્તારમાં આવેલ રહેમતનગરમાં રહેતા એક રહીશે આઠ વર્ષ અગાઉ મોટી છાપરીયા કસ્બા મસ્જીદની પાછળ રહેતા એક રહીશ પાસેથી માસિક પાંચ ટકાના વ્યાજે રૂ.પ૦ લાખ લીધા હતા જે રકમ વ્યાજ સાથે ચુકવી દીધી હોવા છતાં વ્યાજે પૈસા આપનારે પૈસા લેનારના ઘરે જઈ વ્યાજે આપેલ પૈસાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી માનસિક અને આર્થિક રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ સોમવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે રહેમતનગરમાં રહેતા તૌફીક રજાકભાઈ મેમણએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ વર્ષ ર૦૧૬માં તેમણે મોટી છાપરીયા કસ્બા મસ્જીદની પાછળ રહેતા ફીરોજખાન પઠાણ પાસેથી પાંચ ટકાના માસિક વ્યાજના દરે રૂ.પ૦ લાખ લીધા હતા. પરંતુ તેમના મિત્રને પોતાની જવાબદારી પર આ રકમ અપાવી હોવાથી તૌફીક મેમણ વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા હતા.
ત્યારબાદ તૌફીક મેમણ અને ભીખુસિંહે વ્યાજ અને મુડી પેટે રૂ.૧.૩પ કરોડ રકમ ચુકવી દીધી હતી તેમ છતાં ગમે તે કારણસર ફીરોજખાન પઠાણ તૌફીક મેમણને ફોન પર તથા રૂબરૂ ઘરે આવીને ગાળો બોલી સતત ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરી માનસિક તેમજ આર્થિક રીતે હેરાન પરેશાન કરી બળજબરીથી પૈસા કઢાવતા હોવાના આક્ષેપ સાથે તૌફીક મેમણે ફીરોજખાન પઠાણ વિરૂધ્ધ સોમવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.