સાબરકાંઠામાં રંગોત્સવ સંપન્ન, જિલ્લાના તમામ સ્થળે લોકોએ અબીલ, ગુલાલ અને રંગોથી પર્વ ઉજવ્યું. કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બનતા તંત્રને રાહત.
0 0
Read Time:2 Minute, 14 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અનેક લોકોએ હોળી અને ધૂળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરીને રંગોત્સવ મનાવ્યો છે ત્યારે બુધવારે ધૂળેટી નિમિત્તે હિંમતનગર સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોએ વિવિધ પ્રકારે ધૂળેટીની ઉજવણી કરી આનંદ માણ્યો હતો. જોકે જિલ્લામાં કોઈપણ જગ્યાએ અનિચ્છનીય મોટી ઘટના બની ન હોવાને કારણે તંત્રએ રાહત અનુભવી હતી.

આ વર્ષે હોળી અને ધૂળેટી પર્વ વચ્ચે એક દિવસ પડતર હોવાને કારણે અનેક લોકોએ તેની ઉજવણી કરવામાં અસમંજસ અનુભવી હતી. પરંતુ સરકારી કચેરીઓમાં તથા અન્ય સ્થળે બુધવારે ધૂળેટીની રજા જાહેર થઈ હોવાથી જિલ્લામાં રહેતા લોકોએ બુધવારે રંગોત્સવ પર્વ મનાવ્યું હતુ. જેના ભાગરૂપે હિંમતનગર તાલુકાના હડીયોલ, ગાંભોઈ,પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારોમાં તથા હિંમતનગરના શહેરી વિસ્તારોમાં રહેતા લોકોએ પોતાની અનૂકુળતા મુજબ વિવિધ પ્રકારના રંગોનો ઉપયોગ કરીને એકબીજાના ચહેરા રંગી દીધા હતા.

તો બીજી તરફ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અનેક ઠેકાણે રહેતા પરિવારોએ લાકડીઓ તથા રંગાયેલા વસ્ત્રોમાં એકબીજા સાથે ભેટીને આનંદ માણ્યો હતો. દરમ્યાન જિલ્લાના પોલીસતંત્ર ધ્વારા અગાઉથી જ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હોવાને કારણે કોઈ મોટી અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી. સાથોસાથ ધૂળેટીની રજા હોવાને કારણે ખાનગી અને સરકારી વાહનોમાં ભીડ ઓછી રહી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સાબરકાંઠા જિલ્લામાં ૧૪મી માર્ચ ના રોજ ૨૦૨૬ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, ગેસ બિલ, મોટર અકસ્માત સહિતના કુલ ૧૧ પ્રકારના કેસો મૂકી શકાશે.
0 0
Read Time:2 Minute, 0 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જીલ્લામાં તા.૧૪મી માર્ચ નારોજ વર્ષ-૨૦૨૬ ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગરના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કે.આર.રબારીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સચિવ સી.પી.ચારણનાઓ દ્વારા સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરેલ છે.

જેમાં ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, ગેસ બિલ, મોટર અકસ્માત, લગ્ન વિષયક સહિતના કેસો મૂકી શકાશે. સાબરકાંઠા જીલ્લા માં વિવિધ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર અનેક લોકો દંડ ભરતા નથી. ત્યારે આવા કેસો પણ લોક અદાલતમાં મુકવામાં આવનાર છે.

લોક અદાલતમાં કેસોનો નિકાલ તે બંને પક્ષકારોને લાભકર્તા છે. બંને પક્ષના સમાધાનથી કેસોનો નિકાલ થાય છે.લોક અદાલતમાં કોઇની હાર નહીં અને કોઈનો પરાજય નહીં તેવી સ્થિતિ ઉદભવે છે. બંને પક્ષકારો વચ્ચે કોઈ વૈમનસ્ય રેહતું નથી અને સુમેળભર્યા સંબધો સચવાઈ રહે છે. આથી વધુમાં વધુ પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલતમાં મૂકી તેનો મહતમ લાભ લેવાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %