હિંમતનગરમાં ડ્રગ્સ મંગાવી નકલી પોલીસે રૂ.૮ લાખનો તોડ કર્યો. ડ્રગ્સ મંગાવી નકલી પોલીસ તેને અમદાવાદ તરફ લઈ ગઈ કેસ કરવાની ધમકી આપી રૂ.પ૦ લાખ માંગ્યા હોવાનો આક્ષેપ .
0 0
Read Time:5 Minute, 37 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યચીજો સહિત ડ્રગ્સ અને અન્ય વસ્તુઓ નકલી બનાવીને વેચી પ્રજાને તથા તંત્રને ગેરમાર્ગે દોરી યુવાધનના ભવિષ્ય સાથે ચેડા કરવાની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે ગત ફેબ્રુઆરીમાં હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ પરિશ્રમ સોસાયટીમાં રહેતા એક યુવાનને અફીણ મંગાવી પોલીસની ખોટી ઓળખ આપી ત્રણ જણા તેને વાહનમાં બેસાડી કેસ કરવાની ધમકી આપી રૂ.પ૦ લાખની ખંડણી માંગી હતી જોકે ત્યારબાદ પતાવટ કરવા માટે હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામના એક તથા અન્ય એક જણાએ રૂ.૮ લાખની ખંડણી માંગી હોવાની ફરીયાદ રવિવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.

આ અંગે પરિશ્રમ સોસાયટીમાં રહેતા સુરેન્દ્ર સત્યનારાયણ સુથારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૦ ફેબ્રુઆરીના રોજ રાત્રે તેઓ ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ પર સ્વામિનારાયણ મંદિર કાંકણોલ પાછળ રહેતા એક રહીશે ફોન કરીને જણાવ્યું હતું કે તારા સાળા રતન કિશનલાલ સુથારને પોલીસે અફીણની પડીકી સાથે પકડી લીધો છે અને પોલીસ પતાવટ કરવા માટે રૂ.૧૦ લાખ માંગે છે તેમ કહેતાં સુરેન્દ્ર સુથાર સાથે વાત કરાવો તેવું જણાવ્યું હતું. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા શખ્સે એવું કહયું હતું કે સોસાયટીના નાકે આવી જાવ તેમ કહી રતનને બચાવવા માટે પ્રાથમિક તબક્કે રૂ.૧૦ લાખની માંગણી કરી હતી. ત્યારબાદ સુરેન્દ્ર સુથારે અન્ય પરિચીતોને સઘળી હકિકતથી વાકેફ કર્યા હતા. 

ત્યારબાદ સુરેન્દ્ર રૂ.૮ લાખ લઈને ફોન કરનાર યુવકને મળવા માટે આવી ગયો હતો જોકે અગાઉ સમગ્ર મામલો ખુબજ ગંભીર હોવાને કારણે રૂ.પ૦ લાખની માંગણી કરવામાં આવી હતી તેમ છતાં રૂ.૮ લાખની ખંડણી લીધા બાદ સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતો શખ્સ અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામના એક યુવકને સાથે રાખી રૂ.૮ લાખ લઈ મોતીપુરા વિસ્તારમાં આવેલ બ્રિજ નીચે પહોંચી ગયા હતા જયાં અગાઉથી થયેલી ગોઠવણ મુજબ આ બંને જણાએ સુરેન્દ્ર સુથારને કહયું હતું કે અમે તમારા સાળા રતનને છોડાવી દઈશું તથા રૂ.૮ લાખ પોલીસને આપી રતનને લઈ પરત આવું છું.

તેમ કહયા બાદ આ બંને જણા સફેદ ગાડીમાં બેસી અમદાવાદ તરફ નિકળી ગયા હતા. ત્યારબાદ તે જ દિવસે રાત્રે સુરેન્દ્રના સાળા રતન હિંમતનગર આવ્યો છું તેવું ફોન પર જણાવતા સુરેન્દ્ર સુથાર તેમને લેવા માટે ગયા હતા. ત્યારબાદ ઘરે આવ્યા પછી સુરેન્દ્ર સુથારના સાળા રતને સમગ્ર હકિકતથી વાકેફ કરીને કહયું હતું કે સ્વામિનારાયણ સોસાયટી પાછળ રહેતા યુવાને મને ફોન કરીને મારે અફીણની જરૂર છે તેમ કહી મને સહકારી જીન વિસ્તારમાં બોલાવ્યો હતો જયાં બાઈક પર આવેલા અન્ય એક જણે દૂધ લઈને આવુ છું તેમ કહી ગયો હતો. ત્યારબાદ સાઈડમાં ઉભેલી એક કારમાંથી ઉતરેલા અજાણ્યા શખ્સે કહયું હતું કે અમો પોલીસમાં છીએ, ગાંધીનગરથી આવીએ છીએ તેમ કહી તારૂ નામ રતન છે તેમ કહી મને ગાડીમાં લઈ ગયા હતા.

જોકે બાકીના રૂ.ર લાખની ઉઘરાણી અવાર નવાર કરવામાં આવતી હતી ત્યારબાદ રતને કહયું હતું કે મારી પાસે પૈસા નથી તેમ કહેતાં આ બંને જણાએ ધમકી આપી હતી કે જો રૂ.ર લાખ નહીં આપે તો તને જેલમાં પુરી દઈશું. ત્યારબાદ રતને કહયું હતું કે હું જાતે પોલીસે સ્ટેશન જાઉ છું તેમ કહેતા સામે વાળાએ ફોન કટ કરી દીધો હતો. આખરે સુરેન્દ્ર સુથારે હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં રહેતા અને સોનાસણ ગામના એક યુવાન સહિત અજાણી વ્યક્તિ મળી ત્રણ વિરૂધ્ધ રવિવારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા એ-ડીવીઝનના પીએસઆઈ એન.બી.વાઘેલાએ ભારતીય ન્યાય સંહિતની કલમ ૧૪૦(ર), ૩૦૮(ર), ૩૧૯(ર), ર૦૪ અને પ૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • (કોની વિરૂધ્ધ ફરીયાદ નોંધાવાઈ)

-વિપુલ રેવાભાઈ વણકર (રહે.સોનાસણ, તા.પ્રાંતિજ)

-વિરેન્દ્ર રોશનલાલ ખટીક (રહે.સ્વામિનારાયણ મંદિર પાછળ, કાંકણોલ રોડ, હિંમતનગર)

-તથા અન્ય એક અજાણ્યો શખ્સ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %