પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભાખરીયા બસ સ્ટેન્ડ આગળ સોમવારે વોઈસ મેસેજ કરવા બાબતે હાઈવે પર આવેલ વણઝારાવાસમાં રહેતા એક યુવાન સાથે સાત જણાએ એકસંપ થઈ આવી ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે વણઝારાવાસમાં રહેતા જુગનાથ ડાહ્યાજી વણઝારાએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ સોમવારે કિરણસિંહ કાળુસિંહ રાઠોડએ વોટ્સઅપ ગ્રુપમાં વોઈસ મેસેજ કર્યો હતો જે બાબતે હિરાજી ડાહ્યાજી વણઝારાએ પુછયુ હતું જેથી તેની અદાવત રાખીને કાળુસિંહ રાઠોડ, હરપાલસિંહ કિરણસિંહ રાઠોડ, સુમિતસિંહ કરશનસિંહ રાઠોડ, અંકિતસિંહ કરશનસિંહ રાઠોડ, હિતેશસિંહ,પાર્થ તથા ઉંમગ પટેલે એકસંપ થઈ આવી જુગનાથ વણઝારા તથા પીરાજીને પકડી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો.
એટલુ જ નહીં પણ ઉશ્કેરાયેલા આ સાતેય જણાએ આવેશમાં આવી જઈ હુમલો કરી દશરથજી મગનજી વણઝારાને પણ માર મારી જુગનાથ વણઝારા તથા અન્યને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી જુગનાથ વણઝારાએ સાતેય વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.