ઈડરમાં ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટર પર એસએમસીનો દરોડો. ૧ર થી વધુ લેપટોપ, ૧૦ મોબાઈલ સહિત અન્ય સાધન સામગ્રી કબજે લેવાઈ.
0 0
Read Time:1 Minute, 47 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલ ભરચક વિસ્તાર સ્થિત એક કોમ્પ્લેક્ષમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ અંગે તાજેતરમાં સ્ટેટ વિજીલન્સને કેટલાક આધાર પુરાવા સાથે મળેલી વિગતો બાદ એસએમસીની ટીમે સોમવારે મધરાતે અને મંગળવારે વહેલી પરોઢે ટીમ સાથે આવી ઈડરના આ કોલ સેન્ટર પર દરોડો પાડીને દસ્તાવેજી પુરાવાઓની બંધ બારણે તપાસ હાથ ધરી છે. 

ત્યાબાદ લગભગ ૧પ કલાકથી વધુ તપાસ અને ૧૦ થી વધુ લોકોની સઘન પુછપરછ કરાયા બાદ મંગળવારે સાંજના સુમારે તપાસનીશ અધિકારીઓએ કોલ સેન્ટરમાં સંડોવાયેલા અને કામ કરતાં ૧૦થી વધુ લોકોની પ્રાથમિક ધોરણે અટકાયત કરી હતી.ત્યારબાદ તેમની પાસેથી એસએમસીની ટીમે ૧ર થી વધુ લેપટોપ,૧૦ મોબાઈલ સહિત કોલ સેન્ટરમાં ઉપયોગમાં લેવાતા અન્ય સાધન સામગ્રી કબજે લીધી હતી. 

તપાસની પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ થયા બાદ પકડાયેલા આ શખ્સોને ઈડર પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. જેથી હવે પછી તેમની વિરૂધ્ધ જ્યારે પણ ફરીયાદ દાખલ થશે તે પછી એસએમસીની ટીમ પુછપરછ દરમ્યાન કોલ સેન્ટર ક્યારથી કેવી રીતે ? અને કોના આર્શિવાદથી ચાલતું હતુ તેની વિગતો બહાર આવે તો નવાઈ નહી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગાંભોઈથી બામણા રોડ પરથી રૂા.પ.ર૦ લાખનો દારૂ અને બિયરનો જથ્થો પકડાયો. ટેમ્પાનો ચાલક ટેમ્પો મૂકીને ભાગી ગયો, પોલીસે રૂા. ૧૦.ર૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો.
0 0
Read Time:1 Minute, 47 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાંથી સ્થાનિક પોલીસે બાતમીને આધારે મંગળવારે બામણા જતાં રોડ પરથી એક ટેમ્પામાં ભરી ગેરકાયદે હેરાફેરી કરાઈ રહેલ અંદાજે રૂા. પ.ર૦ લાખની કિંમતની ૧૪૭૬ દારૂ અને બિયરની બોટલો કબજે લઈ ભાગી ગયેલ ટેમ્પોના ચાલક વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે ગાંભોઈના પી.આઈ એસ.જે.ગોસ્વામી તથા સ્ટાફના પો.કો સુરેશભાઈ ના જણાવાયા મુજબ મંગળવારે તેમને એવી બાતમી મળી હતી કે ભિલોડા તરફથી એક ટેમ્પામાં પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો ગાંભોઈ તરફ લવાઈ રહ્યો છે જે આધારે ગાંભોઈ પોલીસે આડા હાથરોલની સીમમાં વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબ આવી રહેલ ટેમ્પો નં. જીજેર૭ટીડી પ૦પ૯ને અટકાવવા માટે પોલીસે ઈશારો કર્યો હતો. પરંતુ ટેમ્પોના ચાલક બામણા ત્રણ રસ્તાથી કોલેજ જતાં રોડની બાજુમાં ટેમ્પો મૂકીને ચાલક ભાગી ગયો હતો.

ત્યારબાદ ગાંભોઈ પોલીસે ટેમ્પાની બોડીમાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી ૧૪૭૬ બિયર અને દારૂની બોટલો બંધ બોક્સમાંથી ઝડપી લીધી હતી. ત્યારબાદ પોલીસે રૂા. ૧૦.ર૦ લાખનો મુદ્દામાલ કબજે લઈને ગાંભોઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ધાણધા પાસે આધેડનો મળેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો. ધાણધામાં આધેડની હત્યા કરનાર પૂત્ર અને ભત્રીજાએ માથામાં ફટકા માર્યા.
0 0
Read Time:3 Minute, 57 Second

 રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

ઘર કંકાસને લઈને બોથડ પદાર્થથી ઘા ઝીંકી પિતાને પતાવી દીધા

બીએસઅસીમાં અભ્યાસ કરતાં પૂત્રને પિતા કનડગત કરતાં હોવાનો આક્ષેપ એફએસએલ અને પોસ્ટમર્ટમના રીપોર્ટ બાદ બી.ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો, બંનેની ધરપકડ કરી

ઘટનાના દિવસે પોલીસે શકમંદોને ઝડપી લીધા હતા. હિંમતનગર-ઈડર રોડ પર આવેલ તથા બી.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદના ધાણધા વિસ્તારમાં આવેલ એક દાળમીલ પાછળથી છ દિવસ અગાઉ ઝાડી-ઝાંખરામાંથી એક પપ વર્ષની આધેડની લાશ મળી આવ્યા બાદ જિલ્લા પોલીસવડા, એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસે ઘટનાના બીજા દિવસે સ્થળ મુલાકાત લઈને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે તત્કાલિન સમયે પોલીસે કેટલાક શકમંદોની અટકાયત કરી લીધી હતી. દરમ્યાન આધેડના મોતનું કારણ શોધવા માટે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને મૃતકના વિસેરા એફએસએલમાં મોકલી આપ્યા હતા. બીજી તરફ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કેટલાક લોકોની પુછપરછ કર્યા બાદ સોમવારે આધેડની હત્યા કરનાર પૂત્ર અને ભત્રીજાની પોલીસે ધરપકડ કર્યા બાદ બંને વિરૂધ્ધ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહીલ, એસઓજીના પી.આઈ. ડી.સી.પરમાર, પી.એસ.આઈ પી.એમ.ઝાલા તથા સ્ટાફના જણાવાયા મુજબ ગત તા. ૧૮ ફેબ્રુઆરીની રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ પપ વર્ષીય ગોપાલ શંકરભાઈ ઓડની લાશ દાળમીલ પાછળ આવેલ ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તા. ૧૯ ફેબ્રુઆરીના રોજ જિલ્લા પોલીસવડા તથા અન્ય શાખાના પી.આઈ અને પી.એસ.આઈ સહિત બી. ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ પોલીસે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ મૃતકના પરિવારજનો તથા આસપાસમાં રહેતા રહીશોની પુછપરછ કરી હતી.

તો બીજી તરફ મોતનું સાચુ કારણ શોધવા માટે પોલીસે ગોપાલ ઓડની લાશ પી.એમ માટે હિંમતનગર સિવીલમાં મોકલી આપી હતી. જ્યાં મૃતકના વિસેરા લઈ વધુ તપાસ માટે એફએસએલની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જેનો અહેવાલ શનિવારે આવી ગયો હતો. જેમાં મૃતક પર બોથડ પદાર્થથી માથામાં ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ લાશને દાળમીલ પાછળ નાંખી દીધી હતી.

તો બીજી તરફ એલસીબી, એસઓજી અને બી. ડિવિઝન પોલીસે બનાવેલી અલગ-અલગ ટીમોએ તપાસ કરી સીસીટીવીના સર્વેલન્સ, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્ચ મારફતે તપાસ કરતાં ગોપાલ ઓડનું મોત નિપજાવનાર તેનો પૂત્ર મિતેશ ઓડ (ઉ.વ.ર૬) તથા ભવાની રેસીડેન્સીમાં આવેલ ભાડાના મકાનમાં રહેતો ઈશ્વર શામળ ઓડએ ભેગા મળીને ગોપાલ ઓડની હત્યા કરી દીધાનું તપાસમાં બહાર આવ્યા બાદ સોમવારે મૃતકના પૂત્ર રવિ ગોપાલ ઓડની ફરીયાદને આધારે મિતેશ ઓડ તથા ઈશ્વર ઓડ વિરૂધ્ધ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %