Breaking News
હિંમતનગરમાં વ્યાજે લીધેલ રૂ.૧૦ લાખને બદલે રૂ.૬૦ લાખ ચુકવ્યા હોવા છતાં ત્રાસ અપાતાં એક વિરૂધ્ધ ફરીયાદ. છાપરીયામાં રહેતા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી મરાવી નાખવાની ધમકી આપી.
0 0
Read Time:3 Minute, 16 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગરમાં વ્યાજે લીધેલ રૂ.૧૦ લાખને બદલે રૂ.૬૦ લાખ ચુકવ્યા હોવા છતાં ત્રાસ અપાતાં એક વિરૂધ્ધ ફરીયાદ. છાપરીયામાં રહેતા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી મરાવી નાખવાની ધમકી આપીરાજયમાં ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે તેમ છતાં હિંમતનગરના ચિસ્તીયાનગરમાં રહેતા એક રહીશે આઠ વર્ષ અગાઉ હડિયોલપુલ છાપરીયા વિસ્તારમાં રહેતા અને નાણાં ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં માસિક ૧૦ ટકાના વ્યાજે રૂ.૧૦ લાખ આપ્યા બાદ પાંચ વર્ષ સુધી વ્યાજ અને લીધેલ રકમ મળી અંદાજે રૂ.૬૦ લાખ અને પેનલ્ટી પેટે દર મહિને રૂ.૧પ હજાર ચુકવ્યા હોવા છતાં છાપરીયા વિસ્તારમાં રહેતા વ્યાજખોરે અમદાવાદના માણસો મારફતે ઉઠાવી મરાવી નાખવાની ધમકી આપી આખા પરિવારને માનસિક અને આર્થિક રીતે ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ સોમવારે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

આ અંગે ચિસ્તીયાનગરમાં રહેતા નજરમોહમદ ઈન્દ્રીશભાઈ મેમણે વર્ષ ર૦૧૮માં હડિયોલપુલ છાપરીયા વિસ્તારમાં રહેતા ફીરોજખાન ઉર્ફે વકાર ઈકબાલભાઈ પઠાણ પાસેથી માસિક ૧૦ ટકાના વ્યાજે રૂ.૧૦ લાખ લીધા હતા. જેના માટે પાંચ વર્ષ સુધી માસિક રૂ.૧ લાખ લેખે રૂ.૬૦ લાખ વ્યાજ સાથે ચુકવ્યા હતા. જેમાં રૂ.પ લાખ મુડી પેટે જમા કરાવી દીધા હતા તેમ છતાં ફીરોજખાન પઠાણે રૂ.૧પ લાખ લેવાના નિકળતા બાકી હોવાનો હિસાબ કાઢી બે વર્ષથી નજરમોહમદ મેમણ પાસેથી માસિક રૂ.૧પ હજાર લેખે લીધા હતા.

તેમ છતાં ફીરોજખાન પઠાણ દ્વારા અવાર નવાર મોબાઈલ પર ફોન કરી તેમજ ઘરે જઈ ઉપરાંત બજારમાં આવતા જતા વખતે નજરમોહમદ મેમણને ગાળો બોલી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી એટલુ જ નહીં પણ ફીરોજખાન પઠાણે અમદાવાદથી તેના માણસો બોલાવીને મરાવી નાખવાની ધમકી આપી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. વ્યાજખોરના ત્રાસથી કંટાળી નજરમોહમદ મેમણ અમદાવાદ રહેવા જતા રહયા હતા.જયારે તેમના પત્નિ અને બાળકો હિંમતનગરમાં રહેતા હતા.જેથી ફીરોજખાન પઠાણે હિંમતનગરમાં રહેતા નજરમોહમદ મેમણની પત્નિ અને બાળકોને ઉઠાવી જવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કંટાળીને નજરમોહમદ મેમણે ફીરોજખાન પઠાણ વિરૂધ્ધ સોમવારે હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ચેક રીટર્ન કેસમાં ખિલોડાના રહીશને એક વર્ષની સજા.
0 0
Read Time:2 Minute, 5 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર તાલુકાના નાની બેબાર ગામના રહીશે તેમની પડોશમાં આવેલ ખિલોડા ગામના એક રહીશને ત્રણ વર્ષ અગાઉ હાથ ઉછીના પેટે રૂ.ર લાખ આપ્યા હતા ત્યારબાદ વાયદા મુજબ રકમ પરત ન કરતાં નાની બે બાર ગામના રહીશે પોતાની પાસેનો ચેક બેંકમાં ભર્યો હતો પરંતુ અપુરતા બેલેન્સને લઈને ચેક રીટર્ન થયો હતો ત્યારબાદ ખિલોડા ગામના રહીશ વિરૂધ્ધ હિંમતનગરની કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો જેની સુનાવણી તાજેતરમાં થતાં ન્યાયાધીશે ખિલોડા ગામના રહીશને કસુરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ અંગે એડવોકેટ જે.પી.નાયકના જણાવાયા મુજબ વર્ષ ર૦ર૩માં નાની બેબાર ગામના સત્યપાલસિંહ કનકસિંહ સિસોદીયાએ ખિલોડા ગામના અમરતભાઈ સબાભાઈ તરારને હાથ ઉછીના પેટે રૂ.ર લાખ આપ્યા હતા. જોકે રકમ આપતી વખતે સત્યપાલસિંહએ અમરતભાઈ તરાર પાસેથી ચેક લીધા હતા ત્યારબાદ વાયદા મુજબ રકમ પરત ન થતાં સત્યપાલસિંહે અમરતભાઈ તરારે આપેલ ચેક બેંકમાં ભર્યો હતો પરંતુ અપુરતા બેલેન્સને લઈને ચેક રીટર્ન થયો હતો.

ત્યારબાદ સત્યપાલસિંહએ એડવોકેટ જે.પી.નાયકની મદદથી હિંમતનગરની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કર્યો હતો ત્યારબાદ તાજેતરમાં આ કેસની સુનાવણી થતાં હિંમતનગરની કોર્ટના ન્યાયાધીશ પી.બી.બોહરા સમક્ષ ચાલી જતાં ન્યાયાધીશે અમરતભાઈ તરારને કસુરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા અને વળતર પેટે ચેકમાં ભરાયેલ રકમ ચુકવી આપવાનો હુકમ કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને કલેકટર દ્વારા ૧૧ જાહેરનામા પ્રસિધ્ધ કરાયા.
0 0
Read Time:2 Minute, 52 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

રાજય ચૂંટણીપંચ દ્વારા તાજેતરમાં સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો પ્રસિધ્ધ કરાઇ છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત શરૂ કરાઇ છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાયદો-વ્યવસ્થા તથા આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સાબરકાંઠા કલેકટરે શનિવારે ૧૧ જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. જેથી તેનો અમલ કરવા માટે સંલગ્ન વિભાગને જવાબદારી સોંપાઇ છે. 

ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટર નારાયણસિંગ સાદુએ સત્તાની રૂએ જાહેર કરેલા જાહેરનામા મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે જાહેરમાં હથિયાર લઇને ફરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. જેથી પરવાનેદાર હથિયાર ધારકોએ તેમના હથિયાર જમા કરાવવાના રહેશે, ઉમેદવારી પત્ર ભરતી વખતે માત્ર ૫ વ્યક્તિ અને વધુમાં વધુ ત્રણ વાહનોને જ પ્રવેશ મળશે, ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે વાહનોની પરમિટ મેળવવી ફરજિયાત રહેશે, ચૂંટણીલક્ષી ચોપાનીયા-ભીંતપત્રો, હોર્ડીંગ, પ્લેકાર્ડ કટઆઉટ સહિતના પ્રચારના અન્ય સાધનો-બોર્ડ, જાહેર કે ખાનગી મિલ્કત ઉપર પ્રદર્શિત કરવા માટે માર્ગદર્શક નિયમોનું પાલન કરવાનું રહેશે.

ચોપાનીયા-ભીંતપત્રોના છાપકામ અંગે ખાનગી મુદ્રણાલયોના મુદ્રકો-પ્રકાશકો નિયમોનો ભંગ કરશે તો તેમની સામે કડક પગલા લેવાશે, રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધીની વિગતો સંલગ્ન વિભાગને આપવાની રહેશે, મતગણતરી કેન્દ્ર ઉપર કે તેની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધ હુકમો જાહેર કરાયા છે. જેમાં તમામ મતદાન કેન્દ્રોની અંદર તથા તેની ૧૦૦ મીટરના અંતરમાં અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ હુકમો ફરમાવાયો છે. જિલ્લામાં ચૂંટણી વાળા વિસ્તાારોમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે, જાહેરસભા, સરઘસ કે વાહનો ઉપર ગોઠવેલ લાઉડ સ્પીકરના ઉપયોગને લઈને તંત્ર પાસેથી જરૂરી મંજૂરી લેવાની રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
માધવ ગઢના ૧૪ ખેડૂતો દ્વારા જમીન વળતર પ્રશ્ને વિવાદ. હિંમતનગર કોર્ટનો આદેશ છતાં ૧૯ વર્ષથી વળતર માટે રાહ જોતા ખેડૂતોએ ફરી કોર્ટનો દરવાજો ખખડાવ્યો.
1 0
Read Time:3 Minute, 18 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

તલોદ તાલુકાના માધવગઢ ગામના આશરે ૧૪ ખેડૂતો દ્વારા જમીન સંપાદન મામલે મળવાપાત્ર વળતર માટે લાંબા સમયથી લડત ચાલી રહી છે. આ મામલે વર્ષ ૨૦૦૭માં હિંમતનગરની કોર્ટમાં કેસ નંબર ૪૨/૦૭ થી ૪૬/૦૭ દાખલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ખેડૂતોને મળવાપાત્ર જમીનનું વળતર ન મળતા આ અસરગ્રસ્ત ખેડૂતોએ તાજેતરમાં જિલ્લા પંચાયતમાં આવી વળતર માટે રજૂઆત કરી હતી. જોકે તંત્ર દ્વારા જપ્તીના આદેશ થયા બાદ માધવગઢના ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી છે. 

આ અંગેની વિગત એવી છે કે તલોદ તાલુકાના માધવગઢ ગામની સીમમાં જમીન ધરાવતા ૧૪ ખેડૂતોને કપાતમાં જતી જમીનનું વળતર મેળવવા માટે તેમને ૧‌૯ વર્ષ અગાઉ હિંમતનગરની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેનો ચુકાદો કોર્ટ દ્વારા ૨૯ જૂન ૨૦૧૭ના રોજ ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપતા તત્કાલિન ન્યાયાધીશે ખેડૂતોને અંદાજે રૂ. ૧૦,૫૦,૭૭૯ વળતર તથા વર્ષ ૧૯૮૮થી ૧૫ ટકા વ્યાજ દરે ચુકવણી કરવાનો હુકમ કર્યો હતો. તેમ છતાં, જિલ્લા પંચાયત દ્વારા આ રકમ આજદિન સુધી ચૂકવવામાં આવી નથી તેવો માધવગઢ ગામના ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ. 

તંત્ર દ્વારા માધવગઢના ૧૪ ખેડૂતોને સમયસર ચુકવણી ન થતાં વ્યાજ સાથે અંદાજે વળતરની રકમ રૂ.૬૮,૫૮,૯૫૯ થાય છે. જેથી વળતર મેળવવા માટે આ ખેડૂતોએ ફરી કોર્ટમાં જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. કોર્ટ દ્વારા આ મામલે કાર્યપાલક ઇજનેર અને જિલ્લા પંચાયતના માર્ગમકાન વિભાગ વિરુદ્ધ જપ્તી વોરંટ બહાર પાડવામાં આવ્યું હતુ. જે સંદર્ભે કોર્ટના બેલીફ તથા વકીલ બી.આર. પટેલ ખેડૂતો સાથે તાજેતરમાં જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. જેથી સંબંધિત અધિકારીઓએ એક અઠવાડિયાનો સમય માગ્યો હતો અને તે સમયગાળામાં ચુકવણી કરવાની ખાતરી આપી હતી તેમજ કોર્ટમાં હાજર રહેવા હૈયાધારણ આપી હતી. 

ઉલ્લેખનીય છે કે ખેડૂતોને વળતર મેળવવા માટે ૨૦૦૭થી ૨૦૨૬ સુધી લાંબો સમય રાહ જોવી પડી છે. શરૂઆતમાં ખેડૂતો દ્વારા પ્રતિ ખેડૂત રૂ. ૧૦ લાખ વળતરની માંગણી કરવામાં આવી હતી. પરંતુ દસ્તાવેજી પુરાવા આધારે કોર્ટ દ્વારા જમીનના પ્રતિ આરે રૂ. ૧૦૦૦ મુજબ તેમજ લાગુ નિયમો અનુસાર વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. હવે જોવાનું રહ્યું કે જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદામાં ખેડૂતોને તેમનો હકનો વળતર મળે છે કે નહીં. આ સંદર્ભે તલોદના માધવગઢ ગામે અનેક તર્કવિર્તક શરૂ થયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %