દારૂના ગુનામાં સંડોવાયેલ ફરાર શખ્સ પકડાયો.
0 0
Read Time:1 Minute, 3 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં દારૂની ગેરકાયદે હેરાફેરી તથા વેચાણ કરવાના ગુનામાં સંડોવાયેલ બીંછીવાડા તાલુકાના મોદર ગામનો એક શખ્સને તાજેતરમાં બી-ડીવીઝન પોલીસે પકડી લાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગે બી-ડીવીઝનના પીઆઈ એ.એમ.ચૌધરી તથા સ્ટાફના જણાવાયા મુજબ થોડાક સમય અગાઉ બીંછીવાડા તાલુકાના મોદર ગામે રહેતા અશ્વિન કાંતિલાલ ડામોર વિરૂધ્ધ ગુનો દાખલ થયો હોવા છતાં તે પકડાયો ન હતો. દરમ્યાન બાતમીને આધારે બી-ડીવીઝન પોલીસે તાજેતરમાં અશ્વિન ડામોરને મોદર ગામેથી ઝડપી લીધો હતો ત્યારબાદ તેને હિંમતનગર લાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ઇડરના સરકારી ગોડાઉનમાં આંટાફેરા મારતા શંકાસ્પદ વ્યકિત અંગે અનેક તર્કવિર્તક. આ વ્યકિતને અગાઉ પુરવઠા વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ કરાયો હતો.
0 0
Read Time:1 Minute, 55 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના ઇડરના લાલોડા-સવગઢ રોડ પર આવેલ નાગરિક અન્ન પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનમાં છેલ્લા કેટલાક દિવસોથી સરકારે બ્લેકલિસ્ટ કરેલ એક શંકાસ્પદ વ્યકિતના આંટાફેરા વધી ગયા હોવાનું માનીને ઇડર સહિત અન્ય સરકારી કચેરીઓમાં અનેક તર્કવિર્તક શરૂ થયા છે. 

આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઇડરના આ ગોડાઉનનો કોન્ટ્રાકટ રમેશ પ્રજાપતિને આપવામાં આવ્યો છે. જયાં દરેક ઠેકાણે અનાજ મોકલવા માટે વાહનોનો કોન્ટ્રાકટ તેમની પાસે છે. ત્યારે તેમણે પેટા કોન્ટ્રાકટ તરીકે નારાયણ ખટીકને રાખ્યા છે. સ્થાનિકોના કહેવા મુજબ આ નારાયણ ખટીક સામે અગાઉ પોલીસ ફરિયાદ થઇ હોવાને કારણે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે તેમ છતાં રમેશ પ્રજાપતિ દ્વારા નારાયણ ખટીકને મહત્વ અપાઇ રહ્યું છે. જેથી તેઓ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાની ચર્ચા શરૂ થઇ છે. તો બીજી તરફ અનાજ મોકલવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોનું ફિટનેસ પ્રમાણપત્ર,જીપીએસ સિસ્ટમ તથા વાહન અમુક વર્ષનું હોવું જોઇએ તેવો નિયમ હોવા છતાં અનાજની હેરાફેરીમાં જૂના વાહનોનો ઉપયોગ કરાતો હોવાનું મનાઇ રહ્યું છે. તેથી પુરવઠા વિભાગ દ્વારા સત્વરે તપાસ કરીને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરમાં વ્યાજે લીધેલ રૂ.૧૦ લાખને બદલે રૂ.૬૦ લાખ ચુકવ્યા હોવા છતાં ત્રાસ અપાતાં એક વિરૂધ્ધ ફરીયાદ. છાપરીયામાં રહેતા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી મરાવી નાખવાની ધમકી આપી.
0 0
Read Time:3 Minute, 16 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગરમાં વ્યાજે લીધેલ રૂ.૧૦ લાખને બદલે રૂ.૬૦ લાખ ચુકવ્યા હોવા છતાં ત્રાસ અપાતાં એક વિરૂધ્ધ ફરીયાદ. છાપરીયામાં રહેતા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી મરાવી નાખવાની ધમકી આપીરાજયમાં ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે તેમ છતાં હિંમતનગરના ચિસ્તીયાનગરમાં રહેતા એક રહીશે આઠ વર્ષ અગાઉ હડિયોલપુલ છાપરીયા વિસ્તારમાં રહેતા અને નાણાં ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં માસિક ૧૦ ટકાના વ્યાજે રૂ.૧૦ લાખ આપ્યા બાદ પાંચ વર્ષ સુધી વ્યાજ અને લીધેલ રકમ મળી અંદાજે રૂ.૬૦ લાખ અને પેનલ્ટી પેટે દર મહિને રૂ.૧પ હજાર ચુકવ્યા હોવા છતાં છાપરીયા વિસ્તારમાં રહેતા વ્યાજખોરે અમદાવાદના માણસો મારફતે ઉઠાવી મરાવી નાખવાની ધમકી આપી આખા પરિવારને માનસિક અને આર્થિક રીતે ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ સોમવારે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

આ અંગે ચિસ્તીયાનગરમાં રહેતા નજરમોહમદ ઈન્દ્રીશભાઈ મેમણે વર્ષ ર૦૧૮માં હડિયોલપુલ છાપરીયા વિસ્તારમાં રહેતા ફીરોજખાન ઉર્ફે વકાર ઈકબાલભાઈ પઠાણ પાસેથી માસિક ૧૦ ટકાના વ્યાજે રૂ.૧૦ લાખ લીધા હતા. જેના માટે પાંચ વર્ષ સુધી માસિક રૂ.૧ લાખ લેખે રૂ.૬૦ લાખ વ્યાજ સાથે ચુકવ્યા હતા. જેમાં રૂ.પ લાખ મુડી પેટે જમા કરાવી દીધા હતા તેમ છતાં ફીરોજખાન પઠાણે રૂ.૧પ લાખ લેવાના નિકળતા બાકી હોવાનો હિસાબ કાઢી બે વર્ષથી નજરમોહમદ મેમણ પાસેથી માસિક રૂ.૧પ હજાર લેખે લીધા હતા.

તેમ છતાં ફીરોજખાન પઠાણ દ્વારા અવાર નવાર મોબાઈલ પર ફોન કરી તેમજ ઘરે જઈ ઉપરાંત બજારમાં આવતા જતા વખતે નજરમોહમદ મેમણને ગાળો બોલી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી એટલુ જ નહીં પણ ફીરોજખાન પઠાણે અમદાવાદથી તેના માણસો બોલાવીને મરાવી નાખવાની ધમકી આપી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. વ્યાજખોરના ત્રાસથી કંટાળી નજરમોહમદ મેમણ અમદાવાદ રહેવા જતા રહયા હતા.જયારે તેમના પત્નિ અને બાળકો હિંમતનગરમાં રહેતા હતા.જેથી ફીરોજખાન પઠાણે હિંમતનગરમાં રહેતા નજરમોહમદ મેમણની પત્નિ અને બાળકોને ઉઠાવી જવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કંટાળીને નજરમોહમદ મેમણે ફીરોજખાન પઠાણ વિરૂધ્ધ સોમવારે હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ચેક રીટર્ન કેસમાં ખિલોડાના રહીશને એક વર્ષની સજા.
0 0
Read Time:2 Minute, 5 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર તાલુકાના નાની બેબાર ગામના રહીશે તેમની પડોશમાં આવેલ ખિલોડા ગામના એક રહીશને ત્રણ વર્ષ અગાઉ હાથ ઉછીના પેટે રૂ.ર લાખ આપ્યા હતા ત્યારબાદ વાયદા મુજબ રકમ પરત ન કરતાં નાની બે બાર ગામના રહીશે પોતાની પાસેનો ચેક બેંકમાં ભર્યો હતો પરંતુ અપુરતા બેલેન્સને લઈને ચેક રીટર્ન થયો હતો ત્યારબાદ ખિલોડા ગામના રહીશ વિરૂધ્ધ હિંમતનગરની કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો જેની સુનાવણી તાજેતરમાં થતાં ન્યાયાધીશે ખિલોડા ગામના રહીશને કસુરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ અંગે એડવોકેટ જે.પી.નાયકના જણાવાયા મુજબ વર્ષ ર૦ર૩માં નાની બેબાર ગામના સત્યપાલસિંહ કનકસિંહ સિસોદીયાએ ખિલોડા ગામના અમરતભાઈ સબાભાઈ તરારને હાથ ઉછીના પેટે રૂ.ર લાખ આપ્યા હતા. જોકે રકમ આપતી વખતે સત્યપાલસિંહએ અમરતભાઈ તરાર પાસેથી ચેક લીધા હતા ત્યારબાદ વાયદા મુજબ રકમ પરત ન થતાં સત્યપાલસિંહે અમરતભાઈ તરારે આપેલ ચેક બેંકમાં ભર્યો હતો પરંતુ અપુરતા બેલેન્સને લઈને ચેક રીટર્ન થયો હતો.

ત્યારબાદ સત્યપાલસિંહએ એડવોકેટ જે.પી.નાયકની મદદથી હિંમતનગરની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કર્યો હતો ત્યારબાદ તાજેતરમાં આ કેસની સુનાવણી થતાં હિંમતનગરની કોર્ટના ન્યાયાધીશ પી.બી.બોહરા સમક્ષ ચાલી જતાં ન્યાયાધીશે અમરતભાઈ તરારને કસુરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા અને વળતર પેટે ચેકમાં ભરાયેલ રકમ ચુકવી આપવાનો હુકમ કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %