ભારતીય બંધારણ એક વિસ્તૃત દસ્તાવેજ છે જેમાં કાયદો ઘડવા થી લઇ ને કાયદાની ગુંચવણ કે આંટીઘૂંટી ઉકેલવાની એક ચાવી છે. એટલે બંધારણ થી વિપરીત કોઈ નિયમ સંભવી શકતો નથી ત્યારે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006 ની પદ્ધતિ સુધારવા અંગે ખરડો પસાર કરી જનતાની વાહવાહી લૂંટવાના પ્રયાસ માં દિલ્હી હાઈ કોર્ટ ની જેમ ગુજરાત હાઈ કોર્ટે પણ લપડાક મારી છે.
વ્યક્તિ સ્વતંત્રતા ના મૌલીક અધિકાર ને માન્ય રાખી પુખ્ત વય ની વ્યક્તિ ને પોતાના જીવન સાથી ની પસંદગી કરવા કોઈ રોકી શકે નહી તેવો સ્પષ્ટ ચુકાદો આપ્યો છે.