હિંમતનગરમાં મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો. જૈન સમાજે શોભાયાત્રા કાઢી, અનેક જૈનોએ દેરાસરમાં જઈ પૂજા કરી.
Views: 54
0 0

Read Time:1 Minute, 41 Second

 રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠામાં હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે મંગળવારે ભગવાન મહાવીર સ્વામીના ૨૨૬૪મા જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જે નિમિત્તેે જૈન સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન ભાઈઓ અને બહેનો જોડાયા હતા. એટલુ જ નહીં પણ પ્રાંતિજ,ઈડર,વડાલી, તલોદ સહિતના અન્ય સ્થળે પણ મહાવીર જયંતિની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. 

હિંમતનગરમાં નિકળેલી આ શોભાયાત્રાનો પ્રારંભ વખારીયાવાડ વિસ્તારમાં આવેલા મહાવીર ભગવાન જૈન દેરાસરથી થઈ હતી. ત્યારબાદ આ યાત્રા ટાવર ચોક અને બગીચા વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મહાવીરનગર જૈન દેરાસર ખાતે સમાપ્ત થઈ હતી. ચૈત્ર સુદ તેરસના પવિત્ર દિવસે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસ જૈન સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ અવસરે શહેરના તમામ જિનાલયોને શણગારવામાં આવ્યા હતા. ઉજવણીના ભાગરૂપે જૈન સમાજના સભ્યો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અન્નદાન તેમજ વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરી અન્ય સેવાકીય કાર્યો કર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %