સાબરકાંઠાના ૧૬ પોલીસ કર્મીઓની આંતરિક બદલી.
Read Time:46 Second
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલએ વહીવટી અનુકુળતાને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ૧૬ પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે. જે મુજબ હેડક્વાર્ટસ, ક્યુઆરટી, મહિલા પોલીસ સ્ટેશન, આઇયુસીએડબલ્યુ વિજયનગર,ચિઠોડા, ઇડર અને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ હેકો કોન્સટેબલો તથા વુમન પોલીસ કોન્સ્ટેબલની બદલી કરાઇ છે. આગામી દિવસોમાં જિલ્લા પોલીસવડા વધુ બદલીઓ કરે તેવી શકયતાને નકારી શકાતી નથી.
