પાંચ માસથી ત્રણ ગુનામાં નાસતો ફરતો ઈસમ પકડાયો.
0 0
Read Time:1 Minute, 34 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન તથા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ એકટ તથા દારૂની હેરાફેરીના ત્રણ ગુનામાં સંડોવાયેલ એક ઈસમને સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે બુધવારે તલોદ તાલુકાના પોયડા ગામેથી ઝડપી લીધો હતો ત્યારબાદ વધુ તપાસ માટે તેને હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનને હવાલે કરાયો હતો. 

આ અંગે જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા અને પીએસઆઇ રવિરાજસિંહ જાડેજા ના જણાવાયા મુજબ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તથા સીઆઈડી ક્રાઈમના જીપીઆઈડી એકટ અને દારૂના ત્રણ ગુનામાં સંડોવાયેલ અને બેરણા રોડ પર આવેલ હસ્તીનાપુર પ્લાઝામાં રહેતો અજયસિંહ રજુસિંહ મકવાણા પાંચ માસથી નાસતો ફરતો હતો.

જે અંગે સાબરકાંઠા એલસીબીને મળેલી બાતમી બાદ બુધવારે અજય મકવાણા તલોદ તાલુકાના પોયડા ગામે જીજાજીના ઘરે આવ્યો હોવાની જાણ થયા પછી એલસીબીએ તેને પોયડામાંથી ઝડપી લીધો હતો. ત્યારબાદ તેની અટક કરી વધુ તપાસ માટે હિંમતનગર એ.ડીવીઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રાજસ્થાનથી હિંમતનગર આવતી ખાનગી લકઝરીમાંથી રૂ.૩.૪પ લાખનો દારૂ પકડાયો. પોલીસે બેની ધરપકડ કરી
0 0
Read Time:2 Minute, 16 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગરમાંથી રાજસ્થાન તરફથી આવતા નેશનલ હાઇવે પર સાબરડેરી બ્રિજ પાસે મંગળવારે રાત્રે એ-ડીવીઝન પોલીસે વોચ ગોઠવી બાતમીને આધારે લક્ઝરીમાંથી ૩.૪૫ લાખનો દારૂના જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી ૧૩.૫૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનથી હિંમતનગર થઈ ગુજરાતમાં અન્ય સ્થળે રોજબરોજ કેટલાક શખ્સો પાસ પરમીટ વિના દારૂ અને બિયરની વાહનોમાં ભરી હેરાફેરી કરી રહયા છે ત્યારે મંગળવાર હિંમતનગર એ-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી શામળાજી થઈ અમદાવાદ તરફ જતી લક્ઝરી નંબર આરજે.૧૯પીબી.૬૯૧૪ માં બે જણા પ્લાસ્ટીકની થેલીઓમાં દારૂ ભરી હિંમતનગર થઈ સાબરડેરી તરફ આવી રહયા છે. 

જે બાતમીને આધારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એમ.ચૌધરી તથા સ્ટાફ ના એએસઆઈ સલીમભાઈ, મિતરાજસિંહ, અશ્વિન સિંહ, જયરાજસિંહ સાથે વોચ ગોઠવીને બાતમી મુજબ આવી રહેલ લકઝરીની ઝડતી લીધી હતી જયાં લકઝરી બસની વચ્ચેની સીટના ગુપ્ત ખાનામાં રખાયેલ અંદાજે રૂ.૩.૪પ લાખની પ્લાસ્ટીકની થેલીમાં ભરેલ દારૂ અને બિયરની ૯૬ બોટલો મળી આવતા કબ્જે લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે નાનુરામ નનોમા(મીણા) (રહે.લાપીયા, તા.આસપુર, જિ.ડુંગરપુર, રાજસ્થાન) અને પ્રતાપસિંહ ચૌહાણ (રહે.૪૨,પડાવાડા, તા.જિ. સલુમ્બર, રાજસ્થાન)ની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે રૂ.૩.૪૫ લાખનો દારૂ, લક્ઝરી, મોબાઇલ સહિત ૧૩.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બે સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
અમદાવાદ અમરાઇવાડી માં બુટલેગરો નો આતંક અબિકા નગર માં એકઝ પરીવાર ઊપર જીવ લેણ હુમલો કર્યો
3 0
Read Time:1 Minute, 40 Second

અમદાવાદ: અમરેવાડીમાં પોલીસ સ્ટેશન ની હદમાં દેશી દારૂ અને ઇંગલિશ દારૂના ઠેર ઠેર સ્ટેન્ડો ચાલી રહેલ છે બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે આનો વહીવટ પિયુષભાઈ દેસાઈ નામના વહીવટદાર તરીકે ફરજ નિભાવે છે આ પિયુષભાઈ દ્વારા અન્ય પોલીસ સ્ટેશનના બી કઈક વહીવટો તેઓ દ્વારા કરવામાં આવે છે સુત્રો દ્વારા જાણવા મળતા આ પિયુષભાઈ દેસાઈ દ્વારાજ આ બુટલે કરોને સાવરવામાં આવે છે તેના હિસાબે આમ જનતા હેરાન પરેશાન થઈ રહી છે પરંતુ વહીવટદારોને તો તેમના ખીજા ભરવાના અને ઉપરના ઓફિસરોને ખુશ કરવાના તે કામ જ સોંપવામાં આવ્યું લાગે છે અંબિકાનગર માં દાદી સાથે રેતા યશવંત સોલંકી મઞન સોલંકી સંજય વાધેલા લીલાબેન વાધેલા આ લોકોને ધરમાં તલવારો લય ને બુટલેગર ધરમાં આવી ને મારી ઞયા અને ત્યાં ના સ્થાનિક લોકો ને ખરાબ ઞાળાઞાળી કરી કયા સૂધી આવા બૂટલેઞરો થી ડરી ને રેશૂ સુ પોલીસ પણ આવા બુટલેગર નો સાથ આપે આપણા ઞુજરાત માં દારૂ બંધી છે શું આ અમરાઇવાડી ની પોલીસ ભૂલી ઞય છે

આપણા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબ કેય છે કાયદા માં રેસો તો ફાયદા માં રેસો તો સૂ આ છે તમારો કાયદો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %
હિંમતનગરના મોતીપુરાના કોલેજ રોડ પરના ૭૦થી વધુ દબાણોનો સફાયો. સર્વિસ રોડ ૧૩ મીટરનો બનાવવા નગરપાલિકાએ દબાણો દુર કરવાનું શરૂ કર્યું.
0 0
Read Time:3 Minute, 25 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નેશનલ હાઈવે ૪૮ પર દબાણ હટાવવાની કાર્યવાહી મંગળવારે શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે નગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા જેસીબી તથા સ્ટાફ સાથે મંગળવારે સવારથી જ મોતીપુરામાંથી પસાર થતા સહકારી જીનથી જીઆઈડીસી સુધીના બંને તરફના સર્વિસ રોડ પરના કાચા-પાકા દબાણો દૂર કરવાનું શરૂ કરતાંની સાથે જ આ વિસ્તારમાં કેટલાક દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દિવસ દરમ્યાન નગરપાલિકાએ અંદાજે ૭૦થી વધુ કાચા-પાકા બાંધકામ જેસીબીથી દુર કરી દેવાતાં સર્વિસ રોડ પહોળો બની ગયો છે. 

આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી તથા દબાણ વિભાગના દિપક જાનીના જણાવાયા મુજબ છેલ્લા ધણા વખતથી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવેની સાઈડોમાં લોકોએ તંત્રની પરવાનગી વગર કાચા-પાકા બાંધકામ કરી દીધા હોવાને કારણે રોજબરોજ આ વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા ઉદભવતી હતી.એટલુ જ નહીં પણ વાહન ચાલકો ઉતાવળ અથવા તો ભુલને કારણે કે પછી ઓવરસ્પિડને લીધે અકસ્માત પણ થતા હતા જેમાં અનેક નિર્દોષોએ જીવ ઘુમાવ્યા છે.દરમ્યાન આગામી બે-ચાર દિવસમાં નગરપાલિકાના ચુંટાયેલા હોદ્દેદારોની મુદત પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે મંગળવારે નગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા સહકાર જીનથી જીઆઈડીસી સુધીનો સર્વિસ રોડ કે જે હયાત ૮ મીટરનો છે તેનો વ્યાપ વધારવાના આશયથી રોડ પૈકીના તથા સરકારી જમીનમાં કરાયેલા દબાણો દુર કરવાનું શરૂ કર્યું હતું.

જેના ભાગરૂપે સર્વિસ રોડની બંને તરફ આવેલા ૭૦થી વધુ કાચા-પાકા દબાણો દુર કરવા માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે પછી જયારે આ કાટમાળ દુર થઈ ગયા બાદ રોડ ૧ર મીટરનો બનશે ત્યારે મોતીપુરા વિસ્તારમાં રોજબરોજ થતી ટ્રાફિકની સમસ્યાનો નિવેડો આવે તેવી શકયતા દર્શાવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી હિંમતનગરની ગીચ વસ્તીમાં આવેલી મોટાભાગની હોસ્પિટલો સરકારી જીન વિસ્તાર તરફ ખસી રહી છે ત્યારે રોજબરોજ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા આવતા દર્દીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો તેમાં હવે મહદઅંશે ઘટાડો થવાની શકયતા છે. જોકે વાહન ચાલકોએ પણ જરૂર પડે આ વિસ્તારમાં આવવાનું થાય ત્યારે તેમણે પોતાના વાહન અન્ય કોઈને અડચણરૂપ ન બને તેવી રીતે મુકવા જોઈએ અથવા તો પોલીસ અને આરટીઓ દ્વારા વધુ બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા કરવી જોઈએ તે સમયની માંગ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગર તાલુકામાંથી બે સગીરાનુંં અપહરણ થતાં બે વિરૂધ્ધ ફરીયાદ.
0 0
Read Time:1 Minute, 45 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી બે સગીરાનું તાજેતરમાં બે શખ્સોએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયાના આક્ષેપ સાથેની ફરીયાદ રવિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. 

આ અંગે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ભોગ બનેલ સગીરાના વાલીએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૭ એપ્રિલના રોજ મોડાસા તાલુકાના ડુગરવાડા ગામે રહેતો મિહિર મહેન્દ્રભાઈ પરમાર ૧૭ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતાં સગીરાના વાલીએ ડુગરવાડાના યુવક વિરૂધ્ધ રવિવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરીયાદ નોંધાવી હતી.

તેજ પ્રમાણે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ૧૬ વર્ષની સગીરાને ગત તા.૭ માર્ચના રોજ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની પાણીબાર ગામનો જયેશ નામનો શખ્સ સગીરાને ફોસલાવી પટાવી વાલીપણામાંથી ભગાડી ગયો હતો. જેથી સગીરાના વાલીએ પણ પાણીબાર ગામના જયેશ વિરૂધ્ધ રવિવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ સાથે ગઢોડામાં બેઠક યોજાઈ. સાધુ-સંતો,હિંદુ સંગઠનો અને ગૌભક્તોએ આગામી રણનીતિ ઘડી.
0 0
Read Time:2 Minute, 6 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા ગઢોડા ગામની શ્રીનાથજી ગૌશાળામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માંગ સાથે તાજેતરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ-સંતો, હિંદુ સંગઠનો અને ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 

બેઠકમાં ચર્ચા વિચારણાને અંતે આગામી ૨૭ એપ્રિલે સ્થાનિક કક્ષાએ પ્રાર્થના પત્રો આપી રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રીય દેવ, રાષ્ટ્રીય આરાધ્યા, રાષ્ટ્રીય ધરોહર અથવા રાષ્ટ્રીય આધારનો દરજ્જો આપવા અંગે વિચારણા કરવામાં આવી હતી. જિલ્લાના સાધુ-સંતો, વિશ્વ હિંદુ પરિષદના સભ્યો અને ગૌભક્તોએ આ માંગને બુલંદ બનાવવા માટે ચર્ચા કરી હતી. હિંદુ રાષ્ટ્રમાં ગૌમાતાને સન્માન મળે તે હેતુથી આ માંગ ઉઠી છે. સાથે જ ગૌ સેવા માટે કેન્દ્રીય કાયદો ઘડવામાં આવે અને ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઈએ જેથી ગૌમાતા સંપૂર્ણ રીતે સુરક્ષિત બની શકે. આ માંગણીઓ સ્વીકારાય તે માટે ૧૮ મહિના સુધીનો કાર્યક્રમ નક્કી કરાયો છે. પ્રથમ તબક્કે, સમગ્ર ભારતમાં એક જ દિવસે તાલુકા મામલતદાર, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરને પ્રાર્થના પત્રો આપવામાં આવશે. ત્યારબાદ, સાધુ-સંતો અને વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નક્કી થયા મુજબ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ સુધી રજૂઆત પહોંચાડવામાં આવશે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
” તેરા તુજકો અર્પણ ” ના સુત્રને સાર્થક કરતી ઓઢવ પોલીસ હોળીના તહેવારમાં ભીડમાં ગુમ થયેલ આશરે ત્રણ તોલા વજનનુ સોનાનુ કડુ નંગ:૦૧ કિ.રૂ.૪,૯૮,૦૦૦/- શોધી કાઢી મુળમાલીકને સુપરત કરતી ઓઢવ પોલીસ સર્વલન્સ સ્કોડ.
0 0
Read Time:2 Minute, 33 Second

ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૩/૦૩/૨૦૨૬ ના રોજ અરજદાર નામે વિકાશ પ્રમાનંદજી વૈષ્ણવ ઉ.વ.૩૩ રહે : મ.નં.૯ કેશરપાર્ક સોસાયટી છોટાલાલ ચાર રસ્તા જૈન દેરાસર રોડની બાજુમાં ઓઢવ અમદાવાદ શહેરનાઓએ અરજી આપેલ કે તા.૦૩/૦૩/૨૦૨૬ ના રોજ હોળી નિમીત્તે તેઓના ઘરે નાના બાળકની ઢુંઢનો પ્રસંગ રાખેલ હતો જેમાં તેઓના ઘરેથી ઓઢવ ગામના નાકા સુધી વરઘોડો રાખેલ હતો જે રસ્તા દરમયાનમાં તેમના ભાઈના સાસુ પ્રેમાબેનના હાથમાં પહેરેલ આશરે ત્રણ તોલાનુ સોનાનુ કડુ કિ.રૂ.૪,૯૮,૦૦૦/-નુ રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય જેની તપાસ કરવા અરજી કરતા સદર અરજીની તપાસ ઓઢવ પોલીસ સ્ટેશન સર્વલન્સ સ્કોડના પો.સ.ઈ ડી.આઈ. પટેલ નાઓને સોંપેલ.

બાદ ઉપરી અધિકારી શ્રીઓની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર શ્રી પી.એન.ઝીંઝુવાડીયા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ ડી.આઈ.પટેલ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી અરજદારના ઘરથી ઓઢવ ગામ નાકા સુધીના રૂટ ઉપર આવેલ તમામ સી.સી.ટી.વી કેમેરાની તપાસ કરતા રોડ ઉપરથી વરઘોડો પસાર થયા બાદ બે મહીલાઓ રોડ ઉપરથી કોઈ ચીજવસ્તુ લેતા જણાયેલ બાદ સી.સી.ટી.વી ફુટેજ આધારે બન્ને મહીલાઓની ઓળખ કરી હ્યુમન સોર્સ તેમજ સી.સી.ટી.વી ફુટેજ આધારે આજરોજ તા.૦૮/૦૩/૨૦૨૬ ના રોજ બન્ને મહીલાઓની પુછપરછ કરતા પોતે શાકમાર્કેટ ગયેલ તે સમયે રસ્તામાંથી સોનાનુ કડુ મળેલ અને આજુબાજુમાં તપાસ કરેલ પરંતુ તેના માલીક મળી આવેલ નહી તેમ જણાવેલ બાદ ઉપરોક્ત સોનાનુ કડુ તેના મુળમાલીકને પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

• કાર્યવાહી કરનાર ટીમના માણસો:

  •  પો.સ.ઈ ડી.આઈ.પટેલ

  •  અ.હેડ.કોન્સ વિવેકકુમાર ભીખુભાઈ

  • અ.પો.કો હિતેશભાઈ નાગજીભાઈ

  • અ.પો.કો અનુભવસિંહ તેજબહાદુરસિંહ 

  • અ.પો.કો ભોળુભા જીલુભાઈ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરના ઢુંઢરમાં સામાન્ય બોલાચાલી થતાં ચાર વિરૂધ્ધ ફરીયાદ.
0 0
Read Time:1 Minute, 34 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઢુંઢર ગામે શુક્રવારે સામાન્ય બાબતે બોલાચાલી થતાં ચાર જણાએ સામે પક્ષે ઝઘડો કરી ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

આ અંગે ઢુંઢર ગામે રહેતા કોમલબેન બાબુભાઈએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ શુક્રવારે બપોરના સુમારે ગામમાં રહેતા જયદિપભાઈ રાકેશભાઈ ચમાર તથા ચેતનાબેન ચમારે કોમલબેન ચમારના ઘરે આવી તેણીને તથા તેમના પિતા સાથે અગમ્ય કારણોસર ઝઘડો કર્યો હતો. ત્યારબાદ આ ઉપરાણું લઈને તન્વીબેન રાકેશભાઈ ચમાર તથા રાકેશ ધનાભાઈ ચમારે આવી ગડદાપાટુનો માર મારી પાડી દીધા હતા. જેથી કોમલબેન ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નિવેદન લખાવતા હતા ત્યારે આ ચારેય જણાએ પોલીસ સ્ટેશનમાં આવી કોમલબેનને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી ધમાચકડી મચાવી દીધી હતી. જેથી કોમલબેને ચારેય વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
અંબિકા માતાજી મંદિરનો ત્રિદિવસીય જીર્ણોદ્ધાર મહોત્સવનો આજથી પ્રારંભ. ત્રણ દિવસ મંત્રોચ્ચાર સાથે વિવિધ પૂજા વિધિ યોજાશે.
0 0
Read Time:1 Minute, 35 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં જીલ્લા પોલીસ હેડક્વાર્ટસ ખાતે આવેલ અંબિકા માઈ મંડળ ધ્વારા સંચાલિત શ્રી અંબિકા માતાજી મંદિરનો ત્રિદિવસીય જીર્ણોદ્ધાર મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે.આજે યજ્ઞ પ્રારંભ થશે દિવસ દરમિયાન મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક પૂજન વિધિ શાસ્ત્રી ધવલભાઈ દવેના હસ્તે યોજાશે.જીર્ણોદ્ધાર મહોત્સવને લઈને માતાજીને ફૂલથી શણગાર કરાયો છે જયારે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. 

અંબિકા માતાજી મંદિરના ત્રિદિવસીય જીર્ણોદ્ધાર મહોત્સવમાં શુક્રવારે મંગલકારી પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ થયો હતો.ત્યારબાદ મંડપ પ્રવેશ,અગ્નિસ્થાપન અને સાંય પૂજન આરતી થશે.પુણ્યકારી બીજા દિવસે સવારે પ્રાતઃપૂજન,બાદ મંદિરેથી શોભાયાત્રા નીકળશે.સ્નપનપ્રયોગ અને સાંય પૂજન આરતી થશે.પાવનકારી ત્રીજા દિવસે પ્રાતઃપૂજન,પ્રાણ પ્રતિષ્ઠા પુર્ણાહુતિ બાદ મહાઆરતી યોજાશે આ મહોત્સવના સમાપન બાદ મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી અન્વયે સાબરકાંઠામાં મતદાન કરાયું. ૯ માર્ચે મતગણતરી ચૂંટણીમાં રાજ્યમાંથી ૯૯ ઉમેદવારો વચ્ચે જંગ. મતદાન દરમ્યાન સાબરકાંઠાના ૧પ૦૦ એડવોકેટો પ્રેફરન્સ મત આપ્યા.
0 0
Read Time:2 Minute, 14 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારોની ચૂંટણી શુક્રવારે યોજાઈ છે ત્યારે તેના ભાગરૂપે સાબરકાંઠાના પાંચ મતદાન મથકો પર જિલ્લાના અંદાજે ૧પ૦૦ વકિલો(મતદારો)એ મતદાન કર્યું હતુ. જેની ગણતરી આગામી તા. ૯ માર્ચના રોજ અમદાવાદ ખાતે થશે.

સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં બાર કાઉન્સિલની ચૂંટણી તા. ૩૧ માર્ચ પહેલા પૂર્ણ કરવા માટે આદેશ આપ્યા હતા. જેના ભાગરૂપે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં તા. ૬ માર્ચના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેના ભાગરૂપે શુક્રવારે સાબરકાંઠાના પાંચ સેન્ટરો પર થયું હતુ. ૨૩ બેઠકો માટે ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેના માટે સાબરકાંઠા જિલ્લાના ૧૫૦૦ ધારાશાસ્ત્રીઓ પૈકી મોટાભાગના મતદારોએ પ્રેફરન્સ મત આપી મતદાન કર્યું હતુ. 

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ૨૩ બેઠક માટે ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, ઈડર અને ખેડબ્રહ્મા ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યા હતા. જ્યાં સ્થાનિક ધારાશાસ્ત્રીઓ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મત પેટી સીલ કરી ગુજરાત હાઇકોર્ટ ખાતે મોકલવાની તજવીજ કરાઈ હતી. જેની મતગણતરી આગામી ૯ તારીખના રોજ થશે જ્યાં મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %