હિંમતનગરમાં સાબરકાંઠા ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ અંતર્ગત કાર્યશાળા યોજાઇ.

Views: 19
0 0

Read Time:5 Minute, 34 Second

મુખ્ય વક્તા પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના કન્વીનર યજ્ઞેશભાઈ દવે એ વિકસિત ભારતનો અમૃતકાળ, સુશાસન, ગરીબ કલ્યાણના 11 વર્ષ વિશે વિસ્તૃત માહિતી. આપી.

દેશના સફળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બની ગયું છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યું છે મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા ઐતિહાસિક સિદ્ધિઓ સાથે કામ થઈ રહ્યા છે તેને સંકલ્પથી સિદ્ધિ સુધીની જાણકારી આપવા માટે સાબરકાંઠા ભાજપ દ્વારા જિલ્લાની કાર્યશાળા હિંમતનગર શહેરમાં યોજાઈ. જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપના મીડિયા સેલના કન્વીનર યજ્ઞેશભાઈ દવે એ વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના કામો વિશે જણાવેલ કે 11 વર્ષમાં ભાજપ પક્ષની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે સંકલ્પો કર્યા તે સિદ્ધ કર્યા છે. અગાઉની સરકારોએ મતો અલગ-અલગ તરીકે થી માંગ્યા હતા. જેમકે જ્ઞાતિ આધારિત – તેમજ અન્ય રીતે આપણે વિકાસની રાજનીતિ કરી વિકાસના નામે મત માગ્યા, આપણે જે યોજના જેમ કે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી આરોગ્ય લક્ષી આયુષ્માન ભારત કાર્ડના કારણે વિકસિત દેશો પણ તેમના દેશોમાં આવી યોજનાઓ લાવી. યજ્ઞેશભાઈ દવેએ વધુ માહિતી આપતા જણાવેલ કે દેશમાં ૫૫ કરોડથી વધારે જનધન ખાતા ખોલ્યા જે વિશ્વમાં રેકોર્ડ છે. દસ કરોડ માતા – બહેનો માટે ગરીબ રેખા હેઠળ ગેસ આપ્યા. પ્રધાનમંત્રી જન ઔષધી હેઠળ 38 હજાર કરોડ દવાઓ માં બચત થઈ. 25 કરોડ લોકો ગરીબ રેખા માંથી બહાર આવ્યા. આજે ભારતમાં દરેક વ્યક્તિ 2014 પછી મોબાઈલથી ડિજિટલ પેમેન્ટ કરતા થયા. જમીનના સોઇલ કાર્ડ, મુન્દ્રા લોન માં જે આપી તેમાં 70% મહિલાઓને આપી મહિલા સ્વાવલંબન માં કાર્ય કર્યું. 44 લાખ કરોડ ખેડૂતોને સીધા ખાતામાં રકમ અત્યાર સુધીમાં આપી, 2014 પહેલા ભારતમાં દરરોજ પાંચ કિલોમીટર રોડ બનતા હતા. આજે દરરોજ 34 કિ.મી રોડ દરરોજ બને છે, 70 વર્ષમાં સાત એમ્સ હોસ્પિટલ હતી, આજે 23 એમ્સ હોસ્પિટલ બનાવી, દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ, આવા દેશમાં અસંખ્ય કામો થયા છે જે વિશ્વના દેશોમાં ન થયા હોય તેવા કામો થયા. યજ્ઞેશભાઈ દવે એ વધુમાં જણાવેલ કે આપણા જિલ્લામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ કરવાનું છે સાથે વિકસિત ભારત સંકલ્પ સભા દરેક મંડલમાં કરવાની છે.

વય વંદના કાર્યક્રમ વિશે પણ યજ્ઞેશભાઈએ વિસ્તૃત જાણકારી આપી હતી. જળસંચય માટે પણ જણાવેલ કે વરસાદી પાણી જમીનમાં ઉતરે તેના માટે ડી.આર.ડી દ્વારા સહાય મળેશે.જેમાં ધારાસભ્યની ગ્રાન્ટ અપાશે. આ કાર્યક્રમ મહાઅભિયાન તરીકે કામ કરવાનું છે. આવી કેન્દ્ર સરકારની અનેક યોજનાઓની વિસ્તૃત જાણકારી યજ્ઞેશભાઈ દવે એ આપી હતી. સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલે કરેલ અને જણાવેલ કે પ્રદેશની સૂચનાથી જે કાર્યક્રમો કરવાના છે તેમાં કાર્યકર્તા સાથે સમાજના આગેવાનોને પણ જોડીએ અને જન- જન સુધી પ્રચાર કરીએ. જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેનાએ મંડલ – શક્તિ કેન્દ્ર ઉપર ખાટલા બેઠકો, વયવંદના યોજનાની નોંધણી, યોગ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ વિશે કાર્યક્રમની માહિતી આપી હતી. કાર્યક્રમના જિલ્લા ઇન્ચાર્જ તખતસિંહ હડીયોલે પણ કાર્યકર્તાઓની શું જવાબદારી છે તેમણે કેવી રીતે કામ કરવું તેની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી એ કરેલ. આ જિલ્લાની કાર્યશાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ જે. ડી. પટેલ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, લોકેશભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, અશ્વિનભાઈ કોટવાલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ પટેલ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ સહિત સમગ્ર જિલ્લામાંથી હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

હિંમતનગરમાં સાબરકાંઠા ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ અંતર્ગત કાર્યશાળા યોજાઇ.

  • Related Posts

    હિંમતનગરના મોતીપુરામાં પ્રવેશદ્વારનું બ્યુટીફીકેશન કરવાના કામનો પ્રારંભ. અડચણો દૂર કરવા માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે કાર્યવાહી શરૂ કરી.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન મોતીપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત રાજય એસટી નિગમ કચેરીની બહાર તથા શામળાજી અને અમદાવાદ તરફથી આવતા રોડને અદ્યતન બનાવવા તથા આ પ્રવેશદ્વાર પર…


    એક વર્ષ પહેલા રૂ.100નો વધારો કર્યા બાદ પશુપાલકોનો વિરોધ થતાં રૂ.50 ઘટાડ્યા. સાબરડેરીએ સાબરદાણના ભાવમાં રૂ. 50 નો ઘટાડો જાહેર કર્યો.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબર ડેરીના એક ડિરેક્ટરની આગેવાની હેઠળ પશુપાલકો આજે મૌન રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપશે: સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અંદાજે ૩ લાખથી વધુ દૂધ ઉત્પાદકોના હિતમાં સાબરડેરીના નિયામક મંડળે…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગરના મોતીપુરામાં પ્રવેશદ્વારનું બ્યુટીફીકેશન કરવાના કામનો પ્રારંભ. અડચણો દૂર કરવા માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે કાર્યવાહી શરૂ કરી.

    હિંમતનગરના મોતીપુરામાં પ્રવેશદ્વારનું બ્યુટીફીકેશન કરવાના કામનો પ્રારંભ. અડચણો દૂર કરવા માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે કાર્યવાહી શરૂ કરી.

    એક વર્ષ પહેલા રૂ.100નો વધારો કર્યા બાદ પશુપાલકોનો વિરોધ થતાં રૂ.50 ઘટાડ્યા. સાબરડેરીએ સાબરદાણના ભાવમાં રૂ. 50 નો ઘટાડો જાહેર કર્યો.

    એક વર્ષ પહેલા રૂ.100નો વધારો કર્યા બાદ પશુપાલકોનો વિરોધ થતાં રૂ.50 ઘટાડ્યા. સાબરડેરીએ સાબરદાણના ભાવમાં રૂ. 50 નો ઘટાડો જાહેર કર્યો.

    ગુજરાત હાઇકોર્ટ સરકારી અધિકારી કોર્ટમાં ખોટું સોગંદનામું કરશે તો નોકરીથી હાથ ધોવા પડશેઃ HC

    ગુજરાત હાઇકોર્ટ સરકારી અધિકારી કોર્ટમાં ખોટું સોગંદનામું કરશે તો નોકરીથી હાથ ધોવા પડશેઃ HC

    સાબરકાંઠા જિલ્લામાં 4 પી.આઈ ની આંતરિક બદલી બી.ડિવિઝન પોલીસા સ્ટેશનના પી.એસ.આઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇનો ચાર્જ અપાયો*.

    સાબરકાંઠા જિલ્લામાં 4 પી.આઈ ની આંતરિક બદલી બી.ડિવિઝન પોલીસા સ્ટેશનના પી.એસ.આઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇનો ચાર્જ અપાયો*.

    એ.સી.બી ની સફળ ટ્રેપ, બનાસકાંઠા જિલ્લા ના મહિલા તલાટી 4000 ની લાંચ લેતા પકડાયા.

    એ.સી.બી ની સફળ ટ્રેપ, બનાસકાંઠા જિલ્લા ના મહિલા તલાટી 4000 ની લાંચ લેતા પકડાયા.

    એ.સી.બી.સફળ ટ્રેપ, કંડલા હેડ હવાલદાર ૯૮૫0 ની લાંચ લેતા ઝડપાયા.

    એ.સી.બી.સફળ ટ્રેપ, કંડલા હેડ હવાલદાર ૯૮૫0 ની લાંચ લેતા ઝડપાયા.