હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

Views: 149
0 0

Read Time:3 Minute, 6 Second

રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર

હિંમતનગર આરટીઓ સર્કલ પાસે મંગળવારે સવારે વિજાપુર તરફ જતા મુસાફરોને રીક્ષામાં બેસાડી રહેલ એક રીક્ષા ચાલકને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ અગમ્ય કારણોસર પોલીસ સ્ટેશનમાં લાવી માર માર્યો હોવાના આક્ષેપ રીક્ષા ચાલકની માતાએ કરતાં પોલીસ ની દબંગાઈ નો મામલો સામે આવ્યો છે માર મારવા પાછળનું કારણ હપ્તો લેવાનું ચર્ચાઈ રહયું છે આરટીઓ સર્કલ ઉપર પોલીસ દ્વારા વાહનચાલકોને વાહન ડીટેઇન કરવાની ધમકી આપીને પૈસા પડાવતા હોવાની ઘણા સમયથી બુમો ઉઠી રહી છે જેને આ બનાવ સમર્થન આપી રહ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે સવારે વિજાપુરના રીક્ષા ચાલક મોહમદઅજનાન સલીમભાઈ શેખ આરટીઓ ચોકડી પાસે પોતાની રીક્ષા ઉભી રાખીને મુસાફરોને બેસાડતા હતા ત્યારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ જવાનોએ આવીને ઉગ્ર ચર્ચા કર્યા બાદ રીક્ષા ચાલકને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો જયાં આ રીક્ષા ચાલકને માર માર્યો હોવાનો આક્ષેપ તેણીની માતા ફરજાનાબેન શેખે કર્યો છે. 

વધુમાં તેણીના દાવા મુજબ તેમનો પુત્ર છેલ્લા કેટલાક વર્ષોથી રીક્ષા ચલાવીને ગરીબ પરિવારનું ગુજરાન ચલાવે છે ધંધા માટે રોજ રિક્ષામાં પેસેન્જર બેસાડી હિંમતનગરથી વિજાપુર વચ્ચે દોડે છે. જયાં મંગળવારે પોલીસે તેની પાસે પૈસાની માંગણી કરી હોવાના આક્ષેપ કર્યો છે રીક્ષા ચાલક અને તેની માતાએ કર્યો છે એટલુ જ નહીં પણ આ રીક્ષા ચાલકને પોલીસે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લઈ જઈ માર માર્યો હતો. જેથી તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.જોકે રીક્ષા ચાલકને માર મારવાના મામલે તેણીની માતાએ કરેલા આક્ષેપોમાં કેટલુ તથ્ય છે તે અંગે પોલીસ ખુલાસો કરે તે પછી બહાર આવી શકે છે. આરટીઓ સર્કલ સહિત જુદા જુદા પોઇન્ટ ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ ના નામે પૈસા પડાવતા હોવાનું જગ જાહેર છે ત્યારે એ.સી.બી.વિભાગએ પોતે ફરિયાદી બની હપ્તાખોરીના દૂષણ માંથી વાહનચાલકો ને બચાવવા અસરકારક કામગીરી કરવાની પ્રજામાં માંગ ઉઠી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

  • Related Posts

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરની જૂની જિલ્લા પંચાયત ખાતેના કોર્ટ કેમ્પસમાં ગુરુવારે સાંજે બદલી થયેલા ન્યાયાધીશોનો વિદાય સમારંભ યોજાયો. જિલ્લા બાર એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત…


    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.


              ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉનાળામાં લોઅર જયુડીશરીમાં ટ્રાન્સકરના રૂટીન ઘટનાક્રમના ભાગરૂપે રાજયના ૨૦૩ સિવિલ જજ, ૨૦૦ સિનિયર સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે તો, ડિસ્ટ્રીકટ જજૂની કંડરમાં ૬૩ જજીસને…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.