વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

Views: 43
0 0

Read Time:2 Minute, 18 Second

વિદ્યાનગર સ્થિત સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોને ભારતીય સામાજીક વિજ્ઞાન સંશોધન પરિષદ દ્વારા માઇનર રિસર્ચ પ્રોજેકટ માટે કુલ ૩૨ લાખ જેટલી ગ્રાન્ટ એનાયત કરવામાં આવી છે. જેમાં શિક્ષણશાસ્ત્ર વિભાગના ડો.અલ્કા મેકવાન અને ડો. ભૂમિકા બારોટને સંયુકત રીતે ૯ લાખ, ગ્રંથાલય વિભાગના ડો. મેઘના વ્યાસને ૬.૫૦ લાખ, ઈતિહાસ વિભાગના ડો. વસંત પટેલને ૮ લાખ અને હોમ સાયન્સ વિભાગના ડો. કોમલ પટેલને ૮.૩૦ લાખ પ્રાપ્ત થયા છે. ડો. અલ્કા મેકવાન અને ડો. ભૂમિકા બારોટ ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ગુજરાત રાજયના અધ્યાપકો એનઈપી ૨૦૨૦માં ડીજીટલ લર્નિંગ સંદર્ભે કેટલા તૈયાર છે તથા તેમના પ્રત્યક્ષીકરણ આ સંદર્ભે કેવા છે તે સંદર્ભે સંશોધન કરશે. ડો. મેઘના વ્યાસ તેમના સંશોધનમાં ભારતના સામાજીક વિજ્ઞાન સંશોધકોની જર્નલોમાં ઉપસ્થિતિ, તેમના સંશોધનનો વ્યાપ, પ્રભાવ અને ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવશે.

ડો.વસંત પટેલ પોરબંદર, જુનાગઢ અને તેની આસપાસમાં વસવાટ કરતી મેર જ્ઞાતિ પર વિશેષ અભ્યાસ કરી તેમની સંસ્કૃતિ, કળા, ભાષા, વેશભૂષા તેમજ તેમની રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી મેર સમાજની પરંપરાને રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરશે. ડો. કોમલ પટેલ તમાકુની ખેતીમાં કાર્યરત મહિલાઓને થતી કાર્ય સંબંધિત કંકાલ-સ્નાયુતંત્રની બિમારીઓ અને તેમના આરોગ્ય પર પડતા શારીરિક-માનસિક અસરોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરશે. સમગ્ર યુનિવર્સિટી પરિવારે તમામ અધ્યાપકોને અભિનંદન અને તેમના ભાવિ સંશોધન માટે શુભકામનાઓ પાઠવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

  • Related Posts

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરની જૂની જિલ્લા પંચાયત ખાતેના કોર્ટ કેમ્પસમાં ગુરુવારે સાંજે બદલી થયેલા ન્યાયાધીશોનો વિદાય સમારંભ યોજાયો. જિલ્લા બાર એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત…


    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.


              ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉનાળામાં લોઅર જયુડીશરીમાં ટ્રાન્સકરના રૂટીન ઘટનાક્રમના ભાગરૂપે રાજયના ૨૦૩ સિવિલ જજ, ૨૦૦ સિનિયર સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે તો, ડિસ્ટ્રીકટ જજૂની કંડરમાં ૬૩ જજીસને…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.