સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.

Views: 51
0 0

Read Time:4 Minute, 5 Second

રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં વર્ષોથી કેટલાક બુટલેગરો પાસ પરમીટ વિના વિદેશી દારૂને વાહનોમાં ભરી પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ હિંમતનગર સહિત અમદાવાદ, ઉત્તર ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરીને મોકલી રહયા છે ત્યારે રવિવારે સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જેતપુર ગામની સીમમાંથી કેટલાક બુટલેગરો દારૂ અને બીયરનો જથ્થો ત્રણ વાહનોમાં ભરી ને લઈ જતા હતા ત્યારે સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે નાકાબંધી કરી હતી. જેમાં એક બુટલેગરે ઈરાદા પુર્વક એલસીબીના બે કર્મચારીઓની સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરવાના આશયથી તથા મારી નાખવાના ઈરાદે આ બંને કર્મચારીઓને વાહનથી ટક્કર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવાતા પોલીસે છ બુટલેગરો વિરૂધ્ધ ગુનો નોંધી બેની અટકાયત કરી છે. 

આ અંગે એલસીબીના હેડ કોન્સ્ટેબલ વિનોદકુમાર અરવિંદભાઈએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ રામનવીમના દિવસે સાંજના સુમારે કેટલાક બુટલેગરો રાજસ્થાના ઠેકા પરથી ઈનોવા નં.જીજે.૦૬પીએચ.૩૭૬૯માં દારૂ અને બીયરનો પાસ પરમીટ વિનાનો જથ્થો લઈ ગુજરાતમાં આવી રહયા હતા તેની બાતમી મળતાં એલસીબીના વિનોદભાઈ અને એએસઆઈ નરસિંહભાઈ ભેમાજીને ખબર પડતાં તેમણે જેતપુરની સીમમાં નાકાબંધી કરી હતી. પરંતુ ઈનોવાના ચાલકએ કાર નં.જીજે.૦ર.૦૮૪પથી કાર નં.જીજે.૦૯બીજી.૧૭૮રને ટક્કર મારી મોત નિપજાવવાના ઈરાદે અથડાવી દીધી હતી. જેથી કાર નં.જીજે.૦૯બીજી.૧૭૮રને નુકશાન કર્યું હતુંં.

ત્યારબાદ આ બંને પોલીસ કર્મીઓએ બુટલેગર સુરેશ પોકરારામ હરજી બિશ્નોઈ (ઢાંકા)નો પુછો કરીને બંને વાહનમાંથી અંદાજે રૂ.ર,૦ર,૧૬રની કિંમતની ૮૮૯ દારૂ અને બીયરની બોટલો ઝડપી લીધી હતી ત્યારબાદ ગેરકાયદે દારૂની હેરાફેરીમાં વપરાતી રૂ.૧પ લાખની ઈનોવા અને રૂ.ર૦ હજારના બે મોબાઈલ મળી અંદાજે રૂ.૧૭,રર,૧૬પનો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને ત્રણ જણાની અટકાયત પણ કરી લીધી હતી. 

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી કરતાં કેટલાક બુટલેગરોની સ્થાનિક તથા ઉચ્ચ અધિકારીઓ સાથે ઘરેબો હોવાને કારણે રોજબરોજ લાખ્ખોરૂપિયાનો દારૂનો જથ્થો પાયલોટીંગ સાથે સાબરકાંઠામાં થઈ અન્ય સ્થળે મોકલી રહયા છે. જે અંગે સ્થાનિક પોલીસ અને રાજકારણીઓ જાણતા હોવા જતાં અગમ્ય કારણોસર આ બુટલેગરોને છાવરી રહયા હોય તેવી છાપ ઉપસી રહી છે ત્યારે સરકારે છાપ સુધારવા માટે કડક કાર્યવાહી કરવી જોઈએ તેમ આમ પ્રજા ઈચ્છી રહી છે. 

કોની વિરૂધ્ધ ફરીયાદ નોંધાઈ, કોણ પકડાયું

– સુરેશ પોકરારામ બિશ્નોઈ (રહે.નયાવાડા, રાજસ્થાન) (પકડાયો) 

– પરેશ રમેશજી ઠાકોર (રહે.વિસનગર) (પકડાયો)

– અશોકજી બદાજી ઠાકોર (વોન્ટેડ) (રહે.વિસનગર)

– મોહન પ્રભુભાઈ રબારી (વોન્ટેડ) (રહે.ડૈયા, રાજસ્થાન)

– દલાજી ભુરાજી રબારી (વોન્ટેડ) (રહે.ડૈયા, રાજસ્થાન)

– છતરાજી બેચરાજી રબારી (રહે.ડૈયા, રાજસ્થાન)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.

  • Related Posts

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )


              દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમ ઝડપાયો દેશી બનાવટના તંમચો તથા બે જીવતા કારતુસ કુલ્લે રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ) મે.પોલીસ…


    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.


              વિદ્યાનગર સ્થિત સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોને ભારતીય સામાજીક વિજ્ઞાન સંશોધન પરિષદ દ્વારા માઇનર રિસર્ચ પ્રોજેકટ માટે કુલ ૩૨ લાખ જેટલી ગ્રાન્ટ એનાયત કરવામાં આવી છે. જેમાં શિક્ષણશાસ્ત્ર વિભાગના ડો.અલ્કા મેકવાન…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.