ઈડર લૂંટમાં સંડોવાયેલા ત્રણ પૈકી બેને એલસીબીએ ઝડપી લીધા. ઈલોલનો માસ્ટર માઈન્ડ ફરાર

Views: 91
0 0

Read Time:4 Minute, 32 Second

રિપોર્ટર:- જીજ્ઞેશ સોની‌ (હિંમતનગર)

ઈડરમાં બેંકમાંથી રૂ.૧પ લાખ ઉપાડી રીક્ષામાં જતો હંગામી કર્મચારી લૂંટાયો હતો. એલસીબીએ રૂ.૧૧.૮૬ લાખ રોકડ કબ્જે લીધી.

ઈડરની કે.એમ.પટેલ વિદ્યામંદિર નજીકથી ચાર દિવસ અગાઉ રીક્ષામાં જઈ રહેલ એક હંગામી બેંક કર્મચારી રૂ.૧પ લાખ રોકડ બેંકમાંથી ઉપાડી જઈ રહયો હતો ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો રોકડ ભરેલ થેલો લઈને લૂંટ કરી ભાગી ગયાની ફરીયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ એલસીબીએ સમગ્ર ગુનાની ઝીણવટ ભરી તપાસ કર્યા બાદ લૂંટમાં સંડોવાયેલા ત્રણ પૈકી બે જણાને ઈલોલ નજીકથી ઝડપી લીધા હતા. ત્યારબાદ તેમની પુછપરછ કરતાં આ લૂંટનો માસ્ટર માઈન્ડ અને ઈલોલમાં રહેતો શખ્સ હજુ પોલીસ પકડથી દુર છે. સંડોવાયેલા ત્રણેય ઈસમો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
આ અંગે ઈન્ચાર્જ પોલીસવડા સ્મિત ગોહિલે શુક્રવારે ગુનાનો ભેદ ઉકેલ્યો હોવાની વાતચીત કરી સમગ્ર ઘટના ક્રમ જણાવ્યો હતો જેમાં એલસીબીના પીઆઈ એસ.એન.કરંગીયા, પીએસઆઈ ડી.સી.પરમારના જણાવાયા મુજબ ગત તા.રપ માર્ચના રોજ ઈડરની કે.એમ.પટેલ હાઈસ્કુલ પાસે બે અજાણ્યા શખ્સો બાઈક પર આવીને એ.યુ.બેંકમાં હંગામી ફરજ બજાવતા તથા કેશ કલેકશનનું કામ કરતાં વિક્રમસિંહ બળવંતસિંહ ઝાલા (રહે.જેઠાજીના મુવાડા, તા.તલોદ) એક બેંકમાંથી રૂ.૧પ લાખ ઉપાડી રીક્ષામાં બેસી જઈ રહયા હતા ત્યારે બંને અજાણ્યા શખ્સોએ રોકડ ભરેલો થેલો ઝુંટવી લૂંટ કરી ભાગી ગયા હતા. જે અંગે ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ બાદ તપાસનો દોર સાબરકાંઠા એલસીબીએ હાથ પર લીધો હતો. જેમાં ટેકનીકલ સર્વેલન્સ સીસીટીવી ફુટેજ અને હ્યુમન સોર્સીંસને આધારે પોલીસે સ્થળ તપાસ કર્યા બાદ લૂંટનો ભોગ બનનારનું નિવેદન લીધુ હતું.

ત્યારબાદ એલસીબીએ એએસઆઈ નરસિંહભાઈ અને વિનોદભાઈને મળેલી બાતમીના મુળ સુધી પહોંચવા માટે તેઓની કામગીરી ખુબજ અસરકારક સાબીત થઈ હતી. જે આધારે આ લૂંટના ગુનામાં સંડોવાયેલ ઈડર તાલુકાના ચિત્રોડી ગામના કિરણ નટવરભાઈ ચેનવા અને રાહુલ બાબુભાઈ વણઝારાને બાઈક સાથે હિંમતનગરથી ઈલોલ તરફ જતા હતા ત્યારે બાઈક નં.જીજે.૦૯ડીએલ.૯૪૦૯ સાથે પકડી લીધા હતા. ત્યારબાદ આ બંનેને હિંમતનગર એલસીબીમાં લવાયા બાદ સઘન પુછપરછ શરૂ કરી હતી. જેમાં આ બંને જણાએ કબુલતા કરી હતી કે લૂંટની યોજના બનાવનાર વિવેક મનીષ શાહ (રહે.ઈલોલ)ની મુખ્ય ભુમિકા હતી.

પકડાયેલા બંનેએ વધુમાં કબુલ્યુ હતું કે તેઓ આ લૂંટમાં મળેલ રકમ કલ્પના બહારની હોવાથી તેને કઈ રીતે ભાગ પાડવા તેની દ્રિધામાં હતા. એટલે વિવેક શાહનો સંપર્ક કર્યા બાદ તેઓ હિંમતનગરથી ઈકો ભાડે કરીને ગાંધીનગર અને અમદાવાદ જવાનું નક્કી કર્યું હતું ત્યાં પહોંચ્યા બાદ આ બંને જણાએ રૂ.૧પ લાખમાંથી રૂ.૧પ હજાર ભાડુ ચુકવ્યું હતું. તે પછી વિવેક શાહ તથા કિરણ ચેનવા અને રાહુલ વણઝારાએ ભાડેથી આલીશાન કાર લઈને વિજાપુર, મહેસાણા સહિતના અન્ય સ્થળે જઈને લૂંટની રકમમાંથી મોજશોખ કર્યા હતા.

ત્યારબાદ વિવેક શાહ આ બંને જણાને મુકી તે ગાડી લઈને જતો રહયો હતો. સમગ્ર ઘટના ક્રમનો ચિતાર રજુ કર્યા બાદ એલસીબીએ તેમની પાસેથી અંદાજે રૂ.૧૧,૮૬,૮પ૦ રોકડ કબ્જે લીધી હતી. જેમાં રૂ.પ૦૦, ૧૦૦ અને પ૦ના દરની ચલણી નોટો સામેલ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

ઈડર લૂંટમાં સંડોવાયેલા ત્રણ પૈકી બેને એલસીબીએ ઝડપી લીધા. ઈલોલનો માસ્ટર માઈન્ડ ફરાર

  • Related Posts

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરની જૂની જિલ્લા પંચાયત ખાતેના કોર્ટ કેમ્પસમાં ગુરુવારે સાંજે બદલી થયેલા ન્યાયાધીશોનો વિદાય સમારંભ યોજાયો. જિલ્લા બાર એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત…


    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.


              ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉનાળામાં લોઅર જયુડીશરીમાં ટ્રાન્સકરના રૂટીન ઘટનાક્રમના ભાગરૂપે રાજયના ૨૦૩ સિવિલ જજ, ૨૦૦ સિનિયર સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે તો, ડિસ્ટ્રીકટ જજૂની કંડરમાં ૬૩ જજીસને…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.