સાબરકાંઠામાં પોલીસ તંત્ર દ્વારા ૭૩ સામે અટકાયતી પગલા લેવાયા.

Views: 105
1 0

Read Time:4 Minute, 10 Second

રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર

પાસાની ૦૭, હદપારીની ૧પ દરખાસ્ત તૈયાર, ગુજસીટોક એકટ હેઠળ ૦૧ કેસ, જીપી એકટના ૧પ સહિત અન્ય કેસમાં કાર્યવાહી થશે:

૭૩ અસમાજીક તત્વોના પોલીસે બોન્ડ લેવડાવ્યા:

ગૃહ રાજય મંત્રી તથા રાજયના પોલીસવડાની સુચનાથી સાબરકાંઠા જિલ્લામાં અસામાજીક તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવા તેમની યાદી બનાવવાની સુચના અપાયા બાદ જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ તરતજ તમામ પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવાયા બાદ અંદાજે ૧પ૦ અસામાજીક તત્વોની યાદી તૈયાર કરાઈ છે. જયારે પ૦થી વધુ તત્વોના ગુનાહિત ઈતિહાસને ધ્યાનમાં રાખીને તેમને શુક્રવારે પોલીસવડા કચેરીમાં હાજર રહયા હતા જયાં પોલીસવડા વિજય પટેલએ તેમને ઈશારો કરીને શાનમાં કહયું હતું કે સખણા રહેજો નહીં તો પછી જોવા જેવી થશે. જરૂર પડે અસામાજીક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે મુખ્યમંત્રી (દાદા) અને ગૃહ રાજય મંત્રીની સુચનાથી બુલડોઝરથી કાર્યવાહી કરીશું. શુક્રવારે હિંમતનગર સ્થિત પોલીસવડા કચેરીમાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉચ્ચ કક્ષાએથી મળેલા આદેશ બાદ સાબરકાંઠાના તમામ પોલીસ સ્ટેશનોમાંથી અસામાજીક તત્વોની યાદી મંગાવીને તેમાંથી તેમણે કરેલા ગુનાહિત ઈતિહાસને ધ્યાનમાં રાખીને અલગ તાળવવામાં આવ્યા છે. ૧પ૦ની આ યાદીમાં બુટલેગરો, જુગારીઓ, શરીર સબંધી ગુના ધરાવતા તથા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજીક તત્વોને વીણીવીણીને શોધી કાઢવામાં આવશે. ત્યારબાદ તે તમામ વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરતા પોલીસ તંત્ર અચકાશે નહી.

સમગ્ર કામગીરીમાં એલસીબીના પી.આઈ.કરંગીયા, ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.આર. હેરભા, બી ડિવિઝન પીઆઇ આર.ટી. ઉદાવત અને તેમની ટીમે રાત દિવસ એક કરીને એકત્ર કરેલ માહિતીને અધિકારીઓની બેઠકમાં ચર્ચા કરાયા બાદ નામો અલગથી તારવી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ પોલીસ તંત્ર નિયમોનો ભંગ કરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવાનું વિચારી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે કેટલાક વાહન ચાલકો તથા અસામાજીક પ્રવૃત્તિ કરતા લોકો સામે અટકાયતી પગલા પણ લઈ લીધા છે. જેના ભાગરૂપે શુક્રવારે પ૦થી વધુ લોકોને એકી સાથે પોલીસવડા કચેરીમાં બોલાવી દેવાયા હતા. જયાં તેમના બોન્ડ પણ લઈ લેવામાં આવ્યા છે. જેથી તેઓ ગમે ત્યારે ગમે ત્યાં કોઈપણ પ્રવૃત્તિ કરતા હશે તો પોલીસ તંત્ર તેનાથી અજાણ નહીં હોયશકમંદોની વિગતો પોલીસે મેળવી લીધી
અટકાયતી પગલા લેવાયા બાદ પોલીસવડા કચેરીમાં જે હાજર હતા તેમણે પોલીસવડાએ કહયું હતું કે તમારા બોન્ડ લેવાયા છે. જે છ મહિના સુધી અમલી બનશે આ સમયગાળા દરમ્યાન તમો કયાં છો, શું કરો છો તે જાણવા માટે પોલીસ તંત્ર પાસે લોકેશન મેળવા માટે મોબાઈલ નંબર સાથેની વિગતો છે જેથી કોઈપણ અસામાજીક પ્રવૃત્તિ કરતા અગાઉ વિચાર જો નહીં તો જરૂર પડે જેલની સજા પણ ભોગવવાનો વખત આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સાબરકાંઠામાં પોલીસ તંત્ર દ્વારા ૭૩ સામે અટકાયતી પગલા લેવાયા.

  • Related Posts

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.


              અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી. પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, અવાર નવાર બિરદાવવામાં આવે છે.…


    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગર આરટીઓ સર્કલ પાસે મંગળવારે સવારે વિજાપુર તરફ જતા મુસાફરોને રીક્ષામાં બેસાડી રહેલ એક રીક્ષા ચાલકને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ અગમ્ય કારણોસર પોલીસ સ્ટેશનમાં…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.
    error: Content is protected !!