પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

Views: 509
0 0

Read Time:2 Minute, 51 Second

યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇનમાં સૌથી વધુ ૧૮ પત્રકાર માર્યા ગયાઃ યુનેસ્કો

સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ના મહાનિદેશક ઓડ્રે અજુલેએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૪ પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે ખૂબ જ ખતરનાક પુરવાર થયું છે. પત્રકારો માટે સતત બીજું વર્ષ જીવલેણ સાબિત થયું છે. વર્ષ ૨૦૨૪માં પોતાની ફરજ નિભાવતાં ૬૮ પત્રકારોને મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યા હતા. પત્રકારો અને મીડિયાકર્મીઓને મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યા છે. તે પૈકી ૬૦ ટકા ઘટના અથડામણો અને યુદ્ધનો સામનો કરી રહેલા દેશોમાં બની છે. વીતેલા એક દાયકાની પત્રકારોના મૃત્યુની આ સૌથી મોટી ઘટના છે. ઓડ્રી અજુલે કહ્યું કે અથડામણો અને યુદ્ધ સંકટથી પ્રભાવિત વસતીની મદદે પહોંચીને વિશ્વને જાણકારી આપીને જાગૃત કરવું ખૂબ જરૂરી હોય છે. પત્રકારોને આવા કાર્ય માટે જીવ ગુમાવવો પડે તે વાત અસ્વીકાર્ય છે. તેમણે તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષાસુનિશ્ચિત કરવા પગલાં ભરવા આહ્વાન કર્યું હતું. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૪માં માર્યા ગયેલા કુલ ૬૮ પત્રકારો પૈકી ૪૨ પત્રકારો અથડામણો અને યુદ્ધસંકટનો સામનો કરી રહેલા દેશોમાં માર્યા ગયા છે. પેલેસ્ટાઇનમાં સૌથી વધુ ૧૮ પત્રકાર અને મીડિયાકર્મીના મૃત્યુ થયા હતા.

  • ઇતર ઘટનાઓમાં ૨૬ પત્રકારોનાં મૃત્યુ

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ સંકટગ્રસ્ત દેશોમાં પત્રકારોના મૃત્યુ તે ચિંતાનો વિષય છે. જોકે અથડામણો અને યુદ્ધ સંકટનો સામનો ના કરી રહેલા ક્ષેત્રોમાં ફરજ દરમિયાન પત્રકારોના મૃત્યુની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ વિસ્તારોમાં કુલ ૨૬ પત્રકારો માર્યા ગયા છે. વીતેલા ૧૬ વર્ષનો આ સૌથી નીચો આંકડો છે. અમેરિકા અને કેરેબિયન ક્ષેત્રમાં શાંતિ સમયમાં થતી પત્રકારોની હત્યાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૨માં આ ક્ષેત્રમાં ૪૩ પત્રકારોની હત્યાની ઘટના બની હતી. વર્ષ ૨૦૨૪માં આ સંખ્યા ઘટીને ૧૨ થઈ છે.

Avatar
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

  • Related Posts

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.


              ઘટનાસ્થળ પર હાજર સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસ તીવ્ર ગતિથી જઈ રહી હતી, ચાલકે કાબૂ ગુમાવ્યો અને ઘટના સર્જાઇ… તમામ યાત્રીઓ ગુજરાતી હતા, જે ઉત્તરકાશીથી કેદારનાથ જઈ રહ્યા હતા. સ્થાનિક તંત્ર…


    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.


              જાણીતા કથાકાર શ્રી કાલીબાપુ બારોટ જી સાથે થયેલ વાર્તાલાપ માં બાપુશ્રી ચે પોતાની શ્રેષ્ઠ બારોટ જ્ઞાતિ વિષે કરેલી અમુલ્ય વાતો પૂજ્ય કાલીબાપુ યે જણાવ્યું કે આ ચૌદલોક પૃથ્વી ઉપરના ૭.લોક…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે