પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

Views: 450
0 0
Read Time:2 Minute, 51 Second

યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇનમાં સૌથી વધુ ૧૮ પત્રકાર માર્યા ગયાઃ યુનેસ્કો

સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ના મહાનિદેશક ઓડ્રે અજુલેએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૪ પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે ખૂબ જ ખતરનાક પુરવાર થયું છે. પત્રકારો માટે સતત બીજું વર્ષ જીવલેણ સાબિત થયું છે. વર્ષ ૨૦૨૪માં પોતાની ફરજ નિભાવતાં ૬૮ પત્રકારોને મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યા હતા. પત્રકારો અને મીડિયાકર્મીઓને મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યા છે. તે પૈકી ૬૦ ટકા ઘટના અથડામણો અને યુદ્ધનો સામનો કરી રહેલા દેશોમાં બની છે. વીતેલા એક દાયકાની પત્રકારોના મૃત્યુની આ સૌથી મોટી ઘટના છે. ઓડ્રી અજુલે કહ્યું કે અથડામણો અને યુદ્ધ સંકટથી પ્રભાવિત વસતીની મદદે પહોંચીને વિશ્વને જાણકારી આપીને જાગૃત કરવું ખૂબ જરૂરી હોય છે. પત્રકારોને આવા કાર્ય માટે જીવ ગુમાવવો પડે તે વાત અસ્વીકાર્ય છે. તેમણે તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષાસુનિશ્ચિત કરવા પગલાં ભરવા આહ્વાન કર્યું હતું. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૪માં માર્યા ગયેલા કુલ ૬૮ પત્રકારો પૈકી ૪૨ પત્રકારો અથડામણો અને યુદ્ધસંકટનો સામનો કરી રહેલા દેશોમાં માર્યા ગયા છે. પેલેસ્ટાઇનમાં સૌથી વધુ ૧૮ પત્રકાર અને મીડિયાકર્મીના મૃત્યુ થયા હતા.

  • ઇતર ઘટનાઓમાં ૨૬ પત્રકારોનાં મૃત્યુ

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ સંકટગ્રસ્ત દેશોમાં પત્રકારોના મૃત્યુ તે ચિંતાનો વિષય છે. જોકે અથડામણો અને યુદ્ધ સંકટનો સામનો ના કરી રહેલા ક્ષેત્રોમાં ફરજ દરમિયાન પત્રકારોના મૃત્યુની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ વિસ્તારોમાં કુલ ૨૬ પત્રકારો માર્યા ગયા છે. વીતેલા ૧૬ વર્ષનો આ સૌથી નીચો આંકડો છે. અમેરિકા અને કેરેબિયન ક્ષેત્રમાં શાંતિ સમયમાં થતી પત્રકારોની હત્યાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૨માં આ ક્ષેત્રમાં ૪૩ પત્રકારોની હત્યાની ઘટના બની હતી. વર્ષ ૨૦૨૪માં આ સંખ્યા ઘટીને ૧૨ થઈ છે.

Avatar

About Post Author

Pride Of ✊ Human Rights

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %
  • Related Posts

    રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન

    પુરુષ ને હેરાન કરવા પણ કાયદાનો દુરુપયોગ થતો હોય છે ઃ હાઈકોટ નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે રેપની એક ફરિયાદ રદ કરતો આદેશ આપતી વખતે કહ્યું હતું કે બળાત્કાર મહિલાઓ સામેના…

    જમતારા અને નુંહનું સ્થાન ભરતપુર અને ઉત્તરપ્રદેશના મથુરાએ લીધું. દેશના સાઇબર ક્રાઇમ પૈકી ૧૦જિલ્લામાં ૮૦ટકા ક્રાઇમઃ ભરતપુર નવો અડ્ડો

    એક સમયે ભારતમાં સાઇબરક્રાઇમ માટે ઝારખંડનું જમતારા અને હરિયાણાનું નુહ જાણીતું હતું. હવે તેમનું સ્થાન રાજસ્થાનના ભરતપુર અને ઉત્તર પ્રદેશના મથુરાએ લઈ લીધું છે. આઇઆઇટી -કાનપુર દ્વારા ઉભા થયેલા એ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.