બેન્ક ઓફિસર ગ્રાહક માટે છે, ધક્કા ખવડાવે તો ડરો નહીં, ફરિયાદ કરો

Views: 355
2 0

Read Time:4 Minute, 38 Second

જૂની ફાટેલી નોટો પણ ગ્રાહકો કોઇપણ બેન્કમાં જમા કરાવી શકે છે
ગાંધીનગર
બેન્કમાં ખાતું ખોલાવવું એટલે એવી જફાનું કામ છે કે ગ્રાહક ધક્કા ખાઈને થાકી જાય છે અને આખરે ખાતુ ખોલવાનું માંડી વાળે છે પરંતુ ગ્રાહકોને તેમના અધિકારની જાણકારી નહીં હોવાથી બેન્ક
ઓફિસરો પોતાની મનમાની કરીને ગ્રાહકોને પરેશાન કરે છે. કોરોના સંક્રમણ પછી તો ગ્રાહકો જાણે કે દેવાદાર હોય તે રીતે બેન્કનો સ્ટાફ તેમની સાથે વર્તન કરે છે. હાલના સમયમાં બેન્કમાં ખાતું ખોલવાનું એક ચેલેન્જ છે. બેન્ક ઓફિસરો સાથે એટલા ડોક્યુમેટ માગવામાં આવે છે કે લોકો ખાતું ખોલવાનું ટાળે છે. જો કે બેન્કિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને કેટલાક અધિકાર આપ્યા છે. આ અધિકાર અંગે રાજ્યના નાણાં વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે જો કોઈ બેન્ક કર્મચારી કે મેનેજર ખાતું ખોલવા માટે પરેશાન કરે અથવા સર્વિસ આપે નહીં તો તમે તેમની સામે ફરિયાદ કરી શકો છો.
બેન્કો શું કરે છે અને તમને ક્યા અધિકાર છે
૧. બીએસબીડી એટલે કે બેઝિક ખાતું ખોલવાનો પ્રત્યેક વ્યક્તિને અધિકાર છે. એક ફોટો અને બેન્કનું ખાતું ખોલવાનું ફોર્મ ભરીને ખાતું ખોલી શકાય છે.
૨. બેન્કો માટે જરૂરી છે કે તે ડિપોઝિટ ખાતાની શરતોની જાણકારી ગ્રાહકોને ખાતું ખોલતી સમયે આપે. જો બેન્ક તેવું કરતી નથી તો તમે ફરિયાદ કરી શકો છો.
૩. બીએસબીડી ખાતામાં જો શૂન્ય રકમ હોય તો પણ બેન્ક તમારું ખાતું બંધ કરી શકતી નથી. આ સાથે મિનિમમ બેલેન્સ ન હોય તો કોઈ પેનલ્ટી નાંખવાનો બેન્કને અધિકાર નથી.
૪. બેન્ક ખાતાને બીજીવાર ચાલુ કરવા માટે બેન્ક તમારી પાસેથી કોઇ ફી લઈ શકે નહીં. જો લેતી હોય તો તે ખોટી બાબત છે.
૫. તમારી પાસે ફાટેલી કે જૂની નોટ આવી ગઈ હોય તો તમે બેન્કની કોઈપણ શાખામાં જમા કરાવી શકો છે. બેન્ક નોટ બદલવાનો ઈન્કાર કરી શકે નહીં. જો કરે તો તમે ફરિયાદ કરી શકો છો.
૬. બેન્કની સેવાથી સંતોષ નથી તો તમે બેન્કના શાખા અધિકારી અથવા તો ટોલનંબર પર ફરિયાદ કરી શકો છો. પ્રત્યેક બેન્કમાં ફરિયાદ સાંભળવા માટે અધિકારી મોજૂદ હોય છે.
૭. સિનિયર સિટીઝન અને વિકલાંગ વ્યક્તિને એક અલગ જગ્યાએ તમામ સુવિધાઓ આપવી બેન્ક માટે જરૂરી છે.
૮. કોઈપણ વ્યક્તિ કોઈપણ બેન્ક સાથે જોડાયેલો હોય તેને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફરથી ૫૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ અન્ય બેન્ક ખાતામાં જમા કરવાનો અધિકાર છે. તેના માટે બેન્કમાં ખાતું હોવું જરૂરી નથી.
૯. ચેક કલેક્શનમાં બેન્ક તરફથી સમયસર કામ ન થાય તો ગ્રાહકને વિલંબિત ચૂકવણીનો લાભ આપવા બેન્ક બંધાયેલી છે. સાધારણ વ્યાજદર ગ્રાહકને આપવો પડે છે.
૧૦. જો કોઈ ગ્રાહક બેન્કમાંથી લોન લે છે અને તેના માટે સિક્યોરિટી આપે છે તો આ મામલામાં ૧૫ દિવસમાં સિક્યોરિટી ડિપોઝીટ પરત મળવી જોઇએ. બેન્ક જો ઈન્કાર કરે તો તેની સામે ફરિયાદ કરી શકાય છે.
આટલા નિયમોને સમજીને કોઈપણ ગ્રાહક બેન્ક કર્મચારી કે ઓફિસરને વિનંતી કે આદેશ કરી શકે છે, કારણ કે બેન્ક એ ગ્રાહકો વડે ચાલતી સંસ્થા છે. બેન્કના સ્ટાફે ગ્રાહકોને સંતોષજનક જવાબ આપવો પડે છે. જો ન આપે તો કોઈપણ ગ્રાહક બેન્ક કે તેના સ્ટાફ સામે ફરિયાદ કરી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

બેન્ક ઓફિસર ગ્રાહક માટે છે, ધક્કા ખવડાવે તો ડરો નહીં, ફરિયાદ કરો

  • Related Posts

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.


              ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં…


    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.


              અમદાવાદ, ૭ જૂન, ૨૦૨૫ રિપોર્ટ-મિહિર શિકારી,અમદાવાદ, ગુજરાત વર્ગવિગ્રહ ફેલાવતા સંગઠનો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવા, હેટ સ્પીચનું સાહિત્ય બ્લોક કરવા અને સંતો માટે સુરક્ષિત પગદંડી બનાવવા પ્રબળ માંગ- આચાર્યશ્રી રશ્મિરત્ન…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે