હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌતસ્કરી કરતા તત્વોનો આંતક : ખેડ-ચાંદરણી રોડ પર ગૌ રક્ષકો પર ફાયરીંગ કરાયાનો આક્ષેપ. ગૌ રક્ષકો દ્વારા પોલીસવડાને આવેદનપત્ર અપાયું:

Views: 115
0 0

Read Time:2 Minute, 9 Second

રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર

હિંમતનગર તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાંથી ગમે ત્યારે ગૌધનની તસ્કરી કરીને કેટલાક તત્વો કાયદાને પોતાના હાથમાં લઈને તંત્રને પડકાર ફેંકી રહયાછે. ત્યારે શુક્રવારે રાત્રે હિંમતનગરના બેરણા તરફથી એક વાહનમાં ગૌ તસ્કરી કરીને હિંમતનગર તરફ આવી રહેલ તત્વોએ ખેડ-ચાંદરણી રોડ પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યાની ઘટના બાદ શનિવારે ગૌ રક્ષકોએ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.

આ અંગે ગૌ રક્ષક ઈશ્વરભાઈ વેરસીહભાઈ રબારી તથા અન્ય ગૌ રક્ષકોના જણાવ્યા મુજબ ગત મોડી રાત્રે પાંચેક જણા બેરણા રોડ પર કેટલાક ગૌ તસ્કરી કરતા તત્વોને પકડવા માટે ફરી રહયા હતા ત્યારે ઈશ્વરભાઈ રબારી તથા જીગરભાઈ બાબુભાઈ દેસાઈએ બેરણા રોડ પરથી હિંમતનગર તરફ આવી રહેલ કારજીજે.ર૩એચ.૦૪૯રમાં બેઠેલા કેટલાક ઈસમોએ પડકાર ફેંકીને તેમની પાસેના હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ તથા લોખંડની ખીલીઓ ફેંકી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પરેશભાઈ દેસાઈના વાડામાંથી ગાયોની ચોરી થઈ હતી તથા હિંમતનગરના એક બસ સ્ટેન્ડ પાસેથી પણ અજાણ્યા શખ્સો ગાયની ચોરી કરી ગયા હતા અને એટલું જ નહીં પણ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગૌ તસ્કરી અંગે લેખિત રજુઆત કરી હતી તેમ છતાં ગાંભોઈ પી. આઇ. દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા અજાણ્યા તત્વો હજુ પણ ગૌ તસ્કરી કરી રહયા છે. જેથી પશુ માલિકો તથા ગૌ રક્ષકોએ શુક્રવારે જિલ્લા પોલીસવડા કચેરીમાં જઈને આવેદનપત્ર આપી ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌતસ્કરી કરતા તત્વોનો આંતક : ખેડ-ચાંદરણી રોડ પર ગૌ રક્ષકો પર ફાયરીંગ કરાયાનો આક્ષેપ. ગૌ રક્ષકો દ્વારા પોલીસવડાને આવેદનપત્ર અપાયું:

  • Related Posts

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.


              ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં…


    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.


              અમદાવાદ, ૭ જૂન, ૨૦૨૫ રિપોર્ટ-મિહિર શિકારી,અમદાવાદ, ગુજરાત વર્ગવિગ્રહ ફેલાવતા સંગઠનો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવા, હેટ સ્પીચનું સાહિત્ય બ્લોક કરવા અને સંતો માટે સુરક્ષિત પગદંડી બનાવવા પ્રબળ માંગ- આચાર્યશ્રી રશ્મિરત્ન…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે