પોલીસ કોન્સ્ટેબલ જ બન્યો હથિયારો પ્રિયાંશુ જૈન હત્યા કેસ : દારૂના નશામાં છરીના ઘા માર્યા બાદ ડરીને મિત્રની કારને લઇને પંજાબ નાસી ગયો હતો હત્યારો કોન્સ્ટેબલ

Views: 153
0 0

Read Time:6 Minute, 12 Second

અમદાવાદ શહેરના બોપલમાં ચાર દિવસ પહેલા વાહન ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે આરોપીની પંજાબથી ધરપકડ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રિયાંશુની હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. હત્યાની રાત્રે તેણે દારૂના નશામાં હુમલો કર્યો હતો. બાદમાં તે પોલીસથી બચવા માટે ફરવાના બહાને તેના મિત્રની કાર લઇને પંજાબ તરફ ફરાર થઇ ગયો હતો. ક્રાઇમબ્રાંચની ટીમ ગુરૂવારે સાંજ સુધીને તેને અમદાવાદ લાવશે. અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં આવેલા એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ માઇકામાં અભ્યાસ કરતો પ્રિયાંશુ જૈન તેના મિત્ર સાથે રવિવારે રાત્રે બાઇક પર પરત જતો હતો. ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરઝડપે જતી કારના ચાલકને પ્રિયાંશુએ ઠપકો આપીને ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે ઝપાઝપી કરીને તેને પડખામાં છરીના ઘા માર્યા હતા. ત્યારબાદ પ્રિયાંશુને ખાનગી હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. બોપલ હત્યા કેસમાં બોપલ પોલીસ, ગ્રામ્ય એલસીબી અને એસઓજી ઉપરાંત, અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ પણ કામે લાગી હતી. જેમાં ક્રાઇમબ્રાંચના પીઆઇ મહેન્દ્ર સાલંકીની ટીમ દ્વારા ઘટના સ્થળેથી આસપાસના એક કિલોમીટરના વિસ્તારમાં સીસીટીવી ફુટેજની તપાસ કરતા એક નંબર પ્લેટ વિનાની કાળા રંગની હેરીયર કાર જોવા મળી હતી. જો કે ત્યારબાદ તપાસ કરતા કાર અંગે ભાળ મળી નહોતી. જેથી અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરાઈ હતી. તપાસ દરમિયાન કાર બોપલમાં રહેતા એક વ્યક્તિને ત્યાંથી મળી હતી. પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ‘રવિવારે રાતના વિરેન્દ્રસિંહ તેના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે તે સીક લીવ પર હોવાથી પંજાબ-હરિયાણા ફરવા જવાનો છે. પરંતુ, તેની કારમાં નંબર પ્લેટ ન હોવાથી તે કાર મુકીને તેના મિત્રની કાર લઇને નીકળી ગયો હતો.’ પોલીસને જાણવા મળ્યું હતું કે, વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો. આમ, પોલીસને હત્યા કેસમાં મહત્વની કડી મળી હતી. 

ફાસ્ટેગથી કપાતા નાણાંના મેસેજથી કરાયો હતો : ટ્રેક વિરેન્દ્રસિંહ તેના મિત્રની જે કાર લઇને ગયો હતો તે કારના હાઇવે પરના ટોલનાકાથી ફાસ્ટેગ દ્વારા કપાતા નાણાંના મેસેજને ટ્રેક કરતા જાણવા મળ્યું હતું કે તે રાજસ્થાના અજમેર અને અલવર થઇને પંજાબમાં પ્રવેશ્યો છે. જેથી અમદાવાદ ક્રાઇમબ્રાંચની એક ટીમને મોકલવામાં આવી હતી અને પંજાબના સંગુદર હાઇવે પરથી કાર સાથે વિરેન્દ્રસિંહને ઝડપી લીધો હતો. હાલ પોલીસની ટીમ તેને લઇને અમદાવાદ પરત આવી રહી છે. 

પ્રિયાંશુની હત્યા કર્યાનું કબૂલ્યું : પ્રાથમિક તપાસમાં તેણે કબૂલ્યું હતું કે પ્રિયાંશુએ ઠપકો આપતા તેણે છરીને ઘા પડખામાં માર્યા હતા, ત્યારે જ સમજી ગયો હતો કે તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેથી બચવા માટે નાસી ગયો હતો. બીજા દિવસે સવારે તેને પ્રિયાંશુનું મોત થયાનું પણ જાણવા મળ્યું હતું. અમદાવાદ ક્રાઇમબ્રાંચ તેને પરત લાવીને બોપલ પોલીસને સોંપવાની કામગીરી પૂર્ણ કરશે.

પોલીસને મલ્ટી ટ્રેકિંગ ઇન્વેસ્ટીગેશન સિસ્ટમથી સફળતા મળી

ચકચારી હત્યા કેસની તપાસ કરવા માટે ક્રાઇમબ્રાંચે મલ્ટી ટ્રેકિંગ સિસ્ટમ અપનાવી હતી. જેમાં ઘટના સ્થળેથી પસાર થતા તમામ રસ્તાઓ પર અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી તપાસ્યા હતા. જેમાં કાળા રંગની હેરિયર કાર પર શંકા જતા તપાસ તે દિશામાં શરૂ કરી હતી. બીજી તરફ વિરેન્દ્રસિંહની કાર તેના મિત્રને ત્યાંથી મળવાની સાથે તેનો મોબાઇલ સ્વીચ ઓફ હતો. જેથી શંકા મજબુત બની હતી.

વિરેન્દ્રસિંહ પઢેરિયા અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો

નિર્દોષ પ્રિયાંશું જૈનની હત્યામાં સંડોવાયેલો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા અગાઉ અનેકવાર વિવાદમાં આવ્યો હતો. સેટેલાઇટ પોલીસ મથકે ફરજ બજાવતો હતો ત્યારે તેને કોલ સેન્ટર કૌભાંડમાં સસ્પેન્ડ કરાયો હતો. બાદમાં તેની બદલી નારોલ પોલીસ સ્ટેશનમાં થઇ હતી. જ્યાં તેણે પોલીસ સ્ટાફ સાથે તેમજ અનેક લોકો સાથે નાના-મોટા ઝઘડા કર્યા હતા. થોડા મહિના પહેલા તેની બદલી સરખેજ પોલીસ સ્ટેશનમાં થઇ હતી. પરંતુ, 29મી ઓક્ટોબરથી તે સીક લીવ પર હતો. વિરેન્દ્રસિંહને દારૂ પીવાની ટેવ હોવાનું પણ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પોલીસ કોન્સ્ટેબલ જ બન્યો હથિયારો પ્રિયાંશુ જૈન હત્યા કેસ : દારૂના નશામાં છરીના ઘા માર્યા બાદ ડરીને મિત્રની કારને લઇને પંજાબ નાસી ગયો હતો હત્યારો કોન્સ્ટેબલ

  • Related Posts

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.


              અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી. પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, અવાર નવાર બિરદાવવામાં આવે છે.…


    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગર આરટીઓ સર્કલ પાસે મંગળવારે સવારે વિજાપુર તરફ જતા મુસાફરોને રીક્ષામાં બેસાડી રહેલ એક રીક્ષા ચાલકને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ અગમ્ય કારણોસર પોલીસ સ્ટેશનમાં…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.
    error: Content is protected !!