અવાર નવાર બનતી ઘટનાઓ માં અમુક પોલીસકર્મીઓ ના કારણે બીજા પોલીસકર્મીઓ પણ બદનામ થાય છે

Views: 86
0 0

Read Time:2 Minute, 51 Second

અવાર નવાર બનતી ઘટનાઓ માં અમુક પોલીસકર્મીઓ ના કારણે બીજા પોલીસકર્મીઓ પણ બદનામ થાય છે

5 નવેમ્બર ના રોજ રામોલ પોલીસ સ્ટેશન લૂંટ ની ઘટના અને અગાઉ સોલા પોલીસ સ્ટેશન ની લૂંટ ની ઘટનાઓ બની છે તો શું આવા લોભીયા પોલીસકર્મીઓ પર કોઈ કાર્યવાહી થશે કે નહીં?

અમદાવાદ: દીપક શાહ નામના વ્યક્તિ અને તેમની પત્નીએ ગૃહ રાજ્યમંત્રીને ઉદ્દેશીને તોડપાણી કરનાર પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ કર્યો હતો. દારૂની પરમિટ હોવા છતાં પોલીસકર્મીઓએ રીતસર લૂંટ ચલાવ્યાનો આરોપ વીડિયોમાં કરાયો હતો. અમદાવાદ રિંગરોડ પર 5મી નવેમ્બરે બનેલી ઘટના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી. વિયેતનામના પ્રવાસેથી પરત ફરી રહેલા વડોદરાના એક દંપતી સાથે અમદાવાદ એરપોર્ટથી એક્સપ્રેસ હાઈવે પર રામોલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ગંભીર ગેરવર્તણૂક કરી હતી. દારૂની કાયદેસરની પરમિટ હોવા છતાં પોલીસકર્મીઓએ દંપતી પાસેથી બળજબરીથી રોકડ રૂપિયા 12 હજાર, દારૂની બોટલ અને વિદેશી ચલણ ડોલર પડાવી લીધા હતા. આ ઘટનામાં પીડિત દંપતીએ હિંમત દાખવીને સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમની આ લડતનું સકારાત્મક પરિણામ આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા તેમના નિવાસસ્થાને જઈને તમામ પડાવી લીધેલી વસ્તુઓ, જેમાં ડોલર અને અન્ય સામાનનો સમાવેશ થાય છે, તે પરત કરવામાં આવી હતી. વધુમાં, આ ગંભીર ગેરવર્તણૂકના કિસ્સામાં દોષિત પોલીસકર્મી હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ દાનાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દ્વારા પોલીસ તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પોલીસકર્મીઓની ગેરવર્તણૂક સામે કડક પગલાં લેવામાં આવશે. અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશન ની તોડ કરતા એક પોલીસ કોસ્ટેબલ અને બે હોમગાર્ડ સહિત સસ્પેન્ડ કરવામાં આવેલ આવો જ કિસ્સો આ અગાઉ સોલા સોલાની હદમાં બી બનેલ તો શું આવા પોલીસવાળાઓના હિસાબે સમગ્ર પોલીસ બદનામ થઈ રહી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અવાર નવાર બનતી ઘટનાઓ માં અમુક પોલીસકર્મીઓ ના કારણે બીજા પોલીસકર્મીઓ પણ બદનામ થાય છે

  • Related Posts

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરની જૂની જિલ્લા પંચાયત ખાતેના કોર્ટ કેમ્પસમાં ગુરુવારે સાંજે બદલી થયેલા ન્યાયાધીશોનો વિદાય સમારંભ યોજાયો. જિલ્લા બાર એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત…


    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.


              ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉનાળામાં લોઅર જયુડીશરીમાં ટ્રાન્સકરના રૂટીન ઘટનાક્રમના ભાગરૂપે રાજયના ૨૦૩ સિવિલ જજ, ૨૦૦ સિનિયર સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે તો, ડિસ્ટ્રીકટ જજૂની કંડરમાં ૬૩ જજીસને…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.