ગુજરાત ની ચૂંટણી હલચલ મોદી-શાહ ની હાજરીમાં ગુજરાતના નેતાઓની મળેલી અઢી કલાક બેઠકમાં મોટા નિર્ણયો લેવાયા, સંગઠન અને બોર્ડ નિગમમાં ટૂંક સમયમાં કરવામાં આવશે નિમણૂક

Views: 57
0 0
Read Time:3 Minute, 8 Second

અઢી કલાકની બેઠકમાં ગુજરાત સરકાર, પ્રદેશ સંગઠન અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રોડમેપ બનાવાયો

બે વર્ષથી ખાલી પડેલા બોર્ડ-નિગમમાં બિન સરકારી પ્રતિનિધિઓની નિયુક્તિ અંગે પણ ચર્ચા થઇ 

શુક્રવારે દિલ્હીમાં પીએમ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર અને સીએમના મુખ્યમ અગ્રસચિવ કૈલાસનાથનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા છે. અઢી કલાક ચાલેલી બેઠક બાદ સરકાર અને સંગઠનમાં અનેક મોટા બદલાવ આવશે તેવુ ચર્ચાઈ રહ્યું છે. અને સંગઠન અને બોર્ડ નિગમમાં ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે. અઢી કલાકની બેઠકમાં ગુજરાત સરકાર, પ્રદેશ સંગઠન અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રોડમેપ બનાવાયો છે. તેમજ બે વર્ષથી ખાલી પડેલા બોર્ડ-નિગમમાં બિન સરકારી પ્રતિનિધિઓની નિયુક્તિ અંગે પણ ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. આ નિમણૂંકો જલ્દી જ થાય તેવા અણસાર દેખાઈ રહ્યાં છે. હવે ગમે તે સમયે બોર્ડ-નિગમોના પદોની લ્હાણી થઈ શકે છે. આ સાથે જ ભાજપ સંગઠનમાં પણ ફેરફાર નક્કી જ છે. કારણ કે, મોદી-શાહની હાજરીમાં ગુજરાતના નેતાઓની મળેલી અઢી કલાક બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. બોર્ડ નિગમમાં અધ્યક્ષની નિમણૂંકક માટે લિસ્ટ તૈયાર થઇ ગયા પછી અચાનક તેના પર બ્રેક લાગી હતી. ત્યારે હાલ આ મામલે માહિતી મળી છે કે, ભાજપ હાલ સામાજિક નિગમોમાં જ અધ્યક્ષની નિમણૂંક કરે તેવી શક્યતા છે. ભાજપ તમામ બોર્ડ નિગમમાં નિમણૂંક નહિ કરે. માત્ર સામાજિક નિગમોમાં નિમણૂંક કરવા ઈચ્છે છે. ગુજરાત સરકારના સામાજિક ક્ષેત્રના ને વિવિધ જ્ઞાતિ સમૂહોના ઉત્કર્ષ માટે કાર્યરત બોર્ડ નિગમ, આયોગ, મંડળોમાં હવે ગેમ ત્યારે નિયુક્તિ થશે તેવી હલચલ દેખાઈ રહી છે. ન માત્ર બોર્ડ નિગમ, પરંતુ ભાજપ સંગઠનમાં પણ મોટાપાયે બદલાવ આવી શકે છે. આ બધુ દિલ્હીની મીટિંગ બાદ થઈ શકવાનું છે. બોર્ડ નિગમ માટે દિલ્હીમાં ખાસ ચર્ચા થઈ હતી, જેના આધારે નવરાત્રિથી દિવાળી સુધી પદોની લ્હાણી થઇ જશે તેવુ કહેવાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    અમદાવાદ પોલીસ લાચાર કેમ? લુખ્ખાએ હથિયારો બતાવી પોલીસકર્મીને વાહનમાં બેસાડ્યા!: અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં ખુલ્લી તલવારો લઈ આતંક મચાવ્યો

    અમદાવાદ: અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં લુખ્ખાઓએ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હોવાના વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી છે. ઘટનાસ્થળ પર પહોંચેલા પોલીસકર્મીઓને પણ લુખ્ખાઓએ ધક્કો મારી પોલીસવાહનમાં…

    અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

    પ્રેસ નોટ ગઇ તા.૦૫/૧૨/૨૦૨૪ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સમયે ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા મહિલા પો.કો. શારદાબેન ભેરાભાઇ ડાભી નાઓ પોતાના ઘરે બહેરામપુરા થી એકટીવા મો.સા. લઇ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.