હિન્દુત્વની વાતો કરવાની અને માંસાહારને ખુલ્લેઆમ પ્રોત્સાહન, ગુજરાત સરકારે માંસની 275 દુકાનોને લાયસન્સ આપ્યાં

Views: 67
0 0

Read Time:3 Minute, 32 Second

હિન્દુત્વની વાતો કરવાની ને માંસાહારને પ્રોત્સાહન આપવાનું ગુજરાત સરકારની આ બેધારી નીતિ હવે ખુલ્લી પડી છે. હિન્દુત્વના નામે ખોબલે ખોબલે મતો મેળવનાર ગુજરાત સરકારે જ પશુઓના માંસનુ વેચાણ કરવા મંજૂરી આપી રહી છે. ખુદ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ સંસદમાં રજૂ કરેલાં એક રિપોર્ટે જ ગુજરાત સરકારની પોલ ઉઘાડી પાડી છે. આ રિપોર્ટ મુજબ, ગુજરાત સરકારે જ 275 માંસની દુકાનોને લાયસન્સ આપ્યા છે. આ પરથી એક વાત પ્રસ્થાપિત થઇ છે કે, સરકાર જ માંસાહારને પ્રોત્સાહન આપી રહી છે. આ જોતાં જીવદયાપ્રેમીઓમાં નારાજગી પ્રસરી છે.

 

ગુજરાતમાં ધીરે ધીરે માંસાહારનો ટેસ્ટ કરનારાઓની સંખ્યા દિનંદિને વધી રહી છે. માંસાહર માટે હવે કોઇને છોછ રહ્યો નથી પરિણામે ઇંડા-માસનો વપરાશ વધ્યો છે. આ કારણોસર જ અમદાવાદ સહિતના મોટા શહેરોમાં નોનવેજ રેસ્ટોરન્ટ-હોટલોની સંખ્યા વધી રહી છે જે જગજાહેર છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જેણે ગુજરાત સરકારની બેધારીને ઉઘાડી પાડી દીધી હતી. આ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં હાલ 1978 માંસની નાની મોટી રજીસ્ટર્ડ દુકાનો છે. રાજ્ય સરકારે તારીખ 31મી માર્ચ, 2022 સુધીમાં કુલ 275 માંસની દુકાનોને લાયસન્સ આપ્યા છે. મહત્વની વાત તો એ છે કે, ખુદ કેન્દ્ર સરકારે ગુજરાતમાં 43 માંસની દુકાનોને પરવાના આપ્યા છે. આ પરથી સ્પષ્ટ થાય છેકે, કેન્દ્ર-રાજ્ય સરકાર જ માંસાહારને પ્રોત્સાહન આપી રહ્યા છે. એક તરફ, કતલખાને ધકેલાતા પશુઓને પકડીને જીવદયાપ્રેમીઓ જીવને જોખમમાં મૂકી રહ્યા છે તો બીજી તરફ, ખુદ સરકાર જ માંસની દુકાનોને મંજૂરી આપી રહી છે. ગુજરાતમાં માંસનુ વેચાણ વધે તે માટે સરકારને જાણે રસ જાગ્યો છે. ઉલ્લેખનીય છેકે, ગોવા, બિહાર, પંજાબ, ત્રિપુરા, સિક્કીમ સહિતના રાજ્યોએ પણ ગુજરાતની સરખામણીમાં માંસની દુકાનોને ઓછી મંજૂરી આપી છે. જીવદયાપ્રેમીઓનું કહેવું છે કે, જે રીતે ગુજરાતમાં ઇંડા-માંસના વપરાશનો વધારો થઇ રહ્યો છે. તે જોતાં ગુજરાત શાકાહારી રાજ્યની છાપ ભૂંસાઇ જશે તે દિવસો દૂર નથી.

અમદાવાદ સહિત ગુજરાતમાં અગણિત માંસની દુકાનો છે. આ ગેરકાયદેસર દુકાનોમાં હજારો ટન માંસનું વેચાણ થઇ રહ્યુ છે. છતાંય સરકાર આંખ આંડા કાન કરી છે. આમ, હિન્દુત્વની દુહાઇ દેનાર ભાજપ સરકાર માંસાહારને પ્રોત્સાહન આપી રહી છે. તે માંસની દુકાનોને અપાતી મંજૂરીઓ પરથી સાબિત થઇ રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

હિન્દુત્વની વાતો કરવાની અને માંસાહારને ખુલ્લેઆમ પ્રોત્સાહન, ગુજરાત સરકારે માંસની 275 દુકાનોને લાયસન્સ આપ્યાં

  • Related Posts

    અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની કામગીરી ગણતરીના કલાકોમાં લુખ્ખા તત્વોને સબક શીખવાડ્યો.


              વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોની દાદાગીરી અને આતંકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તાજેતરમાં જ, ગઈકાલે રાત્રે અંગત અદાવતના કારણે કેટલાક અસામાજિક તત્વોએ ખતરનાક હથિયારો જેવા કે લાકડીઓ અને તલવારો…


    મોજશોખ કરવા ટુ વ્હિલર ચોરી કરતા બે વ્યક્તિને પકડી ૮ ટુ-વ્હિલર રીકવર કરી વાહન ચોરીના કુલ – ૦૮ ગુનાનો ભેદ ઉકેલતી ઓઢવ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ.


              પ્રેસનોટ મે.પોલીસ કમિશનર સાહેબશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી સેક્ટર – ૨ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન – ૫ તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી “આઇ” ડીવીજન અમદાવાદ શહેર દ્રારા આપવામાં…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સાબરકાંઠામાં પોલીસ તંત્ર દ્વારા ૭૩ સામે અટકાયતી પગલા લેવાયા.

    સાબરકાંઠામાં પોલીસ તંત્ર દ્વારા ૭૩ સામે અટકાયતી પગલા લેવાયા.

    હિમતનગરમાં રમજાન અને રામનવમીને લઈને બે કલાકમાં પાંચ કિમી ફૂટ પેટ્રોલિંગ કર્યું. 

    હિમતનગરમાં રમજાન અને રામનવમીને લઈને બે કલાકમાં પાંચ કિમી ફૂટ પેટ્રોલિંગ કર્યું. 

    હિંમતનગરએ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી વિદેશી દારૂ નું ધૂમ વેચાણ. પોલીસની મહેરબાની…કોઈ અંકુશ કોઈ ભય નહીં. આસાનીથી દારૂ મળી રહે છે.

    હિંમતનગરએ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી વિદેશી દારૂ નું ધૂમ વેચાણ. પોલીસની મહેરબાની…કોઈ અંકુશ કોઈ ભય નહીં. આસાનીથી દારૂ મળી રહે છે.

    બ્રહ્માકુમારીઝ ભાવનગર સબ ઝોન દ્વારા પવિત્ર જીવન યાત્રા મહોત્સવ અંતર્ગત તપસ્વી યુગલ મહા સંમેલન બોટાદ ખાતે યોજાયું.

    બ્રહ્માકુમારીઝ ભાવનગર સબ ઝોન દ્વારા પવિત્ર જીવન યાત્રા મહોત્સવ અંતર્ગત તપસ્વી યુગલ મહા સંમેલન બોટાદ ખાતે યોજાયું.

    વડોદરામાં થયેલા ગંભીર કાર અકસ્માતના આરોપી રક્ષિત ચોરસિયાને જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો.

    વડોદરામાં થયેલા ગંભીર કાર અકસ્માતના આરોપી રક્ષિત ચોરસિયાને જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો.

    ગુજરાત માં આગામી 100 કલાક માં અસામાજિક ગુંડા તત્વો ની યાદી તૈયાર કરવાનો રાજ્ય પોલીસ વડા નો આદેશ,

    ગુજરાત માં આગામી 100 કલાક માં અસામાજિક ગુંડા તત્વો ની યાદી તૈયાર કરવાનો રાજ્ય પોલીસ વડા નો આદેશ,
    error: Content is protected !!