અમદાવાદ એરપોર્ટથી રાત્રે ઘેર જતાં દંપતિને આંતરી ખોટી રીતે ડરાવી ધમકાવી ગુનો દાખલ કરવાની ધમકી આપી ટ્રાફિક પોલીસના ત્રણ જવાનો દ્વારા રૂ.૬૦ હજારનો તોડ કરવાના ચકચારી કેસમાં ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં આજે હાઇકોર્ટ તરફથી બહુ મહત્વના સૂચનો રજૂ કરાયા હતા. જેમાં માંગણી કરવામાં આવી હતી કે, પોલીસ ઓથોરીટી સામે કોઇને પણ ફરિયાદ કરવી હોય તો તે માટે | ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરીટી સાથે જોડાયેલો હેલ્પલાઇન નંબર જનરેટ કરવામાં આવે, રાજયમાં દરેક જિલ્લા કક્ષાએ પોલીસ કમ્પ્લેન ઓથોરીટીની રચના કરવામાં આવે. ખાસ તો રાજય કક્ષાએ હાઇકોર્ટ કે સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં બોર્ડ બનાવવામાં આવે. હાઇકોર્ટે આ સૂચનો પરત્વે તમે શું કરવા માંગો છો તે મુદ્દે શુક્રવાર સુધીમાં સરકારનો જવાબ માંગ્યો છે.
આ સૂચનો પરત્વે રાજય સરકાર શું કરવા માંગે છે તે મુદ્દે તા.૨૨મી સુધીમાં જરૂરી જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો સરકારપક્ષને નિર્દેશ
થોડા દિવસો પહેલાં અમદાવાદ એરપોર્ટ પરથી ખાનગી કેબમાં એક દંપતિ તેમના એક વર્ષના બાળક સાથે રાત્રે પોતાના ઘેર જઇ રહ્યું હતું ત્યારે ઓગણજ ટોલટેક્સ પાસે સર્કલ પર ટ્રાફિક પોલીસે તેમની ગાડીને આંતરી ધમકાવી તેમની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવાનું કહી ડરાવી રૂ.૬૦ હજારનો તોડ કર્યો હતો. આ સમાચાર સંદર્ભે ખુદ હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લઇ સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટ તરફથી આજે બહુ મહત્ત્વના સુચનો રજૂ કરતાં જણાવાયું હતું કે, હાલની સ્થિતિમાં જો કોઇ નાગરિકને પોલીસ કે ઓથોરીટી વિરૂદ્ધ ફરિયાદ કરવી હોય તો તે કરી શકતો નથી અને ન્યાય મળી શકતો નથી. આ સંજોગોમાં રાજય સરકાર દ્વારા પોલીસ કે કરવી હોય તો તે માટેનો એક અલગ હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવે. આ હેલ્પલાઈન નંબર એવો હોય કે જે અન્ય હેલ્પલાઇન નંબરો છે, તેની સાથે જોડાયેલો હોય એટલે કે, અન્ય કોઇપણ હેલ્પલાઇન નંબર પરથી પણ નાગરિકની પોલીસ કે ઓથોરીટી વિરૂધ્ધની ફરિયાદ મેઇન પોલીસ કમ્પ્લેન હેલ્પલાઇન નબર પર ટ્રાન્સફર થઈ જાય. વળી, રાજયમાં દરેક જિલ્લા કક્ષાએ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની અધ્યક્ષતામાં બોર્ડની રચના કરવામાં આવે. રાજયમાં જિલ્લા કક્ષાએ ડીવાયએસપી કક્ષાના અધિકારી અને રાજય સ્તરે એસપી કે તેનાથી ઉપરી અધિકારી સામે ફરિયાદ કરી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઇએ. એટલું જ નહી, નાગરિકો દ્વારા પોલીસ કે ઓથોરીટી વિરૂધ્ધ જે કોઇ ફરિયાદ કરવામાં આવી હોય તેનો ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે ચોક્કસ સમયમર્યાદા પણ નક્કી કરવી જોઇએ કે જેથી પ્રજામાં વિશ્વસનીયતા વધે અને લોકોને ન્યાય મળે. રાજય સરકારે | આ સૂચનો પરત્વે શક્ય એટલી ઝડપથી | અમલવારી કરવી જોઇએ. દરમ્યાન ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધા માયીની ખંડપીઠે સરકારપક્ષને જણાવ્યું હતું કે, હાઇકોર્ટ તરફથી કરાયેલા આ સૂચનો સંદર્ભે રાજય સરકાર શું કરવા માંગે છે..? તમે કેવી રીતે તેની અમલવારી કરવા માંગો છો તે સહિતના મુદ્દે તા.૨૨મી સપ્ટેમ્બર સુધીમાં તમે જવાબ રજૂ કરો.