ગુજરાત હાઇકોર્ટની સરકારને તાકીદ : પોલીસની તોડબાજી અંગે ફરિયાદ કરવા હેલ્પ લાઇન નંબર જાહેર કરો.

Views: 167
0 0

Read Time:4 Minute, 21 Second

અમદાવાદ એરપોર્ટથી રાત્રે ઘેર જતાં દંપતિને આંતરી ખોટી રીતે ડરાવી ધમકાવી ગુનો દાખલ કરવાની ધમકી આપી ટ્રાફિક પોલીસના ત્રણ જવાનો દ્વારા રૂ.૬૦ હજારનો તોડ કરવાના ચકચારી કેસમાં ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં આજે હાઇકોર્ટ તરફથી બહુ મહત્વના સૂચનો રજૂ કરાયા હતા. જેમાં માંગણી કરવામાં આવી હતી કે, પોલીસ ઓથોરીટી સામે કોઇને પણ ફરિયાદ કરવી હોય તો તે માટે | ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરીટી સાથે જોડાયેલો હેલ્પલાઇન નંબર જનરેટ કરવામાં આવે, રાજયમાં દરેક જિલ્લા કક્ષાએ પોલીસ કમ્પ્લેન ઓથોરીટીની રચના કરવામાં આવે. ખાસ તો રાજય કક્ષાએ હાઇકોર્ટ કે સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં બોર્ડ બનાવવામાં આવે. હાઇકોર્ટે આ સૂચનો પરત્વે તમે શું કરવા માંગો છો તે મુદ્દે શુક્રવાર સુધીમાં સરકારનો જવાબ માંગ્યો છે.

આ સૂચનો પરત્વે રાજય સરકાર શું કરવા માંગે છે તે મુદ્દે તા.૨૨મી સુધીમાં જરૂરી જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો સરકારપક્ષને નિર્દેશ

થોડા દિવસો પહેલાં અમદાવાદ એરપોર્ટ પરથી ખાનગી કેબમાં એક દંપતિ તેમના એક વર્ષના બાળક સાથે રાત્રે પોતાના ઘેર જઇ રહ્યું હતું ત્યારે ઓગણજ ટોલટેક્સ પાસે સર્કલ પર ટ્રાફિક પોલીસે તેમની ગાડીને આંતરી ધમકાવી તેમની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવાનું કહી ડરાવી રૂ.૬૦ હજારનો તોડ કર્યો હતો. આ સમાચાર સંદર્ભે ખુદ હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લઇ સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટ તરફથી આજે બહુ મહત્ત્વના સુચનો રજૂ કરતાં જણાવાયું હતું કે, હાલની સ્થિતિમાં જો કોઇ નાગરિકને પોલીસ કે ઓથોરીટી વિરૂદ્ધ ફરિયાદ કરવી હોય તો તે કરી શકતો નથી અને ન્યાય મળી શકતો નથી. આ સંજોગોમાં રાજય સરકાર દ્વારા પોલીસ કે કરવી હોય તો તે માટેનો એક અલગ હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવે. આ હેલ્પલાઈન નંબર એવો હોય કે જે અન્ય હેલ્પલાઇન નંબરો છે, તેની સાથે જોડાયેલો હોય એટલે કે, અન્ય કોઇપણ હેલ્પલાઇન નંબર પરથી પણ નાગરિકની પોલીસ કે ઓથોરીટી વિરૂધ્ધની ફરિયાદ મેઇન પોલીસ કમ્પ્લેન હેલ્પલાઇન નબર પર ટ્રાન્સફર થઈ જાય. વળી, રાજયમાં દરેક જિલ્લા કક્ષાએ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની અધ્યક્ષતામાં બોર્ડની રચના કરવામાં આવે. રાજયમાં જિલ્લા કક્ષાએ ડીવાયએસપી કક્ષાના અધિકારી અને રાજય સ્તરે એસપી કે તેનાથી ઉપરી અધિકારી સામે ફરિયાદ કરી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઇએ. એટલું જ નહી, નાગરિકો દ્વારા પોલીસ કે ઓથોરીટી વિરૂધ્ધ જે કોઇ ફરિયાદ કરવામાં આવી હોય તેનો ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે ચોક્કસ સમયમર્યાદા પણ નક્કી કરવી જોઇએ કે જેથી પ્રજામાં વિશ્વસનીયતા વધે અને લોકોને ન્યાય મળે. રાજય સરકારે | આ સૂચનો પરત્વે શક્ય એટલી ઝડપથી | અમલવારી કરવી જોઇએ. દરમ્યાન ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધા માયીની ખંડપીઠે સરકારપક્ષને જણાવ્યું હતું કે, હાઇકોર્ટ તરફથી કરાયેલા આ સૂચનો સંદર્ભે રાજય સરકાર શું કરવા માંગે છે..? તમે કેવી રીતે તેની અમલવારી કરવા માંગો છો તે સહિતના મુદ્દે તા.૨૨મી સપ્ટેમ્બર સુધીમાં તમે જવાબ રજૂ કરો.

Avatar
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત હાઇકોર્ટની સરકારને તાકીદ : પોલીસની તોડબાજી અંગે ફરિયાદ કરવા હેલ્પ લાઇન નંબર જાહેર કરો.

  • Related Posts

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.


              અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી. પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, અવાર નવાર બિરદાવવામાં આવે છે.…


    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગર આરટીઓ સર્કલ પાસે મંગળવારે સવારે વિજાપુર તરફ જતા મુસાફરોને રીક્ષામાં બેસાડી રહેલ એક રીક્ષા ચાલકને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ અગમ્ય કારણોસર પોલીસ સ્ટેશનમાં…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.
    error: Content is protected !!