ટ્રાફિક મેમો મામલે સુરત રેલવે પોલીસકર્મી ભાન ભૂલ્યાં

Views: 68
0 0

Read Time:2 Minute, 37 Second

ટ્રાફિક મેમો મામલે સુરત રેલવે પોલીસકર્મી ભાન ભૂલ્યાં

પોલીસ સ્ટેશનમાં જ વાહન ચાલક સાથે કરી લાફાવાળી

પોલીસકર્મી વાહન ચાલકને લાફો મારતા વીડિયો વાયરલ

સુરત

ગુજરાતમાં ફરી એકવાર કથિત રીતે પોલીસની ગેરવર્તણૂક સામે આવી છે. વિગતો મુજબ સુરત રેલવે પોલીસે વાહન ચાલકને લાફા માર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રાફિક મેમો બાબતે મારામારી કર્યાનું ચર્ચાઇ રહ્યું છે.

જોકે આ સમગ્ર મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં રેલવે પોલીસે એક વાહન ચાલકને લાફા માર્યા હોવાનું સામે આવતા હવે પોલીસતંત્ર સામે સવાલો ઊભા થયા છે. વાત જાણે એમ છે કે, ટ્રાફિક મેમો બાબતે એક વાહન ચાલક અને રેલવે પોલીસ વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી. જે બાદમાં પોલીસકર્મીએ વાહનચાલકને લાફો મારી દીધો હતો. જોકે વાહનચાલકને માર મારતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતના એડવોકેટ મેહુલ બોઘરાએ પણ આ અંગે વિડીયો ટ્વિટ કરી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. મહત્વનું છે કે, અનેકવાર ગુજરાતમાં પોલીસની હેરાનગતિના વિડીયો સામે આવતા હોય છે. જોકે સુરત રેલવે પોલીસે તો એક વાહનચાલકને મેમો બાબતની કોઈ માથાકૂટમાં લાફો ઝીંકી દેતાં પોલીસને આવો અધિકાર કોણે આપ્યો તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.

 

 

સળગતા સવાલ

સામાન્ય નાગરિક પર હાથ ઉપાડવાનો અધિકાર કોણે આપ્યો?

પોલીસકર્મી જ કાયદા નહીં અનુસરે તો પ્રજાની રક્ષા કોણ કરશે?

પોલીસકર્મી જ કાયદાનું ભાન ભૂલે શું એ યોગ્ય છે?

ખાખીના જોરે દાદાગીરી કરતા પોલીસકર્મીઓ પર કાર્યવાહી થશે કેમ?

પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કોણ કરશે?

પોલીસકર્મીને સસ્પેન્ડ કરાશે કે કેમ?

સામાન્ય માણસને ન્યાય મળશે કે કેમ?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ટ્રાફિક મેમો મામલે સુરત રેલવે પોલીસકર્મી ભાન ભૂલ્યાં

  • Related Posts

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.


              અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી. પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, અવાર નવાર બિરદાવવામાં આવે છે.…


    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગર આરટીઓ સર્કલ પાસે મંગળવારે સવારે વિજાપુર તરફ જતા મુસાફરોને રીક્ષામાં બેસાડી રહેલ એક રીક્ષા ચાલકને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ અગમ્ય કારણોસર પોલીસ સ્ટેશનમાં…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.
    error: Content is protected !!