ગુજરાત હાઇકોર્ટ નો મહત્ત્વનો નિર્દેશ લોકોની ફરિયાદ નોંધવામાં પોલીસ હેરાનગતિ, આનાકાની ન કરે : હાઇકોર્ટ

Views: 53
0 0
Read Time:5 Minute, 12 Second

ની૨વ જેબલીયાના હાઇકોર્ટના બોગસ હુકમકાંડમાં ચાર FIR દાખલઃ કસૂરવારો સામે કાયદેસર કાર્યવાહીની સરકારની ખાતરી

અમદાવાદ| ગુજરાત હાઇકોર્ટના બોગસ હુકમો તૈયાર કરી ન્યાયતંત્ર સાથે ચેડાં કરવાની હિંમત કરનાર પૂર્વ આઇપીએસ બી.એસ.જેબલીયાના પુત્ર નીરવ જેબલીયા સામે થયેલી રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે સરકારપક્ષ તરફથી હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરી જણાવાયું હતું કે, હાઇકોર્ટના બોગસ હુકમો પ્રકરણમાં કસૂરવાર આોપી નિરવ જેબલીયા સામે સોલા પોલીસમથકમાં અલગ-અલગ ચાર ફરિયાદો નોંધી લેવામાં આવી છે. જેમાં હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલની કરિયાદનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ સમીર જે.દવેએ પોલીસ તરફથી રજૂ થયેલો રિપોર્ટ રેકર્ડ પર લઇ જણાવ્યું હતું કે, હવે ભવિષ્યમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી ગંભીર નિષ્કાળજી કે ઉદાસીનતા ના દાખવાય તેનું ધ્યાન રાખજો અને માત્ર સોલા પોલીસમથક જ નહી પરંતુ તમામ પોલીસ સ્ટેશનોમાં આ મુદ્દે જરૂરી સૂચનાઓ આપવા સ૨કારપક્ષને નિર્દેશ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના બોગસ હુકમો પોલીસ સ્ટેશનોમાં મોકલી તેના આધારે આરોપીઓને જામીન અપાવવાના કૌભાંડમાં નિવૃત્ત આઇપીએસ બી.એસ.જેબલીયાના પુત્ર નીરવ જેબલીયા અને આ સમગ્ર પ્રકરણમાં જે કોઇ કસૂરવારો હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા દાદ માંગતી રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે સરકારપક્ષ તરફથી ખુદ પબ્લીક પ્રોસીકયુટર મીતેશ અમીને હાઇકોર્ટે જણાવ્યું હતું કે, અદાલતને ગઇકાલે ખાતરી મુજબ આ પ્રકરણમાં કાર્યવાહી કરી છે અને હાઇકોર્ટના બોગસ હુકમો પ્રકરણમાં નિવૃત્ત આઇપીએસના પુત્ર નીરવ જેબલીયા સામે આખરે ચાર અલગ- અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જેમાં અરજદાર દિનેશભાઇ રાણા, મકસૂદભાઈ અને હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ તરફથી અપાયેલી ફરિયાદનો પણ સમાવેશ થાય છે. દરમ્યાન અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટને જણાવ્યું કે, આ એક બહુ ગંભીર અને સંવેદનશીલ કેસ છે, જેમાં હાઇકોર્ટ જજના વડપણ હેઠળ ન્યાયિક તપાસ કરવી જરૂરી બને છે. જેથી પબ્લીક પ્રોસીક્યુટરે હાઇકોર્ટને હતી કે, પોલીસ દ્વારા આ કેસમાં બિલકુલ નિષ્પક્ષતાથી અને તટસ્થતાપૂર્વક તપાસ કરવામાં આવશે, હાઇકોર્ટના બોગસ હુકમોના પ્રકરણમાં નીરવ જેબલીયા સિવાય પણ જે કોઇ કસૂરવારો આમાં સંડોવાયેલા હશે તેઓની વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. જેથી અરજદારની આ માંગણી હાલના તબક્કે અસ્થાને છે. અરજદારે પોતાની પિટિશનમાં ફરિયાદ નોંધવાની દાદ માંગી પોલીસ દ્વારા હવે એફઆઇઆર દાખલ થઇ ગઇ છે અને અરજદારની દાદ સંતોષાઇ ગઇ છે. તેથી હાઇકોર્ટ કેસનો નિકાલ કરવો જોઇએ. દરમ્યાન જસ્ટિસ સમીર જે.દવેએ સરકારપક્ષને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, હવે ભવિષ્યમાં ફરિયાદ નોંધવા મુદ્દે ધક્કા ના ખવડાવાય અને આટલી ગંભીર બેદરકારી ના રખાય તેનું ધ્યાન રાખજો. જેથી પબ્લીક પ્રોસીકયુટરે હાઇકોર્ટને હૈયાધારણ આપી કે, હાઇકોર્ટ તરફથી કોઇપણ જશે તો તાત્કાલિક કાર્યવાહી કરાશે. જસ્ટિસ સમીર દવેએ કહ્યું કે, માત્ર હાઇકોર્ટ જ નહી પરંતુ સામાન્ય નાગરિક જાય તો પણ તેને ફરિયાદ નોંધવા મુદ્દે પોલીસ દ્વારા ખોટી આનાકાની કે હેરાનગતિ ના થાય. પોલીસ કોઇને ખોટા બિનજરૂરી ધક્કા ના ખવડાવે. પબ્લીક પ્રોસીકયુટરે જણાવ્યું કે, સોલા પોલીસમથકમાં અમે આ અંગે સૂચના આપી દીધી છે તેથી હાઇકોર્ટે જણાવ્યું કે, માત્ર સોલા પોલીસ સ્ટેશન જ નહી, તમામ પોલીસ મથકોમાં આ અંગે જરૂરી સૂચનાઓ જારી કરાવો અને તેનું અસરકારક પાલન કરાવો. તેથી પબ્લીક પ્રોસીકયુટરે આ મામલે તમામ પોલીસમથકોમાં જરૂરી સૂચના જારી કરી દેવાશે તેવી ખાતરી આપી હતી. જેને પગલે હાઇકોર્ટે આ કેસનો નિકાલ કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    અમદાવાદ પોલીસ લાચાર કેમ? લુખ્ખાએ હથિયારો બતાવી પોલીસકર્મીને વાહનમાં બેસાડ્યા!: અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં ખુલ્લી તલવારો લઈ આતંક મચાવ્યો

    અમદાવાદ: અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં લુખ્ખાઓએ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હોવાના વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી છે. ઘટનાસ્થળ પર પહોંચેલા પોલીસકર્મીઓને પણ લુખ્ખાઓએ ધક્કો મારી પોલીસવાહનમાં…

    અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

    પ્રેસ નોટ ગઇ તા.૦૫/૧૨/૨૦૨૪ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સમયે ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા મહિલા પો.કો. શારદાબેન ભેરાભાઇ ડાભી નાઓ પોતાના ઘરે બહેરામપુરા થી એકટીવા મો.સા. લઇ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.