બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વિરોધ પક્ષના સભ્યોએ પત્ર લખ્યો, કોરોનામાં મૃત્યુ પામનાર વકીલોના મૃત્યુ સહાય કૌભાંડમાં કાર્યવાહી કરવા રજૂઆત.

Views: 89
0 0

Read Time:3 Minute, 17 Second

કોરોનાકાળમાં મૃત્યુ પામનાર વકીલોના વારસોને સહાય ચૂકવવામાં આવેલ મોટી રકમની ગુજરાત બાર કાઉન્સિલમાંથી ઉચાપત થયાનું સામે આવ્યું હતું ત્યારે આ કૌભાંડના કસૂરવાર લોકો સામે શું કાર્યવાહી કરી તેને લઇ ગુજરાત બાર કાઉન્સિલના વિપક્ષના સભ્ય ગુલાબખાન પઠાણ સહિતના ત્રણ સભ્યોએ એક મહત્ત્વનો પત્ર બાર કાઉન્સિલના ચેરમેનને પાઠવી તેનો ખુલાસા સાથેનો જવાબ આપવા અને જે કંઇ કાર્યવાહી કરાઇ હોય તે બાર કાઉન્સિલની સામાન્ય સભામાં જાહેર કરવા માગણી કરી છે. ઉપરાંત મૃત્યુ અને માંદગી સહાયમાં વધારો કરવા રજૂઆત કરી છે.

ગુજરાત બાર કાઉન્સિલના વિપક્ષના સભ્યો ગુલાબખાન પઠાણ, પરેશ એચ.વાઘેલા અને રણજિતસિંહ રાઠોડે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં ગુજરી ગયેલા વકીલોને મૃત્યુ સહાય ચૂકવવામાં ગંભીર નાણાંકીય ઉચાપત થઇ હોવાની ફરિયાદ ઉઠી છે, પરંતુ બાર કાઉન્સિલ પાસે અમે વિગતો માગીએ છીએ, પરંતુ અપાતી નથી. આ સમગ્ર મામલે બાર કાઉન્સિલના ચેરમેનને પત્ર પાઠવી માગ કરાઇ છે કે, વકીલોની માતૃસંસ્થામાંથી નાણાકીય ઉચાપતના આ પ્રકરણમાં બાર કાઉન્સિલ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ છે ખરી..? જો કરાઇ હોય તો તે બાર કાઉન્સિલની સામાન્ય સભામાં જાહેર કરવામાં આવે. વળી, આવી ઉચાપતના આંકડા મેળવવા કોઇ ઓડિટ કરાયું છે કે કેમ..?તેનો રિપોર્ટ પણ બાર કાઉન્સિલના તમામ સભ્યોને પૂરો પાડવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. વિપક્ષના સભ્યોએ હાલ દેશમાં પ્રવર્તી રહેલી કારમી મોંઘવારીને જોતાં રાજ્યમાં વકીલોના મૃત્યુના કિસ્સામાં ચૂકવાતી મૃત્યુ સહાયની રકમ અને બીમારીના કિસ્સામાં ચૂકવાતી માંદગી સહાયની રકમમાં પણ નોંધપાત્ર વધારો કરવા ઉગ્ર માગ કરી છે.

વિપક્ષી સભ્યોએ જણાવ્યું કે, બાર કાઉન્સિલ દ્વારા હાલ સ્વ.વકીલોના વારસોને મૃત્યુ સહાયની રકમ પેટે રૂ. ૩.૫૦ લાખ ચૂકવાય છે જ્યારે માંદગી સહાયની ૨કમ પેટે વકીલોને રૂ. ૩૦ હજારની સહાય અપાય છે, પરંતુ તે સહાય આટલી કારમી મોંઘવારીમાં પૂરતી અને યોગ્ય ના કહી શકાય. તેથી બાર કાઉન્સિલે વકીલોના પરિવારજનો અને તેમના આશ્રિતોના હિત અને મોંઘવારી સહિતના પાસાઓ ધ્યાનમાં લઇ મૃત્યુ સહાયની રકમ વધારી પાંચ લાખ રૂપિયા કરવી જોઇએ અને માંદગી સહાયની રકમ એક લાખ રૂપિયા સુધી વધારવી જોઇએ.

Avatar
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વિરોધ પક્ષના સભ્યોએ પત્ર લખ્યો, કોરોનામાં મૃત્યુ પામનાર વકીલોના મૃત્યુ સહાય કૌભાંડમાં કાર્યવાહી કરવા રજૂઆત.

  • Related Posts

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરની જૂની જિલ્લા પંચાયત ખાતેના કોર્ટ કેમ્પસમાં ગુરુવારે સાંજે બદલી થયેલા ન્યાયાધીશોનો વિદાય સમારંભ યોજાયો. જિલ્લા બાર એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત…


    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.


              ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉનાળામાં લોઅર જયુડીશરીમાં ટ્રાન્સકરના રૂટીન ઘટનાક્રમના ભાગરૂપે રાજયના ૨૦૩ સિવિલ જજ, ૨૦૦ સિનિયર સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે તો, ડિસ્ટ્રીકટ જજૂની કંડરમાં ૬૩ જજીસને…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.