ભ્રષ્ટાચાર માટે આઈએએસ પીસીએસ અધિકારીઓ-નેતાઓની સાઠગાંઠ જવાબદાર : મદ્રાસ હાઈકોર્ટ

Views: 97
0 0

Read Time:2 Minute, 42 Second

ભ્રષ્ટાચાર માટે આઈએએસ પીસીએસ અધિકારીઓ-નેતાઓની સાઠગાંઠ જવાબદાર : મદ્રાસ હાઈકોર્ટ

વર્તમાન સમયમાં દેશમાં ભ્રષ્ટાચારના મૂળ ઊંડા થઈ ગયા છે અને તે અનિયંત્રિત -નિર્વિરોધ રીતે સડસડાટ દોડી રહ્યો છે

મદ્રાસ હાઇકોર્ટે ભ્રષ્ટાચાર મુદ્દે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે ભ્રષ્ટાચાર માટે આઇએએસ, પીસીએસ, રાજનેતાઓ અને અમલદારોની સાઠગાંઠને જવાબદાર ગણાવી છે.

કોર્ટે સાથે જ કહ્યું હતું કે ન્યાયિક સેવાઓને પણ નથી છોડવામાં આવી. મદ્રાસ હાઇકોર્ટે ભ્રષ્ટ પ્રથાઓ વિરુદ્ધ ટીકાત્મક ટિપ્પણી કરતા કહ્યુ હતું કે વર્તમાન સમયમાં દેશમાં ભ્રષ્ટાચારના મૂળ ઊંડા થઈ ગયા છે અને તેઅનિયંત્રિત અને નિર્વિરોધ રીતેસડસડાટ દોડી રહ્યો છે. આ ટિપ્પણી એમ. રાજેન્દ્રન નામની વ્યક્તિએ દાખલ કરેલી અરજીમાં કરાઈ હતી. રાજેન્દ્રન એક સરકારી કર્મચારી છે અને તેમની સામે અન્ય વ્યક્તિઓ સાથે મળીને આવક કરતા વધારે સંપત્તિ એકઠી કરવાના આરોપમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર હાઇકોર્ટે કહ્યું હતું કે આ સર્વવિદિત છે કે આપણો મહાન દેશ કઈ રીતે ભ્રષ્ટાચારમાં વધુને વધુ ડૂબતો જઈ રહ્યો છે. આ વાતે કોઈ શંકા નથી કે વર્તમાનમાં ભારતમાં ભ્રષ્ટાચાર તમામ સ્તરોએ અને તમામ સેવાઓમાં ફેલાયેલો છે, એટલે સુધી કે ભારતીય વહીવટી સેવા, ભારતીય પોલીસ સેવા અને ન્યાયિક સેવાઓને પણ છોડવામાં આવી નથી. ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર માત્ર ગેરકાયદે કાર્યોમાં જ નથી મળતો, બલકે કાનૂની લેવડ-દેવડમાં પણ લાંચની માગણી અને સ્વીકૃતિ સરકારી વિભાગો અને પોલીસ વિભાગમાં મોટા પાયે જોવા મળેછે. આથી પીડિત વ્યક્તિઓએ કરેલી ફરિયાદો પર યોગ્ય કાર્યવાહી શરૂ કરીને તે સંબંધમાં જનતાના મનમાં રહેલા અભિપ્રાયને દૂર કરી શકાય છે. તેથી જ ઉચ્ચ અધિકારીઓ પાસે અપેક્ષા રખાય છે કે તેઓ ભ્રષ્ટાચારના કેસમાં સંવેદનશીલ રહે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભ્રષ્ટાચાર માટે આઈએએસ પીસીએસ અધિકારીઓ-નેતાઓની સાઠગાંઠ જવાબદાર : મદ્રાસ હાઈકોર્ટ

  • Related Posts

    પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.


              યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇનમાં સૌથી વધુ ૧૮ પત્રકાર માર્યા ગયાઃ યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ના મહાનિદેશક ઓડ્રે અજુલેએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૪ પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે ખૂબ…


    રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન


              પુરુષ ને હેરાન કરવા પણ કાયદાનો દુરુપયોગ થતો હોય છે ઃ હાઈકોટ નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે રેપની એક ફરિયાદ રદ કરતો આદેશ આપતી વખતે કહ્યું હતું કે બળાત્કાર મહિલાઓ સામેના…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.
    error: Content is protected !!