પાક વીમો નથી તેમને કેન્દ્રના નિયમ મુજબ સહાય અપાશે

Views: 38
0 0
Read Time:3 Minute, 3 Second

અમદાવાદ, રાજ્યમાં વાવાઝોડાની અસરના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ ખેડૂતો ને પારવાર નુકસાની થઈ છે. રાજ્યમાં માવઠાના કારણે મગફળી, ડાંગર, દિવેલા, કપાસ, કઠોળ અને બાગાયતી ખેતીને નુકસાની થતાં ખેડૂતો પાયમાલ થયા છે. આ સ્થિતિમાં પાક વીમા માટે નોંધણી પ્રક્રિયાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી એકવાર મહત્વનું નિવેદન આપ્યું છે હતું કે, જે ખેડૂતોએ પાક વીમો નહીં લીધો હોય અને નુકસાની થઈ હશે તેમને પણ કેન્દ્રના નિયમો મુજબ સહાયતા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ખેડૂતોને તેમના પાકની નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની હૈયાધારણ ફરી એકવાર ઉચ્ચારી હતી. દરમ્યાન કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પણ રાજયમાં કમોસમી વરસાદને લઇ ખેડૂતોની ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકાર તરફથી શકય તમામ મદદ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, હાલ રાજયમાં ખેડૂતોના પાકની નુકસાની અંગે સર્વેની કામગીરી ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ રાજય સરકાર યોગ્ય વળતર ચૂકવશે અને આ સમગ્ર મામલે કેન્દ્ર સરકાર પણ તેની રીતે જરૂરી મદદનો હાથ લંબાવશે. આ અગાઉ આજે મોરબી ખાતે એક કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે , રાજય સરકાર દિલ્હી સ્થિત વીમા કંપનીઓના સંપર્કમાં છે. પાક વીમા માટે ટોલ ફ્રી નંબર બંધ હોવાની ફરિયાદો હતી. સરકારે સરવેના અને સહાયના આદેશો આપ્યા છે. જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકારના નિયમો મુજબ તેમને સહાયતા ચુકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કહી દીધુ છે કે, ખેડૂતોના પાકના નુકસાનનો સર્વે પૂરતો અને વ્યવસ્થિત કરવામાં આવશે. ખેડૂતોના નુકસાન સામે પૂરતી સહાય કરવામાં આવશે. વીમા કંપનીને સરકારે ત્રણ દિવસથી સૂચના આપી છે. આ અંગે કેન્દ્ર સરકારથી પણ તમામ સૂચનાઓ આપવામાં આવી છે. જે પણ ખેડૂતોએ વીમો લીધો છે તેમને વળતર મળે તે માટે સીધી સૂચના અપાઇ છે. જે ખેડૂતોએ વીમો નથી લીધો તેમને પણ કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે સહાયતા મળશે.

Avatar

About Post Author

Pride Of ✊ Human Rights

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

કેજરીવાલ છવાઈ ગયા: સારા પગારની જાહેરાત કરતા જ રાજ્યના પોલીસબેડાંમાં કર્મીઓએ સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂક્યાં

AAP સરકાર બનાવવામાં અંદરખાને મદદ કરો: કેજરીવાલ અરવિંદ કેજરીવાલે કહ્યું, રાજ્યમાં ‘આપ’ની સરકાર બનશે તો દેશમાં સારામાં સારું પગારધોરણ ગુજરાત પોલીસનું હશે ગાંધીનગર: અમદાવાદના ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં એક પોલીસ કર્મચારીની…

દેશ ચલાવવાનું કામ સરકારનું છે, RSSને ક્યારેય પણ સત્તા નથી જોઈતી: મોહન ભાગવત

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે કહ્યુ કે દેશ ચલાવવું સરકારનું કામ છે અને સંઘને ક્યારેય સત્તા નથી જોઈતી. આ વિશે મોહન ભાગવતે કહ્યુ કે ‘જનતા…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીની નિષ્ક્રિયતા ને લીધે તસ્કરોને લીલા લહેર.

ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીની નિષ્ક્રિયતા ને લીધે તસ્કરોને લીલા લહેર.

સાબરકાંઠાના સાંસદે લોકસભામાં હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા કરેલી રજુઆત અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી

સાબરકાંઠાના સાંસદે લોકસભામાં હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા કરેલી રજુઆત અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી

રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન

રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન