કેજરીવાલ છવાઈ ગયા: સારા પગારની જાહેરાત કરતા જ રાજ્યના પોલીસબેડાંમાં કર્મીઓએ સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂક્યાં

Views: 138
0 0
Read Time:3 Minute, 18 Second

AAP સરકાર બનાવવામાં અંદરખાને મદદ કરો: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું, રાજ્યમાં ‘આપ’ની સરકાર બનશે તો દેશમાં સારામાં સારું પગારધોરણ ગુજરાત પોલીસનું હશે

ગાંધીનગર: અમદાવાદના ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં એક પોલીસ કર્મચારીની દીકરીએ લખેલો ગુપ્ત પત્ર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વાંચી સંભળાવ્યો અને કહ્યું કે, મને ગુજરાતના ઘણાં પોલીસવાળા ખાનગીમાં મળે છે, તેઓ સામે નથી આવતા, કારણ કે તેમની મજબૂરી છે. જો ગુજરાતમાં ‘આપ’ સરકાર બનશે તો દેશમાં સૌથી સારાં પગારધોરણ ગુજરાત પોલીસનાં હશે.

 

પોલીસનાં પગારધોરણ સારાં કરી આપવાની જાહેરાત પોલીસ કર્મચારીઓઓમાં દાવાનળની પેઠે ફેલાઈ હતી અને થોડાં જ સમયમાં ગુજરાત આખાના પોલીસબેડાંના કર્મચારીઓએ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં અરવિંદ કેજરીવાલની આ જાહેરાત સાથેનો ફોટોગ્રાફ મૂકી દીધો હતો.

 

હજુ ગુજરાત સરકાર રાજ્યમાં પોલીસ કર્મચારીઓનાં પગારધોરણો અંગે વિચારણા કરી રહી છે, પરંતુ તે અંગે કોઈ જાહેરાત થઈ રહી નથી. પોલીસ કર્મચારીઓને સરકારે વારંવાર આપેલાં આશ્વાસન બાદ હવે તેમની ધીરજ ખૂટી છે. તેની સામે પોલીસ કર્મચારીઓએ અરવિંદ કેજરીવાલના ફોટોગ્રાફ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં મૂકીને ભાજપ સરકારને આડકતરો સંદેશ આપી દીધો છે.

 

આ સંદેશો કેવો હોઈ શકે તેનો સંકેત કેજરીવાલના જ આ કાર્યક્રમના ભાષણમાં મળી શકે છે. તેમણે ગુજરાતના પોલીસ કર્મચારીઓને કહ્યું કે, તમે પોતાની નોકરી ખતરામાં ન નાખશો. પોતાની રીતે આમ આદમી પાર્ટીને સમર્થન કરો અને તેની સરકાર બનાવવા પૂરેપુરું બળ લગાવો. આખા દેશમાં સૌથી ઓછો પગાર ગુજરાત પોલીસને મળે છે. હું ભરોસો આપું છું કે, અમારી સરકાર બનશે તો સૌથી સારાં પગારધોરણ ગુજરાતમાં અમે લાગુ કરાવીશું અને પોલીસની વર્કિંગ કન્ડિશન સુધારીશું. અત્યારે તમે જ્યાં છો ત્યાં કામ કરતા રહો, અંદરખાને અમારી સરકાર બનાવવામાં મદદ કરો.

 

આ અંગે ગુજરાત સરકારના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર હાલ ગુજરાત સરકાર પોલીસના પગાર અંગે ગંભીર રીતે વિચારણા કરી રહી છે, પરંતુ રાજકીય કારણોસર તે લંબાઈ રહી છે. કેજરીવાલે કરેલી જાહેરાત રાજકીય મુદ્દો છે અને તે અંગે અમારા સ્તરેથી પ્રતિક્રિયા આપવી યોગ્ય ગણાશે નહીં, પરંતુ પોલીસ કર્મચારીઓએ દર્શાવેલી પ્રતિક્રિયા તંત્ર માટે મોટી ચેતવણી સમાન છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    દેશ ચલાવવાનું કામ સરકારનું છે, RSSને ક્યારેય પણ સત્તા નથી જોઈતી: મોહન ભાગવત

    નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે કહ્યુ કે દેશ ચલાવવું સરકારનું કામ છે અને સંઘને ક્યારેય સત્તા નથી જોઈતી. આ વિશે મોહન ભાગવતે કહ્યુ કે ‘જનતા…

    *બાબરા તાલુકાના શીરવાણીયા ગામે થી લીંબડીયા ગામ તરફ જવાના રસ્તે આવેલા ત્રણ અલગ-અલગ વાડીઓમાં અફીણનું ગેરકાયદેસર થયેલ વાવેતર શોધી કાઢી, અફીણના લીલા ડોડવા સહિત કુલ કિં.રૂ.૩૨,૪૪,૨૧૦/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી પોલીસ.*

    (અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિલિપ્ત રાય સાહેબનાઓની સુચના અને અમરેલી ડિવિઝનના એ.એસપી.શ્રી અભય સોની સાહેબ ના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.પ્રસાદ તથા બાબરા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.)…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

    ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

    પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

    પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

    ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીની નિષ્ક્રિયતા ને લીધે તસ્કરોને લીલા લહેર.

    ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીની નિષ્ક્રિયતા ને લીધે તસ્કરોને લીલા લહેર.

    સાબરકાંઠાના સાંસદે લોકસભામાં હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા કરેલી રજુઆત અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી

    સાબરકાંઠાના સાંસદે લોકસભામાં હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા કરેલી રજુઆત અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી

    રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન

    રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન