દેશ ચલાવવાનું કામ સરકારનું છે, RSSને ક્યારેય પણ સત્તા નથી જોઈતી: મોહન ભાગવત

Views: 149
0 0
Read Time:3 Minute, 18 Second

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે કહ્યુ કે દેશ ચલાવવું સરકારનું કામ છે અને સંઘને ક્યારેય સત્તા નથી જોઈતી. આ વિશે મોહન ભાગવતે કહ્યુ કે ‘જનતા દેશને ચલાવવાની જવાબદારી આજે આને તો કાલે બીજાને આપે છે. જોકે જનતા જો સંઘને દેશ ચલાવવાની જવાબગારી આપશે તો એ જવાબદારી સંઘ ક્યારેય નહીં લેશે કારણ કે દેશ ચલાવવાનું કામ સરકારનું છે અને સંઘને ક્યારેય સત્તા નથી જોઈતી.’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ‘સંઘ સંસ્થા નથી, ઓફ ધ સોસાયટી છે. સંઘ જો કોઈ સંગઠન બનાવશે તો દરેક સંગઠનને સાથે લઈને બનાવશે. દરેક હિન્દૂએ પોતાની જવાબદારી પૂરી કરવી જોઈએ અને એ જ સંઘની ભૂમિકા છે.’ તેમણે કહ્યુ હતુ કે નેતા કંઈ નથી કરતા. પહેલા સમાજ તૈયાર થાય છે અને ત્યાર બાદ એમાંથી નેતા તૈયાર થાય છે. મોહન ભાગવતનું કહેવું છે કે નેતા કેટલો પણ મોટો કેમ ન હોય, પરંતુ તે દેશને એકલો સારો નથી બનાવી શકતો. મોહન ભાગવતે કહ્યુ કે સંગઠનના નેતાએ સ્ટેટસની પાછળ ન ભાગવું જોઈએ. તેમનું કહેવું છે કે તેમના લોકો જોવા મળ્યા કે નહીં એ માટે ગૂગલ સર્ચ પર જવું જરૂરી નથી. મોહન ભાગવતે એ પણ કહ્યુ હતુ કે દુનિયાની જાણકારી રાખનારા લોકોને તેમની બાજુમાં નદીનું નામ શું છે એ નથી ખબર હોતી. આ વિશે વધુ જણાવતા મોહન ભાગવતે કહ્યુ કે ‘સંઘની આલોચક પણ સંઘથી જ થવી જોઈએ. આ માટે તેમણે સંઘમાં આવવાની જરૂર નથી. અમે બુદ્ધીવગરના નથી. અમે અનુભવોથી શીખીએ છીએ અને એ મુજબ જ અમે વ્યવહાર કરીએ છીએ.’ RSSના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે કોઈ એક નેતા એકલો દેશની તમામ મુશ્કેલીઓની સામે નથી લડી શકતો. તેમ જ કોઈ એક જ સંગઠન અથવા તો પાર્ટી દેશમાં બદલાવ નથી લાવી શકતી. તેમનું કહેવું છે કે આ વિચાર જ સંઘની વિચારાધારાનો આધાર છે. તેમણે કહ્યુ હતુ કે દેશને ત્યારે આઝાદી મળી જ્યારે સામાન્ય લોકો રસ્તા પર ઉતર્યા હતા. મરાઠી સાહિત્ય સંગઠન વિદર્ભ સાહિત્ય સંઘની શતાબ્દી સમારોહમાં મોહન ભાગવતે આ વાત કહી હતી. આ વિશે તેમણે કહ્યુ કે ‘એક સંગઠન, એક પાર્ટી, એક નેતા બદલાવ નહીં લાવી શકે. બદલાવ લાવવામાં તેઓ મદદ જરૂર કરી શકે છે, પરંતુ ખરો બદલાવ ત્યારે આવશે જ્યારે સામાન્ય લોકો એ માટે ઊભા રહેશે. સ્વતંત્રતા સંગ્રામ 1857માં શરૂ થયો હતો, પરંતુ જ્યારે વધુ લોકોમાં જાગરૂક્તા આવી અને આમ જનતા રસ્તા પર ઉતરી ત્યારે જ સફળતા મળી હતી.’

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    કેજરીવાલ છવાઈ ગયા: સારા પગારની જાહેરાત કરતા જ રાજ્યના પોલીસબેડાંમાં કર્મીઓએ સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂક્યાં

    AAP સરકાર બનાવવામાં અંદરખાને મદદ કરો: કેજરીવાલ અરવિંદ કેજરીવાલે કહ્યું, રાજ્યમાં ‘આપ’ની સરકાર બનશે તો દેશમાં સારામાં સારું પગારધોરણ ગુજરાત પોલીસનું હશે ગાંધીનગર: અમદાવાદના ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં એક પોલીસ કર્મચારીની…

    *બાબરા તાલુકાના શીરવાણીયા ગામે થી લીંબડીયા ગામ તરફ જવાના રસ્તે આવેલા ત્રણ અલગ-અલગ વાડીઓમાં અફીણનું ગેરકાયદેસર થયેલ વાવેતર શોધી કાઢી, અફીણના લીલા ડોડવા સહિત કુલ કિં.રૂ.૩૨,૪૪,૨૧૦/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી પોલીસ.*

    (અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિલિપ્ત રાય સાહેબનાઓની સુચના અને અમરેલી ડિવિઝનના એ.એસપી.શ્રી અભય સોની સાહેબ ના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.પ્રસાદ તથા બાબરા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.)…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

    ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

    પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

    પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

    ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીની નિષ્ક્રિયતા ને લીધે તસ્કરોને લીલા લહેર.

    ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીની નિષ્ક્રિયતા ને લીધે તસ્કરોને લીલા લહેર.

    સાબરકાંઠાના સાંસદે લોકસભામાં હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા કરેલી રજુઆત અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી

    સાબરકાંઠાના સાંસદે લોકસભામાં હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા કરેલી રજુઆત અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી

    રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન

    રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન